android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
ભરૂચની પ્રાર્થના વિદ્યાલયની 21મી વર્ષગાંઠ નિમિત્તે સુંદરકાંડ
calendar_today September 8, 2026

ભરૂચની પ્રાર્થના વિદ્યાલયની 21મી વર્ષગાંઠ નિમિત્તે સુંદરકાંડ

ભરૂચ : પ્રાર્થના વિદ્યાલય પોતાની સફળતાના 20 વર્ષ પુર્ણ કરીને 21 માં વર્ષમાં મંગેલ પ્રવેશ કરી ચૂકી છે ત્યારે સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્રમો થકી ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે જેના અનુસંધાનમાં તા.1-9-26 ના રોજ પ્રાર્થના વિદ્યાલયની 21 મી વર્ષગાંઠના પાવન અવસર તથા ભક્તિમય શ્રાવણ માસ નિમિત્તે શાળાના પટાંગણમાં સંગીતમય સુંદર કાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ નિમિત્તે ભરૂચ જિલ્લા ક્રિકેટ એસો.ના ટ્રેઝરર કિર્તીભાઈ શાહ, નારાયણ વિદ્યાવિહાર સ્કુલના આચાર્ય ડો.મહેશભાઈ ઠાકર અને ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય ગોવિંદભાઈ પાટણવાડીયા ઉપસ્થિત રહ્યા હતા.ઉપરાંત શાળાના મેનેજીંગ ટ્રસ્ટી જિજ્ઞેશભાઈ પટેલ, ટ્રસ્ટી ધર્મિષ્ઠાબેન પટેલ તથા ડો.માર્ગીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આયોજીત કાર્યક્રમમાં જય અંબે કલાવૃંદના ગાયક સંદિપભાઈ પુરાણી તથા અન્ય સભ્યોએ તેમના મધુર અવાજ અને મંત્રોચ્ચાર થકી શાળાના સમગ્ર વાતાવરણને ભક્તિમય અને સકારાત્મક ઉર્જાથી ભરી દીધુ હતુ. આ કાર્યક્રમમાં શાળાના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના 1250 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. શાળાના આચાર્ય શ્રુંતિબેન પટેલના માર્ગદર્શન હેઠળ સુંદર કાંડના પાઠ યોજાયા હતાં. આ નિમિત્તે શાળાના વાલીઓ અને ભૂતપુર્વ વિદ્યાર્થીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
તક્ષશિલા વિદ્યાલયમાં જન્માષ્ટમીની ઉજવણી
calendar_today September 8, 2026

તક્ષશિલા વિદ્યાલયમાં જન્માષ્ટમીની ઉજવણી

અંકલેશ્વર : નવા બોરભાઠા ખાતે આવેલી તક્ષશિલા વિદ્યાલયમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સમગ્ર વાતાવરણને કૃષ્ણમય બનાવી દીધું હતું. બાળ ભવનથી લઈને ઉચ્ચતર માધ્યમિક વિભાગ સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી. નાના ભૂલકાઓએ સુંદર વેશભૂષા ધારણ કરી સૌનું મન મોહી લીધું હતું. વિદ્યાર્થીઓ દ્વારા શ્લોક પઠન તેમજ ભગવાન શ્રીકૃષ્ણની બાળલીલાઓ આધારિત વિવિધ ગીતો પર મનમોહક નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અતિથી વિશેષ બ્રહ્મકુમારીઝ સંસ્થાનના નીમા કુમારી તથા શાળાના પ્રમુખ ગુમાનભાઈ પટેલ , ચેરમેન વિમલભાઈ પાઠક ઉપસ્થિત રહ્યા હતાં.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
ભરૂચ જિલ્લાના શ્રોષ્ઠ શિક્ષક તરીકે ઝઘડિયાના નિરવ પટેલની પસંદગી
calendar_today September 8, 2026

ભરૂચ જિલ્લાના શ્રોષ્ઠ શિક્ષક તરીકે ઝઘડિયાના નિરવ પટેલની પસંદગી

ઝઘડિયા : ઝઘડિયા તાલુકાના અંતરિયાળ વિસ્તારના મોરતલાવ ગામની પ્રાથમિક શાળાના ગણિત અને વિજ્ઞાનના શિક્ષક નિરવ પટેલની ઉતકૃષ્ટ કામગીરી બદલ ભરૂચ જિલ્લાના શ્રોષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરાઈ છે. શિક્ષકદિને તેઓને નોકરીમાં પણ પંદર વર્ષ પુર્ણ થયા હોઈ તેઓને જિલ્લાના શ્રોષ્ઠ શિક્ષક તરીકે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ડી.ઇ.ઓ, ડીપીઈઓની ઉપસ્થિતિમાં સન્માન કરાયું હતું. તેઓની નિમણુંક વર્ષ 2011માં તા.5 સપ્ટેમ્બરે થઇ હતી. તેઓએ શાળાના સ્ટાફ્ સાથે મળીને બાળકોને ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેવા પ્રેરણા આપી અને સરકારી-ખાનગી અને ઈંગલીશ મિડિયમ શાળાઓના બાળકો સામે પ્રતિસ્પર્ધા કરીને આ શાળા છેલ્લા 15 વર્ષમાં આઠ વાર સ્ટેટ લેવલ અને બે વાર નેશનલ લેવલ દિલ્હી સાયન્સ ફેર સુધી પહોચી છે. રમત ગમત અને 21 કિ.મી મેરાથોનનો પણ શોખ હોઈ બાળકોને ખો-ખો અને કબડ્ડી માટે તૈયાર કર્યા હતા. આ રમતમાં પણ શાળાના બાળકો બે વાર ઝોન લેવેલ અને એક વાર સ્ટેટ લેવલ સુધી પહોચ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward