android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
આંતરરાજ્ય ત્રિચી ગેંગના બે સગીર સહિત ત્રણ સાગરીતો પકડાયા
calendar_today September 8, 2026

આંતરરાજ્ય ત્રિચી ગેંગના બે સગીર સહિત ત્રણ સાગરીતો પકડાયા

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે વાહનોના કાચ તોડી તેમજ વાહનચાલકોનું ધ્યાન ભટકાવી ચોરી કરતી કુખ્યાત આંતરરાજ્ય ત્રિચી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ગેંગના એક મુખ્ય સાગરીત સહિત કાયદાના સંઘર્ષમાં આવેલા બે સગીરોને ઝડપી પાડી ભરૂચ, વડોદરા, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના કુલ 8 ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે.ગત 31 ઓગસ્ટના રોજ અંકલેશ્વરમાં સર્કલ ત્રણ રસ્તા પાસે આવેલી બેંક ઓફ્ બરોડામાંથી એક નાગરિક રૂ. 1 લાખ રોકડા ઉપાડીને એક્ટિવાની ડેકીમાં મૂકીને ચૌટા બજાર ગયા હતા. ત્યાં અજાણ્યા ચોરે ડેકી તોડી રોકડ રકમ તેમજ અગત્યના દસ્તાવેજો ભરેલી થેલીની ચોરી કરી હતી. આ ઘટના બાદ પોલીસે અંકલેશ્વરથી પલસાણા સુધીના 400 જેટલા સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા. તપાસ દરમિયાન સુરત જિલ્લાના પલસાણા નજીક ઈટારવા વિસ્તારમાંથી શંકાસ્પદ ઈસમો મળી આવ્યા હતા. મુખ્ય આરોપી ડી. વેંકટેશને માત્ર તમિલ ભાષા જ આવડતી હોવાથી પોલીસે ઓનલાઈન ટ્રાન્સલેશન ટૂલની મદદથી પૂછપરછ કરી ગુનાની કબૂલાત કરાવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગબેંક અને ભીડભાડવાળા બજારો પાસે પાર્ક કરેલા વાહનોની રેકી કરતી હતી. ત્યારબાદ વાહનચાલકનું ધ્યાન ભટકાવવા માટે તમારા પૈસા નીચે પડી ગયા છે, અથવા ગાડીમાંથી ઓઈલ લીક થાય છે, જેવી અફ્વાઓ ફેલાવી ધ્યાન ભટકાવતા અને વાહનની ડેકી કે કાચ તોડી રોકડ અને સામાન ચોરીને ફરાર થઈ જતા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
ભરૂચની પ્રાર્થના વિદ્યાલયમાં શિક્ષક સજ્જતા અને માર્ગદર્શન
calendar_today September 8, 2026

ભરૂચની પ્રાર્થના વિદ્યાલયમાં શિક્ષક સજ્જતા અને માર્ગદર્શન

ભરૂચ : પ્રાર્થના વિદ્યાલય ભરૂચમાં શિક્ષક દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા શાળામાં અભયાસ કરતા વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી હતી. વિદ્યાર્થીઓને ઉત્સાહભેર અભ્યાસકાર્ય કરાવ્યુ હતુ. આ પ્રસંગે શિક્ષકોની ભુમિકા ભજવેલ શિક્ષકોએ શિક્ષણકાર્ય કરાવવુ ખુબ જ કપરૂ છે એવો મત વ્યકત કર્યો હતો. આ ઉપરાંત શાળાના શિક્ષકો માટે શિક્ષક સજ્જતા અને માર્ગદર્શન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના ડાયરેકટર રશ્મિકાંત કંસારા અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સ્થાપક સંજય તલાટી મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત વકતાઓનું શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડો.જિજ્ઞેશ પટેલ અને શાળાના ટ્રસ્ટી ડો.માર્ગીબેન પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત પાવન અવસર નિમિત્તે ઉપસ્થિત મહેમાનો, શાળા મેનેજીંગ ટ્રસ્ટી તથા શાળાના આચાર્ય શ્રુતિબેન પટેલ દ્વારા તમામ શિક્ષકોને શિક્ષક દિનની શુભેચ્છાઓ પાઠવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
ભરૂચની પ્રાર્થના વિદ્યાલયની 21મી વર્ષગાંઠ નિમિત્તે સુંદરકાંડ
calendar_today September 8, 2026

ભરૂચની પ્રાર્થના વિદ્યાલયની 21મી વર્ષગાંઠ નિમિત્તે સુંદરકાંડ

ભરૂચ : પ્રાર્થના વિદ્યાલય પોતાની સફળતાના 20 વર્ષ પુર્ણ કરીને 21 માં વર્ષમાં મંગેલ પ્રવેશ કરી ચૂકી છે ત્યારે સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્રમો થકી ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે જેના અનુસંધાનમાં તા.1-9-26 ના રોજ પ્રાર્થના વિદ્યાલયની 21 મી વર્ષગાંઠના પાવન અવસર તથા ભક્તિમય શ્રાવણ માસ નિમિત્તે શાળાના પટાંગણમાં સંગીતમય સુંદર કાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ નિમિત્તે ભરૂચ જિલ્લા ક્રિકેટ એસો.ના ટ્રેઝરર કિર્તીભાઈ શાહ, નારાયણ વિદ્યાવિહાર સ્કુલના આચાર્ય ડો.મહેશભાઈ ઠાકર અને ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય ગોવિંદભાઈ પાટણવાડીયા ઉપસ્થિત રહ્યા હતા.ઉપરાંત શાળાના મેનેજીંગ ટ્રસ્ટી જિજ્ઞેશભાઈ પટેલ, ટ્રસ્ટી ધર્મિષ્ઠાબેન પટેલ તથા ડો.માર્ગીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આયોજીત કાર્યક્રમમાં જય અંબે કલાવૃંદના ગાયક સંદિપભાઈ પુરાણી તથા અન્ય સભ્યોએ તેમના મધુર અવાજ અને મંત્રોચ્ચાર થકી શાળાના સમગ્ર વાતાવરણને ભક્તિમય અને સકારાત્મક ઉર્જાથી ભરી દીધુ હતુ. આ કાર્યક્રમમાં શાળાના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના 1250 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. શાળાના આચાર્ય શ્રુંતિબેન પટેલના માર્ગદર્શન હેઠળ સુંદર કાંડના પાઠ યોજાયા હતાં. આ નિમિત્તે શાળાના વાલીઓ અને ભૂતપુર્વ વિદ્યાર્થીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward