android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live :  બગદાણામાં મારામારીની ઘટનામાં 8 આરોપીનું રિકન્સ્ટ્રક્શન, ફરિયાદીએ લગાવ્યો છે જયરાજ આહીર પર આરોપ
calendar_today January 1, 2026

Gujarat Latest News Live : બગદાણામાં મારામારીની ઘટનામાં 8 આરોપીનું રિકન્સ્ટ્રક્શન, ફરિયાદીએ લગાવ્યો છે જયરાજ આહીર પર આરોપ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 01 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Bhavnagar: ભાવનગર  મનાપાની નગરજનોને નવી ભેટ, હવે રસ્તાઓ પર  દોડશે પ્રધાનમંત્રી ઇ બસ
calendar_today January 1, 2026

Bhavnagar: ભાવનગર મનાપાની નગરજનોને નવી ભેટ, હવે રસ્તાઓ પર દોડશે પ્રધાનમંત્રી ઇ બસ

ભાવનગર શહેરમાં લાંબા સમયથી ખોરવાયેલી સિટી બસ સેવાની પ્રતીક્ષાનો હવે અંત આવ્યો છે. કેન્દ્ર સરકારની 'પ્રધાનમંત્રી ઈ-બસ સેવા' યોજના હેઠળ ભાવનગરને કુલ 100 ઇલેક્ટ્રિક બસો મંજૂર કરવામાં આવી છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટના પ્રથમ તબક્કા હેઠળ ફાળવવામાં આવેલી 40 બસો પૈકી 10 અત્યાધુનિક ઈ-બસો ભાવનગર ખાતે આવી પહોંચી છે. અત્યાધુનિક ઈલેક્ટ્રિક બસ ડેપો ખાતે ઇ બસોનું આગમન થયુ નેતાઓની મુલાકાત અને નિરીક્ષણ શહેરના ટોપ થ્રી સર્કલ પાસે તૈયાર કરવામાં આવેલા અત્યાધુનિક ઈલેક્ટ્રિક બસ ડેપો ખાતે આ બસોનું આગમન થતા, ભાવનગર મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયાએ રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે બસની સુવિધાઓનું નિરીક્ષણ કરી આગામી આયોજન અંગે ચર્ચા કરી હતી. બસની મુખ્ય વિશેષતાઓ આ નવી ઇલેક્ટ્રિક બસો પર્યાવરણને અનુકૂળ હોવાની સાથે મુસાફરોની સુરક્ષા અને સુવિધાથી સજ્જ છે. ગરમીમાં પણ મુસાફરો ઠંડકમાં મુસાફરી કરી શકશે. બસમાં 25 વ્યક્તિઓ માટે બેસવાની વ્યવસ્થા છે. સુરક્ષાના ભાગરૂપે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. દિવ્યાંગ વ્યક્તિઓ અને વરિષ્ઠ નાગરિકો માટે ખાસ અલાયદી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. હવે સ્માર્ટ ટ્રાન્સપોર્ટેશનની દિશામાં આગળ વધ્યુ ભાવનગરસ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, હાલ આ બસોની RTO પાર્સિંગ અને અન્ય વહીવટી પ્રક્રિયાઓ ચાલી રહી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ, જાન્યુઆરી માસમાં આ બસોનું વિધિવત લોકાર્પણ કરવામાં આવશે. નવા વર્ષની ભેટ તરીકે ભાવનગરના વિવિધ રૂટ પર 28 કિમીની પેરીફેરીમાં આ બસો દોડાવવામાં આવશે. આ સેવા શરૂ થવાથી શહેરના મધ્યમ અને શ્રમજીવી વર્ગના નાગરિકોને સસ્તા, સુરક્ષિત અને પ્રદૂષણમુક્ત પરિવહનનો લાભ મળશે. આ પણ વાંચોઃ Gandhinagar: ડિસેમ્બર 2025માં રાજ્યની GSTની આવકમાં 12.37 ટકાનો વધારો

Read Full Story arrow_forward
Vadodara: ડેસર-ગળતેશ્વર બ્રિજ ફરી ભારે વાહનો માટે બંધ, હજારો લોકોની રોજીરોટી છીનવાતા ક્વોરી સંચાલકો અને સ્થાનિકોનો હોબાળો
calendar_today January 1, 2026

Vadodara: ડેસર-ગળતેશ્વર બ્રિજ ફરી ભારે વાહનો માટે બંધ, હજારો લોકોની રોજીરોટી છીનવાતા ક્વોરી સંચાલકો અને સ્થાનિકોનો હોબાળો

ડેસર અને ગળતેશ્વર તાલુકાને જોડતા મહીસાગર નદી પરના બ્રિજને મરામતના બહાને ફરી એકવાર ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવતા સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના તંત્ર દ્વારા લોખંડની આડાસ (ગડર) લગાવી દેવાતા હજારો લોકોની રોજીરોટી પર સંકટ ઉભું થયું છે.વૈકલ્પિક વ્યવસ્થાનો અભાવે 6 કિમીના બદલે 50 કિમીનો ફેરોચોમાસા દરમિયાન કડાણા ડેમમાંથી પાણી છોડાતા આ બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો. પાણી ઓછું થતા નાના વાહનો માટે રસ્તો ખુલ્લો કરાયો હતો, પરંતુ મોટા વાહનો માટે બ્રિજની મજબૂતી ચકાસવાના બહાને પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બ્રિજ બંધ હોવાથી વરસડા થી અંબાવ જે માત્ર 6 કિલોમીટરનું અંતર છે, ત્યાં જવા માટે વાહનોએ 50 કિલોમીટરનો લાંબો ફેરો ખાવો પડે છે. બે મહિના પહેલા વાહનચાલકોએ જાતે આડાસ હટાવી અવરજવર શરૂ કરી હતી, પરંતુ તંત્રએ આજે ફરી બ્રિજ બંધ કરી દીધો છે.તંત્ર અને પોલીસની હાજરીમાં વિરોધડેસર અને સેવાલીયા પોલીસની હાજરીમાં જ્યારે માર્ગ અને મકાન વિભાગ (R&B) દ્વારા લોખંડની ગડર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી, ત્યારે મોટી સંખ્યામાં ક્વોરી સંચાલકો, ડ્રાઈવરો અને સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. લોકોએ તંત્ર સામે સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે, "જો બ્રિજમાં ખામી હોય તો ડાયવર્જન જેવી વૈકલ્પિક વ્યવસ્થા આપો, કોઈપણ વ્યવસ્થા વગર રસ્તો બંધ કરવો એ અન્યાય છે."ધારાસભ્યને ટેલિફોનિક રજૂઆતરોષે ભરાયેલા લોકોએ ઠાસરાના ધારાસભ્યને ફોન કરીને આ બાબતે તાત્કાલિક દખલગીરી કરવા માંગ કરી હતી. લોકોએ જણાવ્યું હતું કે આ માર્ગ તેમની રોજીરોટીનો મુખ્ય આધાર છે. હજારો ટ્રક ચાલકો અને શ્રમિકોના ઘર આ બ્રિજની અવરજવર પર નિર્ભર છે. વારંવાર કોઈપણ સ્પષ્ટતા વગર બ્રિજ બંધ કરી દેવાતા સામાન્ય જનતા હેરાન થઈ રહી છે.આ પણ વાંચો: બિલ્ડરની રિવોલ્વર અને ગોળીઓ ચોરી બિહાર ભાગી ગયેલો કિશોર ઝડપાયો, નોકરીમાંથી કાઢી મુકતા લીધો બદલો

Read Full Story arrow_forward