android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
1200થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રા માં પર્વાધિરાજ પર્યુષણનો મંગલ પ્રારંભ : 260થી વધુ જૈન સંઘોમાં આરાધના
calendar_today September 7, 2026

1200થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રા માં પર્વાધિરાજ પર્યુષણનો મંગલ પ્રારંભ : 260થી વધુ જૈન સંઘોમાં આરાધના

જૈન ધર્મના મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણનો શુભારંભ થયો છે. પુણ્યનું પોષણ અને પાપનું શોષણ કરતું આ પર્વ આઠ દિવસનું હોય છે. પર્યુષણ શબ્દમાં 'પરિ' એટલે ચારેય બાજુથી સારી રીતે અને 'ઉષણ' એટલે કે આરાધના તથા આત્મશુદ્ધિ માટે એક સાથે રહેવું. પર્યુષણનો સંદેશ આત્માની નજીક રહેવાનો અને જગતભરના જીવો સાથે મૈત્રી સાધવાનો છે. પર્યુષણમાં જૈનો તપ, જપ અને પૌષધ આદરે છે તેમજ આઠેય દિવસ અહિંસાનું ચુસ્તપણે પાલન કરે છે. પર્યુષણ દરમિયાન મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ સવાર-સાંજ પ્રતિક્રમણ કરતા હોય છે. પુણ્યનું પોષણ અને આત્મશુદ્ધિનું આ પર્વ જિનશાસનની અત્યંત ભવ્ય પરંપરા છે.પ્રથમ ત્રણ દિવસ 'અષ્ટાન્હિકા' ગ્રંથ પર પ્રવચનો થાય છે, જેમાં શ્રાાવકના પર્યુષણના પાંચ કર્તવ્ય, વાર્ષિક 11 કર્તવ્ય અને પૌષધ વ્રત પર વિવેચન કરવામાં આવે છે. ચોથા દિવસથી કલ્પસૂત્રના વાંચનનો પ્રારંભ થાય છે. સળંગ ચાર દિવસ સવાર-સાંજ મળી કુલ 8 વ્યાખ્યાનો દ્વારા કલ્પસૂત્રનું વાંચન પૂર્ણ થાય છે, જેમાં સાધુ ભગવંતોના આચારો તથા ભગવાન મહાવીર સ્વામીનું વિસ્તૃત જીવન ચરિત્ર સમજાવવામાં આવે છે. પાંચમા દિવસે તા. 12 સપ્ટેમ્બરે પ્રભુ મહાવીર સ્વામીના જન્મવાંચનનો મહોત્સવ ઉજવાય છે. પ્રભુજીની માતા ત્રિશલા દેવીને આવેલાં ચૌદ મહાસ્વપ્નોનાં દર્શન સકળ સંઘને કરાવવામાં આવે છે અને પ્રભુજીને પારણે ઝુલાવવામાં આવે છે.આઠ દિવસના આ મહાપર્વમાં પ્રથમ સાત દિવસ આરાધનાના છે, જ્યારે આઠમો દિવસ સિદ્ધિનો એટલે કે ક્ષમારૂપી ધર્મની સિદ્ધિનો છે. આઠમા દિવસે સમગ્ર કલ્પસૂત્ર-બારસાસૂત્રના મૂળપાઠનું મંત્રતુલ્ય શ્રાવણ જૈનો પૂર્ણ શ્રાદ્ધાપૂર્વક કરે છે. ત્યારબાદ સંવત્સરી પ્રતિક્રમણ થાય છે. પ્રત્યેક જૈન પોતાના મન, વચન અને કાયાથી કોઈ જીવ કે વ્યક્તિનું મન દુભાવ્યું હોય તો 'મિચ્છામિ દુક્કડં' કહી હૃદયપૂર્વક ક્ષમાયાચના કરે છે, જ્યારે સામા પક્ષે કોઈ ભૂલનો એકરાર કરી ક્ષમા માંગે તો તેને પ્રેમપૂર્વક સ્વીકારી ક્ષમા આપે છે.પર્યુષણ અંગે વધુ માહિતી આપતાં જૈન યુવક મહાસંઘના ભદ્રેશ શાહે જણાવ્યું કે આ વર્ષે પર્યુષણ પર્વનો અનેરો ઉત્સાહ રાજનગરમાં વર્તાઈ રહ્યો છે. 260થી વધારે જૈન સંઘોમાં આ વર્ષે તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજ, ગચ્છાધિપતિ આચાર્ય નરદેવસાગરસૂરીશ્વરજી, ગચ્છાધિપતિ આચાર્ય નરરત્નસૂરીશ્વરજી, ગચ્છાધિપતિ આચાર્ય કુલચંદ્રસૂરીશ્વરજી, ગચ્છાધિપતિ ડૉ. આચાર્ય હેમચંદ્રસૂરીશ્વરજી તથા 45થી વધુ પ્રભાવક જૈનાચાર્યો અને 1200થી અધિક સાધુ-સાધ્વીજી ભગવંતોની પાવનકારી નિશ્રા મળી રહી છે. પ્રત્યેક સંઘમાં ભાવિકો અઠ્ઠાઈ (8 ઉપવાસ), 16 ઉપવાસ, સિદ્ધિતપ અને માસક્ષમણ (30 ઉપવાસ) જેવી કઠોર તપશ્ચર્યાઓ મોટા પાયે કરી રહ્યા છે. બાર-બાર મહિનાથી વેર-ઝેર, રાગ-દ્વેષ, ઈર્ષ્યા અને નિંદાના કાદવથી ખરડાયેલા આત્માને પર્વાધિરાજ પર્વની આરાધના શુદ્ધ-બુદ્ધ બનાવે છે. સારી રીતે અને સાચી રીતે આરાધેલા આ પર્વને ભગવાન મહાવીરે અતિ મહાન ગણાવ્યું છે. ઉપમા આપતાં શાસ્ત્ર્રોમાં કહેવાયું છેઃ 'નમસ્કારમાં જેમ નવકાર મંત્ર મોટો છે, તીર્થોમાં જેમ શત્રુંજય મહાતીર્થ મોટું છે, દાનમાં અભયદાન મહાન છે, ધ્યાનમાં શુક્લધ્યાન ઉત્તમ છે, રત્નોમાં ચિંતામણિ રત્ન શ્રોષ્ઠ છે, તેમ તમામ પર્વોમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વ સર્વોપરી છે.'ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
ડાઇનેમિક અચીવર્સ માટે ડિઝાઈન કરેલ નવી આકર્ષક બલેનો સાથે 'ડેર ટૂ ગો ગ્લેમ' માટે તૈયાર રહો
calendar_today September 7, 2026

ડાઇનેમિક અચીવર્સ માટે ડિઝાઈન કરેલ નવી આકર્ષક બલેનો સાથે 'ડેર ટૂ ગો ગ્લેમ' માટે તૈયાર રહો

મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડે આકર્ષક યુવાઓ, મહત્ત્વાકાંક્ષી અર્બન અચીવર્સ જે તેમનું જીવન તેમના અંદાજમાં જ જીવે છે તેમના માટે નવી આકર્ષક બલેનો તૈયાર કરી છે. તેને 'ડેર ટૂ ગો ગ્લેમ'ની ફિલોસોફી સાથે વિકસિત કરવામાં આવેલ એવી પ્રોગ્રેસિવ ડિઝાઇનવાળી પ્રીમિયમ હેચબેક છે. સુરક્ષા અને સુવિધા એમ બંને દૃષ્ટિએ તેને વધુ સુગમ કરવામાં આવેલ છે. આ નવી બલેનોને પ્રસ્તુત કરતી વેળાએ શ્રી પાર્થો બેનરજી, સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર, માર્કેટિંગ અને સેલ્સ, મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ જણાવે છે કે, આ બલેનો એ એક દાયકા કરતા વધુ સમયથી નેક્સા માટે આધારસ્તંભ છે અને પ્રીમિયમ હેચબેક છે. તે લેવલ 2 એડીએએસ જેવા સેગમેન્ટમાં પ્રથમ વખત પ્રારંભ સાથે ગ્રાહકોની સુરક્ષા અને સુવિધાને વધુ સુનિશ્ચિત કરે છે. તે એડવાન્સ્ડ ઝેડ12ઈ પાવરટ્રેન સાથે 5-સ્પીડ મેન્યુઅલ અને એજીએસ ઓટોમેટિક ટ્રાન્સમિશન વિકલ્પ પૂરા પાડે છે. તેની એક્સ શોરૂમ કિંમત રૂ. 6,09,900 છે અને તેનું બુકિંગ હાલમાં માત્ર 11,000 રૂપિયા ભરી કરી શકાશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (ઈન્ડિયા) લિમિટેડનો આઈપીઓ બુધવાર, 9 સપ્ટેમ્બર, 2026ના રોજ ખુલશે
calendar_today September 7, 2026

એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (ઈન્ડિયા) લિમિટેડનો આઈપીઓ બુધવાર, 9 સપ્ટેમ્બર, 2026ના રોજ ખુલશે

અમદાવાદ : એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (ઈન્ડિયા) લિમિટેડ બુધવાર, 9 સપ્ટેમ્બર, 2026ના રોજ રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા તેના ઇક્વિટી શેરનો આઈપીઓ શરૂ કરવાની દરખાસ્ત ધરાવે છે. એન્કર ઇન્વેસ્ટર માટે બિડીંગની તારીખ બિડ/ઓફર શરૂ થવાની તારીખના કામકાજના એક દિવસ પહેલા એટલે કે મંગળવાર, 8 સપ્ટેમ્બર, 2026 છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026 છે. ઓફર માટેનો પ્રાઇઝ બેન્ડ રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેર માટે રૂ. 132થી રૂ. 139 નક્કી કરવામાં આવ્યો છે. બિડ રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઓછામાં ઓછા 107 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા 107 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward