Chhota Udepur: નસવાડી કૉલેજમાં શિક્ષકદિન અને જન્માષ્ટમીની ઉજવણી
નસવાડી : નસવાડીની શ્રી ચુનિલાલ હિંમતભાઈ ભીલ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ ખાતે સાંસ્કૃતિક વિભાગ દ્વારા શિક્ષક દિન અને જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે દહીંહાંડી (મટકી ફોડ) એમ બે કાર્યક્રમ યોજાયા હતા. શિક્ષક દિનની ઉજવણીમાં કૉલેજના તમામ પ્રાધ્યાપકોનું વિદ્યાર્થીઓ દ્વારા સન્માન અને અભિવાદન કરાયું હતું. કોલેજના આચાર્ય પી.જે. જોશી તથા કોલેજના IQAC કો-ઓર્ડીનેટર ડૉ. એમ. એમ. ડામોર દ્વારા વિદ્યાર્થીઓને આશિર્વચન પાઠવાયા હતા. શિક્ષક તરીકે ભાગ લેનાર વિદ્યાર્થીઓએ પ્રતિભાવો રજૂ કર્યા હતા. અંતે સાંસ્કૃતિક વિભાગના અધ્યક્ષ ડૉ. એન. એમ. રાઠવાએ આભાર વ્યક્ત કર્યો હતો. ત્યાર બાદ કોલેજના પટાંગણમાં જન્માષ્ટમી મહોત્સવનો બીજો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાસ ગરબાની રમઝટ અને દહીંહાંડી (મટુકીફોડ) જેવા કાર્યક્રમો યોજાયા હતા. જેનું સંચાલન ડૉ. પ્રીતેશ રાઠોડે કર્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward