android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
તક્ષશિલા વિદ્યાલયમાં જન્માષ્ટમીની ઉજવણી
calendar_today September 8, 2026

તક્ષશિલા વિદ્યાલયમાં જન્માષ્ટમીની ઉજવણી

અંકલેશ્વર : નવા બોરભાઠા ખાતે આવેલી તક્ષશિલા વિદ્યાલયમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સમગ્ર વાતાવરણને કૃષ્ણમય બનાવી દીધું હતું. બાળ ભવનથી લઈને ઉચ્ચતર માધ્યમિક વિભાગ સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી. નાના ભૂલકાઓએ સુંદર વેશભૂષા ધારણ કરી સૌનું મન મોહી લીધું હતું. વિદ્યાર્થીઓ દ્વારા શ્લોક પઠન તેમજ ભગવાન શ્રીકૃષ્ણની બાળલીલાઓ આધારિત વિવિધ ગીતો પર મનમોહક નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અતિથી વિશેષ બ્રહ્મકુમારીઝ સંસ્થાનના નીમા કુમારી તથા શાળાના પ્રમુખ ગુમાનભાઈ પટેલ , ચેરમેન વિમલભાઈ પાઠક ઉપસ્થિત રહ્યા હતાં.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
ભરૂચ જિલ્લાના શ્રોષ્ઠ શિક્ષક તરીકે ઝઘડિયાના નિરવ પટેલની પસંદગી
calendar_today September 8, 2026

ભરૂચ જિલ્લાના શ્રોષ્ઠ શિક્ષક તરીકે ઝઘડિયાના નિરવ પટેલની પસંદગી

ઝઘડિયા : ઝઘડિયા તાલુકાના અંતરિયાળ વિસ્તારના મોરતલાવ ગામની પ્રાથમિક શાળાના ગણિત અને વિજ્ઞાનના શિક્ષક નિરવ પટેલની ઉતકૃષ્ટ કામગીરી બદલ ભરૂચ જિલ્લાના શ્રોષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરાઈ છે. શિક્ષકદિને તેઓને નોકરીમાં પણ પંદર વર્ષ પુર્ણ થયા હોઈ તેઓને જિલ્લાના શ્રોષ્ઠ શિક્ષક તરીકે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ડી.ઇ.ઓ, ડીપીઈઓની ઉપસ્થિતિમાં સન્માન કરાયું હતું. તેઓની નિમણુંક વર્ષ 2011માં તા.5 સપ્ટેમ્બરે થઇ હતી. તેઓએ શાળાના સ્ટાફ્ સાથે મળીને બાળકોને ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેવા પ્રેરણા આપી અને સરકારી-ખાનગી અને ઈંગલીશ મિડિયમ શાળાઓના બાળકો સામે પ્રતિસ્પર્ધા કરીને આ શાળા છેલ્લા 15 વર્ષમાં આઠ વાર સ્ટેટ લેવલ અને બે વાર નેશનલ લેવલ દિલ્હી સાયન્સ ફેર સુધી પહોચી છે. રમત ગમત અને 21 કિ.મી મેરાથોનનો પણ શોખ હોઈ બાળકોને ખો-ખો અને કબડ્ડી માટે તૈયાર કર્યા હતા. આ રમતમાં પણ શાળાના બાળકો બે વાર ઝોન લેવેલ અને એક વાર સ્ટેટ લેવલ સુધી પહોચ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
શ્રેષ્ઠ શિક્ષકોનું જિલ્લા અને તાલુકા કક્ષાના પારિતોષિકથી સન્માન
calendar_today September 8, 2026

શ્રેષ્ઠ શિક્ષકોનું જિલ્લા અને તાલુકા કક્ષાના પારિતોષિકથી સન્માન

ભારતના પુર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ શિક્ષક દિન નિમિત્તે ભરૂચ જિલ્લામાં આત્મીય સંસ્કાર હોલ ભરૂચ ખાતે શ્રોષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો. જિલ્લા પંયત પ્રમુખ ડિમ્પલબા રાજના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના તેજસ્વી અને કર્મઠ શિક્ષકોને સન્માનિત કરાયા હતા.આ પ્રસંગે ઉપસ્થિત સૌ શિક્ષણગણને શિક્ષક દિનની શુભકામનાઓ પાઠવતા જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યુ હતુ કે, શિક્ષક એ માત્ર એક વ્યવસાય નથી પરંતુ સમાજ અને રાષ્ટ્રની સેવા કરવાનું પવિત્ર માધ્યમ છે. સમારોહ દરમ્યાન વર્ષ 2026 ના શ્રોષ્ઠ શિક્ષક પારિતોષિકોનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. જેમાં જિલ્લા કક્ષાએ પ્રાથમિક વિભાગમાં પ્રાથમિક શાળા મોરતલાવ, આ.શિ.શિક્ષક નિરવકુમાર દેવજીભાઈ પટેલ, માધ્યમિક વિભાગમાં ચંદ્રકાંત ઠાકોરભાઈ પ્રજાપતિ મદદનીશ શિક્ષક સરકારી માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળા ડેબાર અને મદદનીશ શિક્ષક જી.એન.એફ.સી. નર્મદા વિદ્યાલય સંજયકુમાર મગનભાઈ સુવાગિયાને સન્માનિત કરાયા હતા. ઉપરાંત તાલુકા કક્ષાએ પ્રાથમિક શાળા નોબારીયા, અંકલેશ્વર નમ્રતાબેન કેશવલાલ બારૈયા અને રેલ્વે વિસ્તાર પ્રા.મિ.શા.જંબુસર, પ્રાથમિક શાળાના શિક્ષિકા નશીમાબેન યુસુફ મુન્શીને પણ પારિતોષિક અને પ્રમાણપત્ર આપીને બિરદાવાયા હતા. વિષયમાં 100 ટકા રિઝલ્ટ લાવતા, સ્પર્ધાત્મક પરીક્ષામાં સારૂ પરિણામ લાવતા, વ્યકિતગત સિદ્ધિઓ ધરાવતા પ્રતિભાશાળી શિક્ષકો અને પ્રતિભાશાળી બાળકો ધરાવતી શાળાઓના શિક્ષકોને પણ અભિનંદન પત્ર એનાયત કરાયા હતા. કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન કર્મિશા પટેલ, નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, નગર પાલિકા શિક્ષણ સમિતિના ગણેશ અગ્રવાલ, મગન પટેલ, શિક્ષણ વિભાગના અધિકારી-કર્મચારીઓ સહિત શિક્ષણ જગતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward