android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
દિલ્હીના ભારત મંડપમમાં ગુંજશે ગુજરાતી યુવા શક્તિનો નાદ, 76 યુવા પ્રતિભાઓ કરશે પ્રતિનિધિત્વ
calendar_today January 5, 2026

દિલ્હીના ભારત મંડપમમાં ગુંજશે ગુજરાતી યુવા શક્તિનો નાદ, 76 યુવા પ્રતિભાઓ કરશે પ્રતિનિધિત્વ

સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ એટલે કે 'રાષ્ટ્રીય યુવા દિવસ' નિમિત્તે દર વર્ષે યોજાતા રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં આ વર્ષે ગુજરાતનો દબદબો જોવા મળશે. વર્ષ 2026માં આયોજિત 29મા રાષ્ટ્રીય યુવા મહોત્સવ અંતર્ગત ‘વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ’ (VBYLD-2026) માં ગુજરાતના 76 તેજસ્વી યુવાનો રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા માટે નવી દિલ્હી જશે. પસંદગી પ્રક્રિયા અને કેટલા લોકો લેશે ભાગ?આ મહોત્સવ માટે ગુજરાતના યુવાનોની પસંદગી અત્યંત કડક સ્પર્ધાત્મક પ્રક્રિયા દ્વારા કરવામાં આવી છે. રાજ્યના ‘યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી’ દ્વારા આયોજિત વિવિધ તબક્કાઓમાં pscex ડિજિટલ નિબંધ લેખન: 1761 સ્પર્ધકોએ ભાગ લીધો. PPT પ્રેઝન્ટેશન: IITE, ગાંધીનગર ખાતે યોજાયેલ આ તબક્કામાં 551 સ્પર્ધકો શોર્ટલિસ્ટ થયા. અંતિમ પસંદગી: આખરે 76 પ્રતિભાશાળી યુવાનોની નવી દિલ્હી માટે પસંદગી થઈ. ચાર મુખ્ય ક્ષેત્રોમાં પ્રદર્શન આ 76 યુવા પ્રતિભાઓ આગામી 11અને 12 જાન્યુઆરી, 2026 દરમિયાન દિલ્હીના આઇકોનિક ‘ભારત મંડપમ’ ખાતે નીચે મુજબના ચાર મુખ્ય ટ્રેકમાં પોતાની કલા અને કૌશલ્યનું પ્રદર્શન કરશે. સાંસ્કૃતિક અને નવીનતા ટ્રેક: 27 સ્પર્ધકો વિકસિત ભારત ચેલેન્જ ટ્રેક: 45 સ્પર્ધકો ભારત માટે ડિઝાઇન: 1 સ્પર્ધક સામાજિક હેતુ માટે હેક (Hackathon): 3 સ્પર્ધકો રાજ્યપાલ દ્વારા પ્રોત્સાહન દિલ્હી રવાના થતા પૂર્વે, આ યુવાનોનું મનોબળ વધારવા માટે 7 જાન્યુઆરી, 2026 ના રોજ રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે એક ખાસ બેઠક યોજાશે. રાજ્યપાલ આ યુવાઓને મળીને રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું ગૌરવ વધારવા માટે શુભેચ્છાઓ પાઠવશે. 15 થી 29 વર્ષની વયના આ યુવાનો માત્ર ગુજરાતની સંસ્કૃતિ જ નહીં, પરંતુ ટેકનોલોજી અને સામાજિક પરિવર્તન માટેના વિઝનને પણ રજૂ કરશે. આ મહોત્સવ દેશના યુવાનોમાં એકતા, સાંસ્કૃતિક આદાનપ્રદાન અને ‘વિકસિત ભારત @2047’ ના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનું પ્લેટફોર્મ પૂરું પાડશે. આ પણ વાંચોઃ Jam Khambhaliyaમાં ચાઇનીઝ દોરીનો કહેર, હાજી ચોકમાં ચાઇનીઝ દોરીથી બાળકનું ગળું કપાયું

Read Full Story arrow_forward
Rajkot: સૌરાષ્ટ્રમાં ધોળા દિવસે ચોરી કરનાર ગેંગ ઝડપાઈ, રૂરલ LCBએ 3 શખ્સોને દબોચ્યા
calendar_today January 5, 2026

Rajkot: સૌરાષ્ટ્રમાં ધોળા દિવસે ચોરી કરનાર ગેંગ ઝડપાઈ, રૂરલ LCBએ 3 શખ્સોને દબોચ્યા

રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. (LCB) ની ટીમે ટેકનિકલ સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે વિંછીયા સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ચોરી કરનાર આંતરજિલ્લા ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લાખો રૂપિયાની કિંમતનું સોનું અને રોકડ રકમ કબજે કરી છે.ચોરી કરનાર આંતરજિલ્લા ગેંગનો પર્દાફાશવિંછીયા પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના ગુનાની તપાસ દરમિયાન પોલીસે હાઈવે અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ચેક કર્યા હતા. હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા મળેલી ચોક્કસ બાતમીને આધારે વિંછીયાના મોઢુકા ગામના પીકઅપ સ્ટેન્ડ પાસેથી ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી પકડાયેલા આરોપીઓના નામ ભરત ઉર્ફે પથુ મનુ વાઘેલા, મુકેશ ઉર્ફે કાબલી ઉર્ફે ભોપો રમેશ સોલંકી, રાજેશ ભુપત પરમાર છે. પોલીસે આરોપીઓ પાસેથી સોનાનો ઢાળિયો અને ટુકડો કિંમત ₹2,69,350, રોકડ રકમ ₹1,30,000,  ચોરી કરવા માટે વપરાતા પાના, ડિસમીસ અને કટર. મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલ બાઈક. વસ્તુઓ જપ્ત કરી છે: આ ગેંગે અનેક ગુનાઓની કબૂલાત કરીપૂછપરછ દરમિયાન આ ગેંગે અનેક ગુનાઓની કબૂલાત કરી છે. આંકડીયા ગામમાં ખેડૂત ભાઈઓના ત્રણ ઘરમાં ત્રાટકી ₹8 લાખથી વધુની મતા ચોરી હતી. નાની કુંડળ (બાબરા) દોઢ મહિના પહેલા વાડી સીમના મકાનમાંથી તિજોરી તોડી દાગીના-રોકડની ચોરી. આંકરૂ (ધંધુકા) 20 દિવસ પહેલા બંધ મકાનનું તાળું તોડી ચોરી આચરી હતી. સીતાપર અને લીંબડીયા (ઢસા) 10 દિવસ પહેલા બે મકાનોના તાળા તોડ્યા હતા.ધોળા દિવસે મકાનોને નિશાન બનાવવાની પદ્ધતિઆ ગેંગ અમદાવાદ, બોટાદ અને અમરેલી સહિતના વિસ્તારોમાં સક્રિય હતી. ધોળા દિવસે જ મકાનોને નિશાન બનાવવાની તેમની ખાસ પદ્ધતિ હતી. હાલમાં પોલીસે ત્રણેય આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ફરાર આરોપી સંજય ઉર્ફે સી.જે.ની ધરપકડ બાદ અન્ય અનેક વણઉકેલાયેલા ગુનાઓ પરથી પડદો ઊંચકાય તેવી શક્યતા છે.આ પણ વાંચો: સોમનાથમાં PM મોદીના આગમન પૂર્વે મંત્રીઓના ધામા, 10 અને 11 જાન્યુઆરીએ થશે ભવ્ય કાર્યક્રમો

Read Full Story arrow_forward
Rajkot: શહેર નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર, PM મોદીના પ્રવાસને લઈને પોલીસ કમિશનરનું જાહેરનામું
calendar_today January 5, 2026

Rajkot: શહેર નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર, PM મોદીના પ્રવાસને લઈને પોલીસ કમિશનરનું જાહેરનામું

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અને PM નરેન્દ્ર મોદીના રાજકોટ પ્રવાસને ધ્યાનમાં રાખીને રાજકોટ પોલીસ કમિશનર વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સુરક્ષા એજન્સીઓના આદેશ અને સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે.PM મોદી રાજકોટની મુલાકાતેપોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, તારીખ 9 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી સમગ્ર રાજકોટ પોલીસ કમિશનર હેઠળના વિસ્તારને 'નો ડ્રોન ફ્લાય ઝોન' જાહેર કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન કોઈપણ ખાનગી વ્યક્તિ કે સંસ્થા ડ્રોન અથવા અન્ય કોઈપણ પ્રકારના ફ્લાઈંગ ઓબ્જેક્ટ ઉડાડી શકશે નહીં.રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામુંPM મોદી રાજકોટની મુલાકાતે આવવાના હોવાથી પ્રોટોકોલ મુજબ સુરક્ષા વધારવામાં આવી છે.  આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને પગલે રાજ્યમાં વીવીઆઈપી (VVIP) મૂવમેન્ટ વધવાની છે.  સંભવિત સુરક્ષા જોખમોને ટાળવા માટે હવાઈ માર્ગે થતી કોઈપણ ગતિવિધિ પર રોક લગાવવી અનિવાર્ય બની છે.આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં ધોળા દિવસે ચોરી કરનાર ગેંગ ઝડપાઈ, રૂરલ LCBએ 3 શખ્સોને દબોચ્યા

Read Full Story arrow_forward