સોનગઢમાં સુન્ની સમાજના કબ્રસ્તાનનો વહીવટ મનસ્વી ઢબે થતો હોવાની રાવ
સોનગઢમાં સુન્ની મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન અને મસ્જિદના વહીવટને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે. ગત 31 ઓગસ્ટના રોજ એક દફ્નવિધિ સમયે થયેલો હુમલો અને કબ્રસ્તાન પર કથિત ગેરકાયદે કબજા સામે સમાજ દ્વારા કલેક્ટર, એસ.પી. અને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરાઈ છે.કલેકટરથી થયેલી રજૂઆતમાં આક્ષેપ કરાયો છે કે સલીમુલ્લાહ મુલ્લાં અને ફારુખ મન્સૂરી દ્વારા છેલ્લા 37 વર્ષથી કોઈ કાયદેસર પુરાવા વગર મનમાનીથી વહીવટ ચલાવાઈ રહ્યો છે અને કબરસ્તાનની પવિત્રતા ભંગ કરાઈ રહી છે. 31 ઓગસ્ટની રાત્રે જનાજો દફ્નવિધિ માટે પહોંચતા જ પૂર્વઆયોજિત કાવતરા હેઠળ લાકડા અને લોખંડના પાઇપથી હુમલો કરાયો હતો, જેમાં સઈદ રસિદ ખાટીક ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. તેમ છતાં હુમલાખોરો સામે સામાન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે. હત્યાના પ્રયાસની કલમ 109 હજુ સુધી ઉમેરાઈ નથી. જેથી સુન્ની મુસ્લિમ સમાજે ફારુખ મન્સૂરી સહિતના આરોપીઓ સામે કલમ 109 ઉમેરવા, એસ.આઈ.ટી. દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેમજ કબ્રસ્તાનનો વહીવટ તથા આવકની તપાસ કરવા માગ કરાઈ છે. જ્યારે સામે પક્ષે પણ જુના ગામ જુમા મસ્જિદના મુસ્લિમ સમાજના પ્રમુખ સલીમ મુલાએ જિલ્લા કલેક્ટર સહિત તાપી પોલીસને આવેદનપત્ર આપ્યું હતુ. જેમાં બંને આરોપીઓને પાસા (PASA) હેઠળ જેલમાં ધકેલી કડક પગલાં ભરવા અને સોનગઢમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા આવશ્યક પગલાં લેવા માંગ કરાઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward