android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch:ભજન - કીર્તન થકી મનુષ્યના મનની શુદ્ધિ થાય છે :પૂ.શાસ્ત્રીજી
calendar_today January 3, 2026

Bharuch:ભજન - કીર્તન થકી મનુષ્યના મનની શુદ્ધિ થાય છે :પૂ.શાસ્ત્રીજી

જંબુસરના ઉચ્છદ ગામે શ્રી કબીર મંદિરના મહંત શ્રી ચંદનદાસ મહારાજ તથા સમસ્ત ગ્રામજનોના સહયોગથી આયોજિત શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો ભવ્ય પ્રારંભ આજથી કરાયો હતો.આ ધાર્મિક મહોત્સવ અંતર્ગત તા.10 સુધી શિવ મહાપુરાણ કથાનું રસપાન કરાવાશે. પૂ.શાસ્ત્રી કાર્તિકકુમાર વ્યાસ (ચાવજ) વ્યાસપીઠ પર બિરાજમાન થયા છે. જ્ઞાનયજ્ઞના પ્રારંભે પોથીયાત્રા યોજાઈ હતી. મુખ્ય યજમાન તરીકે ભારતસિંહ ઉદેસિંહ પઢિયાર તથા પોથી યજમાન તરીકે મહિજીભાઈ ધુળાભાઈ ગોહિલ પરિવાર દ્વારા યજ્ઞસેવા બજાવાઈ રહી છે. પ્રથમ દિવસે પૂ.શાસ્ત્રીજીએ જણાવ્યું હતું કે, ભજન-કીર્તન થકી મનની શુદ્ધિ થાય છે અને ભગવાનનો સાચો આશ્રાય પ્રાપ્ત થાય છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch:કાગળ પર સહી કરાવવાના બહાને વૃદ્ધાની ચેઈન તફડાવવા પ્રયાસ
calendar_today January 3, 2026

Bharuch:કાગળ પર સહી કરાવવાના બહાને વૃદ્ધાની ચેઈન તફડાવવા પ્રયાસ

ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર આવેલી તુલસીધામ સોસાયટી પાસેની ચિત્રકુટ સોસાયટીમાં રહેતાં 76 વર્ષીય કાનાકામ્મા વાસુદેવ પિલ્લઈ તેમના ઘરે એકલાં રહેતાં હતાં. તેમની પુત્રી નજીકમાં જ આવેલી પુષ્પકુંજ સોસાયટીમાં રહેતાં હોઈ તેઓ રાત્રીના સમયે ત્યાં જ સુવા માટે જતાં હતાં. અને દિવસે પાછા આવી જતાં હતાં. દરમિયાનમાં 1 જાન્યુઆરીએ તેઓ પુત્રીના ઘરેથી પરત આવી પોતાના ઘરનું કામકાજ કરી રહ્યાં હતાં. તે વેળાં બપોરના સાડાબારથી પોણા એક વાગ્યાના અરસામાં એક સફેદ એક્ટિવા પર કેસરી કલરની ટીશર્ટ અને હેલમેટ પહેરેલાં યુવાને તેમને તમારું પાર્સલ આવેલું છે લઈ લ્યો તેમ કહેતાં તેમણે જણાવ્યું હતું કે, તેમણે કોઈ પાર્સલ મંગાવ્યું નથી. બીજા કોઈનું હશે તેમ કહેતાં યુવાને તેમને તેમના જ ઘર નંબરવાળું પાર્સલ છે તેમ જણાવી તેમને પાર્સલ આપ્યું હતુ. દરમિયાનમાં યુવાને તેમને કાગળ પેન આપી તમેને સહીં કરવા કહેતાં તેઓ સહીં કરી રહ્યાં હતાં. તે વેળાં યુવાને તેમના ગળામાં પહેરેલી ચેઈન આંચકવાની કોશિષ કરી હતી. જોકે,તેઓ પાછળ હટી જતાં ગઠિયાના હાથમાં ચેઈન નહીં આવતાં અને તે ગભરાઈ જતાં તેની એક્ટિવા લઈને ભાગી ગયો હતો. તેમની ચેઈન ચોરાઈ ન હોવાથી તેમણે જે તે સમયે ફરિયાદ નોંધાવી ન હતી.બાદમાં પરીવાર સાથે ચર્ચા કર્યા ફરિયાદ નોંધાવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Padra:ઘાયજ અને ગણપતપુરા ગામે નવીન આંગણવાડીનું લોકાર્પણ
calendar_today January 3, 2026

Padra:ઘાયજ અને ગણપતપુરા ગામે નવીન આંગણવાડીનું લોકાર્પણ

પાદરા તાલુકાના ઘાયજ અને ગણપતપુરા ગામે નવીન આંગણવાડી (નંદ ઘર) તેમજ લુણા ગામ ખાતે આયુષ્યમાન આરોગ્ય મંદિરનું સીલોક્ષ ઇન્ડિયા કંપનીના સહયોગથી ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.પાદરા તાલુકાના ઘાયજ ગામમાં નવીન આંગણવાડી નંદ ઘર તથા ગણપતપુરા ગામ ખાતે પણ આંગણવાડીના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. પાદરા તાલુકાના એકલબારા ગામે આવેલ Silox India કંપની દ્વારા CSR ફંડમાંથી આ બંને ગામોમાં આધુનિક સુવિધાઓથી સજ્જ મોડલ આંગણવાડીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. બાળકોને ઉત્તમ પોષણ, શિક્ષણ અને વિકાસલક્ષી માહોલ મળી રહે તે હેતુથી આ આંગણવાડીઓ તૈયાર કરવામાં આવી છે.ઘાયજ અને ગણપતપુરા ગામે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, પાદરા તાલુકા ભાજપ પ્રમુખ સંજયસિંહ પરમાર, જિલ્લા પંચાયત સદસ્યો તેમજ સિલોક્સ ઈન્ડિયા કંપનીના AVP (HR) મનીષ બક્ષી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવી આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો દ્વારા ઉપસ્થિત મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત પાદરા તાલુકાના લુણા ગામ ખાતે ગ્રામજનોને આરોગ્યલક્ષી સેવાઓ સરળતાથી મળી રહે તે હેતુથી સરકારની ગ્રાન્ટ હેઠળ નિર્માણ પામેલ આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબેન મહીડા સહિતના મહાનુભાવોના હસ્તે ઉઘ્દાટન કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમો થકી ગ્રામ્ય વિસ્તારના બાળકોના સર્વાંગી વિકાસ સાથે આરોગ્ય સુવિધાઓ વધુ મજબૂત બનશે તેમજ સિલોક્સ ઈન્ડિયા કંપનીના CSR ફંડ દ્વારા સામાજિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન મળ્યું હોવાનું ગ્રામજનો દ્વારા આવકારવામાં આવ્યું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward