android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar: ફુલસરમાં મહિલાનો ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યો મૃતદેહ, પરિવારજનોએ લગાવ્યો હત્યાનો ગંભીર આરોપ
calendar_today August 28, 2026

Bhavnagar: ફુલસરમાં મહિલાનો ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યો મૃતદેહ, પરિવારજનોએ લગાવ્યો હત્યાનો ગંભીર આરોપ

ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં શ્વેતાબા ગોહિલ નામના મહિલાનો પોતાના જ ઘરમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની તપાસ શરૂ કરી હતી.ભાવનગરમાં પરણિતાનું રહસ્યમય મોતપ્રાથમિક દ્રષ્ટિએ આ બનાવ આપઘાતનો લાગતો હોવા છતાં, મૃતક મહિલા શ્વેતાબાના પીઅર પક્ષ અને પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બનાવ અંગે વિરોધ દર્શાવ્યો હતો. પરિવારે સ્પષ્ટ આરોપ લગાવ્યો છે કે શ્વેતાબાએ આપઘાત કર્યો નથી પરંતુ તેમની હત્યા કરવામાં આવી છે. આ કેસમાં પરિવારજનોએ એક ચોંકાવનારો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે મૃતક મહિલાના પતિના આ બીજા લગ્ન હતા. આ અગાઉ ભૂતકાળમાં પણ પતિની પહેલી પત્નીની લાશ પણ આ જ રીતે રહસ્યમય સંજોગોમાં અને આ જ હાલતમાં મળી આવી હતી. એક જ પરિવારમાં બંને પત્નીઓના આ જ પ્રકારે શંકાસ્પદ મોત થતાં પરિવારનો શંકાનો કાંટો પતિ અને સાસરિયાં તરફ વળ્યો છે.પરિવારજનોએ લગાવ્યો હત્યાનો આરોપમૃતકના પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે સમગ્ર મામલાની તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને દીકરીને ન્યાય મળવો જોઈએ. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો છે. ફોરેન્સિક પીએમ (FSL) રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. હાલ પોલીસે પરિવારના નિવેદનો નોંધીને આગળની તપાસ ધરી છે.આ પણ વાંચો: Bhavnagar: PMAY ના 61 મકાનો ભાડે આપી દેવાતાં મનપાની લાલ આંખ, નોટિસ આપી સીલ કરવાની કાર્યવાહી

Read Full Story arrow_forward
India News: દેશભરમાંથી ભાજપના 45 નેતાઓને દિલ્હીથી તેડું, પાર્ટી પ્રમુખની અધ્યક્ષતામાં બેઠક યોજાશે
calendar_today August 28, 2026

India News: દેશભરમાંથી ભાજપના 45 નેતાઓને દિલ્હીથી તેડું, પાર્ટી પ્રમુખની અધ્યક્ષતામાં બેઠક યોજાશે

દેશના યુવાનોના વર્તમાન પ્રશ્નો તેમની બદલાતી માનસિકતા અને ભવિષ્યની જરૂરિયાતોને સમજીને પાર્ટીની વ્યૂહરચના ઘડી કાઢવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન દ્વારા આવતીકાલે,29 ઓગસ્ટના રોજ નવી દિલ્હી સ્થિત પાર્ટીના મુખ્યાલય ખાતે વિશેષ બેઠક બોલાવવામાં આવી છે.સવારે 10:00 વાગ્યે નીતિન નવીનની અધ્યક્ષતામાં આ મંથન બેઠકની શરૂઆત થશે.આ બેઠકમાં ભાગ લેવા માટે દેશભરમાંથી પસંદગીના 45 પ્રભાવશાળી યુવા નેતાઓને દિલ્હી દરબારમાં બોલાવવામાં આવ્યા છે. મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા-વિચારણા કરવામાં આવશેપાર્ટી હાઈકમાન્ડ દ્વારા દરેક રાજ્યમાંથી બે થી ત્રણ પ્રતિનિધિઓની પસંદગી કરવામાં આવી છે.આ બેઠકમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે વડોદરાના સાંસદ હેમાંગ જોશી દિલ્હી પહોંચશે અને રાજ્યના યુવાનોનો અવાજ રજૂ કરશે.આ બેઠકનો મુખ્ય હેતુ દેશના યુવાનોમાં આવી રહેલા માનસિક અને સામાજિક બદલાવને નજીકથી સમજવાનો છે.બેઠક દરમિયાન દેશમાં રોજગારની નવી તકો, ગુણવત્તાયુક્ત શિક્ષણ,કૌશલ્ય વિકાસ તેમજ દેશના વિકાસમાં યુવાનોની ભાગીદારી જેવા ગંભીર અને વર્તમાન ચિંતાજનક મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા-વિચારણા કરવામાં આવશે.ભાજપનો સ્પષ્ટ ઉદ્દેશ્ય એ જાણવાનો છે કે આજના યુવાનો કઈ બાબતોને અને કયા પ્રશ્નોને વધુ પ્રાથમિકતા આપે છે, જેથી તેમની સાથે વધુ અસરકારક, સકારાત્મક અને સાર્થક રીતે જોડાઈ શકાય.દિગ્ગજ અને લોકપ્રિય યુવા નેતાઓનો સમાવેશ આ મંથન બેઠક માટે આમંત્રણ મેળવનારા નેતાઓમાં યુવા વર્ગ સાથે સીધો અને મજબૂત સંપર્ક ધરાવતા ચહેરાઓને ખાસ પ્રાથમિકતા આપવામાં આવી છે.આમંત્રણ યાદીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, ગુજરાતના હેમાંગ જોશી, કેન્દ્રીય મંત્રી કમલેશ પાસવાન, પ્રખ્યાત સાંસદ રવિ કિશન, હરીશ દ્વિવેદી, કેન્દ્રીય રાજ્યમંત્રી રક્ષા ખડસે, ભાજપના રાષ્ટ્રીય સચિવ પંકજા મુંડે, પૂર્વ સાંસદ પૂનમ મહાજન, ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા અને સાંસદ રાજુ બિસ્તા જેવા દિગ્ગજ અને લોકપ્રિય યુવા નેતાઓનો સમાવેશ થાય છે.આગામી સમયમાં યુવાનોને પાર્ટી સાથે જોડવા અને તેમની આકાંક્ષાઓ મુજબ નીતિઓ ઘડવા માટે આ બેઠક અત્યંત નિર્ણાયક અને માર્ગદર્શક સાબિત થઈ શકે છે. આ પણ વાંચોઃ Ahmedabad News:મહારાષ્ટ્રના રાયગઢમાં CGSTના એડિશનલ કમિશનર સહિત 3ની 40 લાખની લાંચ કેસમાં ધરપકડ

Read Full Story arrow_forward
India: કર્ણાટકના મંત્રીએ 25 દિવસમાં જ રાજીનામું આપ્યું, કહ્યું દલિત હોવાથી મને નિશાન બનાવ્યો
calendar_today August 28, 2026

India: કર્ણાટકના મંત્રીએ 25 દિવસમાં જ રાજીનામું આપ્યું, કહ્યું દલિત હોવાથી મને નિશાન બનાવ્યો

કર્ણાટકના ચર્ચાસ્પદ મહર્ષિ વાલ્મીકિ અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ કૌભાંડમાં ઘેરાયેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા બી.નાગેન્દ્રે પોતાના પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે.કૌભાંડના ગંભીર આક્ષેપો અને વિપક્ષી પાર્ટી ભાજપના સતત પ્રહારો વચ્ચે તેમણે પોતાનું ત્યાગપત્ર સોંપવાનો નિર્ણય લીધો છે.રાજીનામાની જાહેરાત કરતી વખતે બી.નાગેન્દ્રે પોતાના પર લાગેલા આક્ષેપોને સખત શબ્દોમાં ફગાવી દીધા હતા.તેમણે સવાલ ઉઠાવતા કહ્યું કે,શું વાલ્મીકિ નિગમના કોઈ પણ નાણાકીય વ્યવહારમાં મારી ક્યાંય પણ સહી છે? મને માત્ર એટલા માટે જ નિશાન બનાવવામાં આવી રહ્યો છે કારણ કે હું દલિત સમાજમાંથી આવું છું.અસત્ય અને જૂઠાણાં ફેલાવવાનો આક્ષેપવિપક્ષ પર આકરા પ્રહારો કરતા નાગેન્દ્રે ઉમેર્યું હતું કે,મારા વિરુદ્ધ રોજબરોજ એક હજાર જેટલા અસત્ય અને જુઠાણા ફેલાવવામાં આવી રહ્યા છે.આ કૌભાંડમાં બેંકોની ભૂમિકા અંગે સવાલો ઉઠાવતા તેમણે જણાવ્યું કે,આ સમગ્ર મામલામાં બેંકો સામેલ હતી.જો બેંકોની સંલિપ્તતા હોય તો શું તેના માટે કેન્દ્રીય નાણામંત્રી જવાબદાર નથી? કર્ણાટકની જનતા આ બધું જ જોઈ રહી છે.આ સમગ્ર વિવાદની પૃષ્ઠભૂમિ પર નજર કરીએ તો,મે 2024માં નિગમના એકાઉન્ટ સુપરિન્ટેન્ડેન્ટ પી.ચંદ્રશેખરનની આત્મહત્યા બાદ 89.63 કરોડના ગેરકાયદેસર અને અનધિકૃત ટ્રાન્ઝેક્શનનો મોટો મામલો સામે આવ્યો હતો.તે સમયે આદિજાતિ કલ્યાણ મંત્રી તરીકે ફરજ બજાવતા નાગેન્દ્રે જૂન 2024માં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.વિપક્ષે તેમની સામે આક્રમક મૂડ અપનાવ્યોઆ કેસ બાદ 3 ઓગસ્ટ 2026ના રોજ તેમને યોજના અને આંકડાશાસ્ત્ર વિભાગ સોંપીને ફરીથી કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા.જોકે તેમને મંત્રીમંડળમાં પરત લેતાં જ વિપક્ષી પક્ષો ભાજપ અને જેડી(એસ)એ આક્રમક વલણ અપનાવ્યું હતું.બંને પક્ષોએ તેમના રાજીનામાની માંગ સાથે વિધાનસભાથી લઈને રસ્તા સુધી ઉગ્ર વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા હતા, એટલું જ નહીં 1 થી 10 સપ્ટેમ્બર દરમિયાન રાયચુરથી બલ્લારી સુધી પાદયાત્રા યોજવાની પણ જાહેરાત કરી દીધી હતી.વિપક્ષના સતત વધતા જતા દબાણ અને પરિસ્થિતિની ગંભીરતાને સમજીને આખરે નાગેન્દ્રે પોતે જ મંત્રીપદ છોડવાની જાહેરાત કરી દીધી. નાગેન્દ્રે જણાવ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર સાથે મુલાકાત કરશે અને તેમની સાથે ચર્ચા કર્યા બાદ એક પત્રકાર પરિષદ યોજીને વિધિવત રીતે પોતાનું રાજીનામું સોંપશે.આ પણ વાંચોઃ Nepal Flood: ચીન-નેપાળ સરહદે બનેલો લેક ભારત માટે ખતરો! શું 72 કલાકમાં આવશે નેપાળ જેવું પૂર?

Read Full Story arrow_forward