Chhotaudaypur:ઘોઘાદેવ ગામે ખેડૂત ખાતેદારોની જમીનોનું પુનઃ રિ-સર્વે કરવા માગ
છોટાઉદેપુર તાલુકાના ઘોઘાદેવ ગામે ખેડૂત ખાતેદારોની જમીનોનું પુનઃ રિ-સર્વે કરવા ખેડૂતો આજરોજ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું.છોટાઉદેપુર તાલુકાના ઘોઘાદેવ ગામે ખેડૂત ખાતેદારોના જમીન સર્વે નંબરોનું રિ-સર્વે કરેલ છે. જેમાં જુના સર્વે નંબરોની જગ્યાએ નવા સર્વે નંબર આપેલા છે. અને જૂના નકશાની જગ્યાએ નવા નકશાઓ તૈયાર કરેલ છે. જેમાં ઘોઘાદેવ ગામના ખેડૂત ખાતેદારોના સર્વે નંબરો પૂર્વ બાજુના પશ્ચિમ બાજુ અને પશ્વિમ બાજુના પૂર્વ બાજુ તેમજ ઉત્તર બાજુના દક્ષિણ બાજુ, દક્ષિણ બાજુના ઉત્તર બાજુ નવા નકશામાં બતાવે છે. તેમાં તમામ સર્વે નંબરો અલગ-અલગ અને ઉલટ-સૂલટ બતાવે છે. જેથી ખેડૂતોને જયારે પણ નકશાની જરૂર પડે છે.ત્યારે સ્થળ ઉપર અલગ અને નકશામાં અલગ બતાવે છે. જેના કારણે ખૂબ જ મોટી વિસંગતતા ઉભી થાય છે. ખેડૂતોને કોઈ પણ કામ કરવા માટે આ વિસંગતતાને લીધે વીજળી કનેકશન કે અન્ય સરકારી કામ માટે અનેક કામો અટવાઇ ગયા છે.જેથી ઘોઘાદેવ ગામના ખેડૂત ખાતેદારોએ ઘોઘાદેવ ગામે આખા ગામની જમીનમાં તાત્કાલીક ધોરણે રિ-સર્વે કરવામાં આવે અને જેમાં ગામના તમામ ખેડૂત ખાતેદરોને સાથે રાખી પુનઃ રિ-સર્વે કરવામાં આવે તેવી માંગ કરી હતી. ખેડૂતોના અગત્યના કામ અટવાયા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward