Navsari: PM મોદીએ AI આધારિત આધુનિક 'નમો કમલમ' કાર્યાલયનું કર્યું લોકાર્પણ, કાર્યકરો અને નાગરિકોમાં ભારે ઉત્સાહ
દક્ષિણ ગુજરાતના નવસારી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિશેષ આગમન થયું છે. હેલિપેડ પર વડાપ્રધાન મોદી આવી પહોંચતાં જ સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓ અને વહીવટી તંત્ર દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. હેલિપેડથી વડાપ્રધાન મોદી સીધા જ નવનિર્મિત જિલ્લા ભાજપ કાર્યાલય 'નમો કમલમ' ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમનું અત્યંત ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું.નવસારીમાં નરેન્દ્ર મોદીનું વિશેષ આગમનનવસારી ખાતે નિર્માણ પામેલું આ 'નમો કમલમ' કાર્યાલય માત્ર એક સંગઠનાત્મક કેન્દ્ર નથી, પરંતુ તે આધુનિક ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત સુવિધાઓથી સજ્જ છે. વડાપ્રધાન મોદીએ રિબિન કાપીને આ હાઈટેક કાર્યાલયનું સત્તાવાર લોકાર્પણ કર્યું હતું.લોકાર્પણની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધા જ નવસારી ખાતે આયોજિત ભવ્ય જાહેર સભા સ્થળ તરફ રવાના થયા છે. જ્યાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને તેઓ સંબોધિત કરશે અને દક્ષિણ ગુજરાત માટે વિવિધ વિકાસલક્ષી દિશાસૂચનો કરશે.ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ નવસારી જિલ્લાના વિવિધ ગ્રામીણ વિસ્તારોનો પ્રવાસ કરીને સંસ્થાગત અને સામાજિક કાર્યોમાં ગતિ લાવી છે. પ્રવાસ દરમિયાન તેઓ નવસારીના ગામેગામ યોજાયેલા ‘સ્વચ્છતા અભિયાન’માં સ્વયં જોડાયા હતા. તેમણે શ્રમદાન કરીને ગ્રામજનોને પોતાના ગામ અને આસપાસના પરિસરને સ્વચ્છ રાખવા માટે પ્રેરિત કર્યા હતા.
Read Full Story arrow_forward