android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: ઉત્તરાયણ પૂર્વે કાચવાળી દોરી સામે પોલીસની કડક કાર્યવાહી, ત્રણની અટકાયત
calendar_today January 2, 2026

Vadodara: ઉત્તરાયણ પૂર્વે કાચવાળી દોરી સામે પોલીસની કડક કાર્યવાહી, ત્રણની અટકાયત

ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખી ગુજરાત હાઈકોર્ટ દ્વારા પતંગની દોરીમાં કાચના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ પ્રતિબંધના અમલ માટે વડોદરા શહેર પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. જાહેરનામાનો ભંગ કરી દોરી માંજવાનું કામ કરતા કારીગરો અને વેપારીઓ સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.વિશ્વામિત્રી બ્રિજ પાસે કાર્યવાહી રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિશ્વામિત્રી બ્રિજ પાસે દોરી માંજવાનું કામ કરતા હીરાજી હમીરજી ઠાકોર (રહે. કાલિદાસની ચાલી, વિશ્વામિત્રી નીચે) દ્વારા પ્રતિબંધિત કાચનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું બહાર આવતા પોલીસે તેની અટકાયત કરી હતી. તેની પાસેથી રૂ. 1,250 કિંમતની ત્રણ દોરીની ફીરકી તેમજ દોરી માંજવા માટેનો માંજો કબ્જે કરવામાં આવ્યો હતો. દાંડિયા બજાર ગેસ ઓફિસની સામે કાર્યવાહી આ ઉપરાંત, દાંડિયા બજાર ગેસ ઓફિસની સામે દોરી માંજવાનું કામ કરતા તુષાર અનિલ સાવંત (રહે. નર્મદા નગર, માંજલપુર) પાસેથી રૂ. 3,850 કિંમતની 11 દોરીની ફીરકી અને દોરી માંજવાનો માંજો કબ્જે કરી તેની અટકાયત કરવામાં આવી હતી. નવાપુરામાં કાર્યવાહી જ્યારે નવાપુરા પોલીસ દ્વારા શક્તિકૃપા સર્કલથી જયનગર સોસાયટી તરફના માર્ગ પરથી અખ્તરમિયા યાકુબમિયા શેખ (રહે. મહેબુબપુરા, નવાપુરા) પાસેથી રૂ. 210 કિંમતની એક દોરીની ફીરકી તથા 100 ગ્રામ કાચનો પાવડર કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે ત્રણેય આરોપીઓ સામે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી** હાથ ધરી છે. દોરીના ઉપયોગથી અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોવાના બનાવ ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણના તહેવાર દરમિયાન અને તે પહેલાં જ પતંગ ઉડાડવાની શરૂઆત થઈ જાય છે. આ દરમિયાન ચાઈનીઝ દોરી અને કાચના પાવડરથી રંગેલી (ગ્લાસ કોટેડ) દોરીના ઉપયોગથી અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોવાના બનાવો** સામે આવ્યા છે. આ કારણે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ પણ વાંચો----   Surendranagar જમીન કૌંભાડમાં તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલના 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર

Read Full Story arrow_forward
Kachchh News: ધોરડોમાં રજિસ્ટ્રેશન વિનાની ઘોડા અને ઊંટની સવારી પર પ્રતિબંધ
calendar_today January 2, 2026

Kachchh News: ધોરડોમાં રજિસ્ટ્રેશન વિનાની ઘોડા અને ઊંટની સવારી પર પ્રતિબંધ

કચ્છમાં ભૌગોલિક વૈવિધ્યનો ઉત્તમ ખજાનો જોવા મળે છે. જેના લીધે આ જિલ્લો પ્રવાસનની દ્રષ્ટીએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. રાજ્ય સરકારના સહયોગથી ગુજરાત પ્રવાસન દ્વારા દર વર્ષે ધોરડો ખાતે રણ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે જેનો લાભ લેવા માટે દેશ-વિદેશથી પ્રવાસીઓ આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે ૫ણ ધોરડો ખાતે રણ ઉત્સવનું આયોજન કરવામાં આવેલું છે. ઘોડે સવારી/ઊંટ સવારીનું રજિસ્ટ્રેશન રણ ઉત્સવ દેશ-વિદેશથી આવતા સહેલાણીઓને અહીં કચ્છની ભાતીગળ સંસ્કૃતિનો, હેન્ડક્રાફટ્સનો, સફેદ રણના સૌંદર્યનો અવિસ્મરણીય અનુભવ થાય છે. રણ ઉત્સવમાં આવતા પ્રવાસીઓ રણ વિસ્તારમાં ચાલતી ઘોડે સવારી/ઊંટ સવારીનો ૫ણ આનંદ માણતા હોય છે. સ્થાનિક ઘોડે સવારી/ઊંટ સવારી માલીકો/ચાલકો દ્વારા પ્રવાસીઓને ફેરી સર્વિસ પૂરી પાડવામાં આવે છે જેને ધ્યાને લેતા રણ ઉત્સવમાં સહેલાણીઓના અનુભવને વધુ સુખદ બનાવવા, સલામત પ્રવાસનને વેગ આપવા તથા ઘોડે સવારી/ઊંટ સવારી ફેરી સર્વિસની અમલવારી સારી રીતે થઈ શકે તે માટે ઘોડે સવારી/ઊંટ સવારીનું રજિસ્ટ્રેશન કરાવી તેનું નિયમન કરવું જરૂરી છે. આ જાહેરનામું તા.૨૮/૦૨/૨૦૨૬ સુધી અમલમાં કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની હદમાં આવેલ ભુજ તાલુકાના ધોરડો રણ ઉત્સવ વિસ્તાર ખાતે નિયત સમિતિ પાસે રજિસ્ટ્રેશન કરાવ્યા સિવાય અનઅધિકૃત રીતે ચાલતી ઘોડે સવારી/ઊંટ સવારી ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરશે. આ હુકમનો અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે.આ જાહેરનામું તા.૨૮/૦૨/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ પણ વાંચોઃ Patan News: જિલ્લામાં PMJAY અંતર્ગત 1.28 લાખ દર્દીઓને લાભ મળ્યો, 3.15 અબજની નિઃશુલ્ક સારવાર

Read Full Story arrow_forward
Bharuch: આમોદ તાલુકાના કોલવણા ગામે કેનાલમાં ડૂબી જવાથી 39 વર્ષીય યુવકનું કરુણ મોત
calendar_today January 2, 2026

Bharuch: આમોદ તાલુકાના કોલવણા ગામે કેનાલમાં ડૂબી જવાથી 39 વર્ષીય યુવકનું કરુણ મોત

ભરુચ જિલ્લાના આમોદ તાલુકાના કોલવણા ગામે એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં 39 વર્ષીય સુરેશભાઈ રામુભાઈ રાઠોડનું કેનાલમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. આ ઘટનાથી ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.કોલવણા ગામની કેનાલમાં સુરેશભાઈને પડ્યા હતા પ્રાપ્ત માહિતી મુજબ, સુરેશભાઈ ખેતી મજૂરીનું કામ કરતા હતા. સાંજના લગભગ 5:30 વાગ્યાની આસપાસગામમાં બકરા ચરાવતા એક વ્યક્તિએ કોલવણા ગામની કેનાલમાં સુરેશભાઈને પડેલા જોઈ તાત્કાલિક ગામલોકોને જાણ કરી હતી. જેથી ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ખેંચ આવી હોય અને તેઓ ત્યાં પડી ગયા હોય તેવી શક્યતા સ્થળ પર તપાસ કરતા જાણવા મળ્યું કે કેનાલમાં ઘૂંટણ જેટલું ઓછું પાણી હોવા છતાં તેઓ તેમાં ડૂબી ગયા હતા. તેમના સગા-સંબંધીઓએ જણાવ્યું હતું કે સુરેશભાઈને ખેંચ (ફિટ્સ) આવવાની બીમારી હતી, જેના કારણે તેમને અચાનક ખેંચ આવી હોય અને તેઓ ત્યાં પડી ગયા હોય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આમોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં મૃતદેહને આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરિવારજનોમાં શોકનું વાતાવરણ પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું, જ્યારે ગામના લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પણ વાંચો----   ACB ની કાર્યવાહી, 1 વર્ષમાં રાજ્યમાં 1.72 કરોડની રકમની લાંચ લેવાઇ, સૌથી વધુ ગૃહ વિભાગમાં 59, પંચાયતમાં 27 કેસ થયા

Read Full Story arrow_forward