Surendranagar: જર્જરિત મકાન ધરાશાયી થતા એક જ પરિવારના 5 લોકો ફસાયા, કોઇ જાનહાનિ નહીં
સુરેન્દ્રનગર શહેરના હાર્દ સમાન ગણાતા શ્રવણ ટોકીઝ વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના ઘટી છે. લાંબા સમયથી જર્જરિક હાલતમાં રહેલા એક જૂના મકાનનું ધાબુ અચાનક ધડાકાભેર તૂટી પડતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ દુર્ઘટના સમયે મકાનમાં પરિવારના સભ્યો હાજર હતા, જેઓ કાટમાળ નીચે ફસાઇ ગયા હતા. કાટમાળ નીચે એક જ પરિવારના 5 સભ્યો ફસાયા મળતી માહિતી પ્રમાણે, શ્રવણ ટોકીઝ પાસે આવેલું આ મકાન ઘણું જૂનું હતુ. અચાનક મકાનનો ઉપરનો ભાગ અને ધાબુ ધરશાયી થતા જોરદાર અવાજ આવ્યો હતો. જેને સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. કાટમાળ નીચે એક જ પરિવારના 5 સભ્યો દબાયા હોવાની જાણ થતા જ સ્થાનિકોએ તાત્કાલિક તંત્રને જાણ કરી હતી. મોટી જાનહાનિ ટળી ઘટનાની જાણ થતા જ સુરેન્દ્રનગર ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. ફાયર ટીમે ભારે જહેમત બાદ કાટમાળ હટાવીને તમામ 5 લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. સદ્દનસીબે આ ઘટનામાં કોઇ મોટી જાનહાનિ થવા પામી નથી.આ પણ વાંચોઃ Ahmedabad: અમદાવાદના શીલજમાં બન્યું હાઈટેક સ્મશાન, જાણો શું નવી મળશે સુવિધા
Read Full Story arrow_forward