android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
શ્રેષ્ઠ શિક્ષકોનું જિલ્લા અને તાલુકા કક્ષાના પારિતોષિકથી સન્માન
calendar_today September 8, 2026

શ્રેષ્ઠ શિક્ષકોનું જિલ્લા અને તાલુકા કક્ષાના પારિતોષિકથી સન્માન

ભારતના પુર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ શિક્ષક દિન નિમિત્તે ભરૂચ જિલ્લામાં આત્મીય સંસ્કાર હોલ ભરૂચ ખાતે શ્રોષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો. જિલ્લા પંયત પ્રમુખ ડિમ્પલબા રાજના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના તેજસ્વી અને કર્મઠ શિક્ષકોને સન્માનિત કરાયા હતા.આ પ્રસંગે ઉપસ્થિત સૌ શિક્ષણગણને શિક્ષક દિનની શુભકામનાઓ પાઠવતા જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યુ હતુ કે, શિક્ષક એ માત્ર એક વ્યવસાય નથી પરંતુ સમાજ અને રાષ્ટ્રની સેવા કરવાનું પવિત્ર માધ્યમ છે. સમારોહ દરમ્યાન વર્ષ 2026 ના શ્રોષ્ઠ શિક્ષક પારિતોષિકોનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. જેમાં જિલ્લા કક્ષાએ પ્રાથમિક વિભાગમાં પ્રાથમિક શાળા મોરતલાવ, આ.શિ.શિક્ષક નિરવકુમાર દેવજીભાઈ પટેલ, માધ્યમિક વિભાગમાં ચંદ્રકાંત ઠાકોરભાઈ પ્રજાપતિ મદદનીશ શિક્ષક સરકારી માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળા ડેબાર અને મદદનીશ શિક્ષક જી.એન.એફ.સી. નર્મદા વિદ્યાલય સંજયકુમાર મગનભાઈ સુવાગિયાને સન્માનિત કરાયા હતા. ઉપરાંત તાલુકા કક્ષાએ પ્રાથમિક શાળા નોબારીયા, અંકલેશ્વર નમ્રતાબેન કેશવલાલ બારૈયા અને રેલ્વે વિસ્તાર પ્રા.મિ.શા.જંબુસર, પ્રાથમિક શાળાના શિક્ષિકા નશીમાબેન યુસુફ મુન્શીને પણ પારિતોષિક અને પ્રમાણપત્ર આપીને બિરદાવાયા હતા. વિષયમાં 100 ટકા રિઝલ્ટ લાવતા, સ્પર્ધાત્મક પરીક્ષામાં સારૂ પરિણામ લાવતા, વ્યકિતગત સિદ્ધિઓ ધરાવતા પ્રતિભાશાળી શિક્ષકો અને પ્રતિભાશાળી બાળકો ધરાવતી શાળાઓના શિક્ષકોને પણ અભિનંદન પત્ર એનાયત કરાયા હતા. કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન કર્મિશા પટેલ, નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, નગર પાલિકા શિક્ષણ સમિતિના ગણેશ અગ્રવાલ, મગન પટેલ, શિક્ષણ વિભાગના અધિકારી-કર્મચારીઓ સહિત શિક્ષણ જગતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
નાગરિકો સુધી સરકારી યોજનાનો લાભ પહોંચાડવા મેગા કૅમ્પ યોજાયો
calendar_today September 8, 2026

નાગરિકો સુધી સરકારી યોજનાનો લાભ પહોંચાડવા મેગા કૅમ્પ યોજાયો

નાગરિકો સુધી કાનુની સહાય અને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભો સરળતાથી પહોંચી શકે તે હેતુથી જિલ્લા કાનુની સેવા સત્તામંડળ ભરૂચ તથા જિલ્લા વહીવટી તંત્ર ભરૂચના સંયુકત ઉપક્રમે ગુજરાત રાજય કાનુની સેવા સત્તામંડળના એક્ઝિકયુટીવ ચેરમેન જસ્ટિસ એ.વાય. કોગજેના અધ્યક્ષસ્થાને રોટરી કલબ ભરૂચ ખાતે મેગા કેમ્પ યોજાયો હતો.આ કેમ્પ દરમ્યાન રાષ્ટ્રીય કાનુની સેવા સત્તામંડળ (નાલ્સા) ની વિવિધ યોજનાઓ તેમજ રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રતિકાત્મક પ્રમાણપત્રો અને લાભોનું વિતરણ કરાયુ હતુ. કાર્યક્રમ બાદ જસ્ટીસ તથા ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ સરકારી વિભાગો દ્વારા બનાવાયેલા પ્રદર્શન સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ગુજરાત રાજય કાનુની સેવા સત્તામંડળના એક્ઝિકયુટીવ ચેરમેન એ.વાય. કોગજેએ જણાવ્યું હતુ કે, નાલ્સાએ રાષ્ટ્રીય સ્તરની સંસ્થા છે જે નવી દિલ્હી ખાતેથી કાર્ય કરે છે. સરકારની સમાજના કલ્યાણ માટેની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચવા માટે સમાજ અને સરકારી યોજનાઓ વચ્ચે કડીરૂપ બનીને કામ કરતી સૌથી મહત્વપુર્ણ વ્યકિત જો કોઈ હોય, તો તે છે પેરા લીગલ વોલન્ટિયર્સ આ પેરા લીગલ વોન્ટિયર્સ બીજું કોઈ નહી. જયારે પણ કોઈ વ્યકિત પર સંકટ કે મુશ્કેલી આવે ત્યારે તેમને એ ખબર હોવી જોઈએ કે મદદ માટે કયો દરવાજો ખટખટાવવો. વોલન્ટિયર્સ એ દરવાજો ખટખટાવવામાં સામાન્ય માણસની પુરેપુરી મદદ કરે છે. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ જે.આર.શાહ, ડીએલએસએ સેક્રેટરી પી.પી.મોકશી, જિલ્લા પોલીસ અધિકક્ષ અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેકટર આર.બી.ભોગયતા, પ્રાંત અધિકારી મનિષ મનાણી, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, કાનુની સેવા સત્તામંડળના સભ્યો, પેરા લીગલ વોલન્ટિયર્સ તેમજ સ્થાનિક નાગરિકો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
દીપડાને પાંજરે પૂરવા માટે વન વિભાગની કવાયતઃ ફરી પાંજરા ગોઠવવામાં આવ્યા
calendar_today September 7, 2026

દીપડાને પાંજરે પૂરવા માટે વન વિભાગની કવાયતઃ ફરી પાંજરા ગોઠવવામાં આવ્યા

માળિયા હાટીનામાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના આંટાફેરાએ સ્થાનિક લોકોની ઊંઘ હરામ કરી દીધી છે. બે દિવસ પહેલા સાતમના તહેવારના દિવસે સમી સાંજે ભરચક એવા લીમડા ચોક વિસ્તારમાં અચાનક દીપડો આવી ચડતા લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ આર.એફ્.ઓ. અને વન વિભાગની ટીમે તાત્કાલિક દોડી જઈને દીપડાને પકડવા માટે આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું. પરંતુ આ ચતુર અને કાબેલ દીપડો વન વિભાગને થાપ આપીને એક જગ્યાએથી બીજી જગ્યાએ અને ત્યાંથી ત્રીજી જગ્યાએ નાસી છૂટવામાં સફ્ળ રહ્યો હતો. વન વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવા છતાં દીપડો હાથમાં આવ્યો ન હતો. દીપડો રહેણાંક વિસ્તારમાં હોવાથી લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વન વિભાગે હવે કટલેરી બજારમાં આવેલ ચામુંડા માતાજીના મંદિર પાસે અને લીમડા ચોકમાં ત્રીજી વખત પાંજરું ગોઠવ્યું છે. આટલી કવાયત અને મહેનત બાદ પણ આ ચાલાક દીપડો પાંજરામાં પુરાતો નથી. વન વિભાગની ટીમ દીપડાને વહેલી તકે પાંજરે પૂરવા માટે રાત-દિવસ એક કરી રહી છે. લોકો પણ વહેલી તકે આ દીપડો પકડાય અને ભયમુક્ત વાતાવરણ સર્જાય તેની રાહ જોઈ રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward