android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha News: કિંજલ રબારીનું અપહરણ થયુ નથી, તેણે જ અશોક ચૌધરીને બોલાવ્યો હતો : વકીલનું નિવેદન
calendar_today September 7, 2026

Banaskantha News: કિંજલ રબારીનું અપહરણ થયુ નથી, તેણે જ અશોક ચૌધરીને બોલાવ્યો હતો : વકીલનું નિવેદન

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા સીબીડી મોલ નજીકથી જાણીતી લોકગાયિકા કિંજલ રબારીનું અપહરણ થયું હોવાની ઘટના ગતરોજ બની હતી. બપોરના સમયે બ્લેક કલરની ગાડીમાં આવેલા કેટલાક અજાણ્યા શખ્સો ગાયિકા કિંજલ રબારીને ગાડીમાં બેસાડી અપહરણ કરી ગયા હોવાનો મેસેજ વહેતો થયો હતો. ત્યાર બાદ પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી. આ સમગ્ર હાઈવોલ્ટેજ ડ્રામામાં ગાયિકા કિંજલનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં તેણે ચોંકાવનારા ખુલાસા પણ કર્યા હતાં. તેણે કહ્યું હતું કે, અપહરણ કરી તેને ગોંધી રાખવામાં આવી હતી. કિંજલ રબારીના વકીલનું નિવેદનઆ કેસમાં હવે કિંજલ રબારીના વકીલ હીનાબેન ઠક્કરે પ્રતિક્રિયા આપતાં અપહરણના દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. વકીલના જણાવ્યા અનુસાર, કિંજલનું કોઈ અપહરણ થયું નથી પરંતુ તેણે પોતે જ અશોક ચૌધરીને ફોન કરીને બોલાવ્યો હતો અને સ્વેચ્છાએ કારનો દરવાજો ખોલીને તેની સાથે ગઈ હતી. વધુમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે કિંજલ અને અશોક ચૌધરીના લગ્ન કાયદેસર રીતે થયેલા છે. જ્યારે આ લગ્ન અંગેનો કેસ રાધનપુરની નામદાર કોર્ટમાં પેન્ડિંગ છે. વકીલે ઉમેર્યું હતું કે રબારી સમાજના યુવક સાથે કિંજલના કરાવાયેલા લગ્ન ગેરકાયદેસર છે અને આ સમગ્ર સત્ય હકીકત અંગે કિંજલે પોતે અમદાવાદ પોલીસ કમિશનરને પત્ર લખીને લેખિતમાં જાણ કરી દીધી છે.ગઈકાલના વીડિયોમાં કિંજલે શું કહ્યું હતુંગઈકાલે કિંજલ રબારીએ એક વીડિયો મારફતે જણાવ્યું હતું કે, મને ઘરે ગોંધી રાખવામાં આવી હતી અને પર પુરુષ સાથે મોકલી આપવામાં આવી હતી. ત્યાં તેમના જીવને ભારે જોખમ હોવાનું પણ તેમણે વીડિયોમાં જણાવ્યું છે. તમામ પરિસ્થિતિઓ વચ્ચે તેઓ સુરક્ષિત રીતે નીકળીને ફરીથી પોતાના પતિ પાસે પરત આવી ગયા છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને માલધારી એકતા સમિતિના અધ્યક્ષ નાગજીભાઈ દેસાઈએ કહ્યું હતું કે, સમાજના યુવાનોએ આ ઘટનામાં લાગણીમાં આવ્યા વગર દૂર રહેવું. સામાજિક આગેવાનો અને હોદ્દેદારોએ પણ આ વિવાદથી સંપૂર્ણ અંતર જાળવવું.આ પણ વાંચોઃ Ahmedabad: કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો; 'મને ગોંધી રખાઈ હતી, હવે હું પતિ પાસે પરત આવી ગઈ છું'

Read Full Story arrow_forward
Gujaratમાં સાર્વત્રિક સામાન્ય વરસાદની આગાહી: 3 સિસ્ટમ સક્રિય હોવા છતાં ભારે વરસાદની શક્યતા નહિવત
calendar_today September 7, 2026

Gujaratમાં સાર્વત્રિક સામાન્ય વરસાદની આગાહી: 3 સિસ્ટમ સક્રિય હોવા છતાં ભારે વરસાદની શક્યતા નહિવત

ગુજરાતમાં ચોમાસાની ઋતુ દરમિયાન હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક સામાન્ય વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે. હાલમાં રાજ્ય પર એકસાથે 3 અલગ-અલગ વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે, જેના કારણે આગામી દિવસોમાં વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. જોકે, આ સિસ્ટમોની તીવ્રતા ઓછી હોવાથી રાજ્યમાં હાલ પૂરતો ભારે કે અતિભારે વરસાદ પડે તેવી કોઈ શક્યતા સેવાઈ રહી નથી.વાદળછાયું વાતાવરણ અને સ્થાનિક આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સમગ્ર સપ્ટેમ્બર મહિના દરમિયાન રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ જળવાઈ રહેશે અને હળવો વરસાદ ચાલુ રહેશે. અમદાવાદ અને ગાંધીનગર જેવા પ્રમુખ શહેરી વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદને બદલે છૂટોછવાયો સામાન્ય વરસાદ નોંધાશે. મોટા ભાગના વિસ્તારોમાં વાદળોની ઘેરાબંધી વચ્ચે હળવી સરવડો પડવાથી વાતાવરણમાં શુષ્કતા અને ગરમીથી આંશિક રાહત મળશે.વરસાદની વર્તમાન સ્થિતિ અને ટકાવારીરાજ્યમાં ચોમાસાના આંકડાકીય સરવૈયા પર નજર કરીએ તો, 1 જૂનથી લઈને 7 સપ્ટેમ્બર સુધીના સમયગાળા દરમિયાન મોસમનો કુલ સરેરાશ વરસાદ થવો જોઈએ તેમાં હજુ પણ 4% જેટલી વરસાદી ઘટ જોવા મળી રહી છે. હવામાન નિષ્ણાતોના મતે સપ્ટેમ્બર મહિનામાં મળનારા સામાન્ય વરસાદી ઝાપટાંથી આ ઘટ અમુક અંશે ભરાઈ જશે, જેથી ખેતી અને જળાશયો માટે સ્થિતિ સાનુકૂળ બની રહેશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mahisagar News: ખાનપુરમાં વરસાદ ખેંચાતા ખેડૂતોનું આવેદન, 5 મુખ્ય માંગણી સાથે રજૂઆત
calendar_today September 7, 2026

Mahisagar News: ખાનપુરમાં વરસાદ ખેંચાતા ખેડૂતોનું આવેદન, 5 મુખ્ય માંગણી સાથે રજૂઆત

મહિસાગર જિલ્લામાં લાંબા સમયથી વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સિંચાઈના પાણીના અભાવે ખેતરોમાં ઉભો મકાઈ અને ડાંગર સહિતનો પાક સુકાઈ જવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે. મોંઘા બિયારણ અને ખાતરનો ખર્ચ કર્યા બાદ હવે પાક નિષ્ફળ જવાની આશંકાથી ખાનપુર તાલુકાના ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે.ખાનપુર મામલતદારને 5 મુખ્ય માંગણીઓ સાથે રજૂઆતવરસાદી ખેંચથી સર્જાયેલી વિષમ પરિસ્થિતિને પગલે ખાનપુર તાલુકાના ખેડૂતોએ એકઠા થઈને ખાનપુર મામલતદારને આવેદનપત્ર સોંપ્યું હતું. ખેડૂતોએ પોતાની રોજીરોટી અને પાક બચાવવા માટે સરકાર સમક્ષ 5 અલગ અલગ મુખ્ય માંગણીઓ રજૂ કરી છે.કડાણા ડેમમાંથી પાણી છોડવા અને ધિરાણ માફીની માગઆવેદનપત્રમાં ખેડૂતોએ માગ કરી છે કે, કડાણા ડેમમાંથી પાણી છોડીને ગામના તળાવો ભરવામાં આવે જેથી સિંચાઈ થઈ શકે. આ ઉપરાંત પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવી અને ખેડૂતોના કૃષિ ધિરાણ માફ કરવાની અપીલ કરવામાં આવી છે. આ સાથે સાથે ખેતરોમાં થયેલા નુકસાનનો ત્વરિત સર્વે કરાવીને યોગ્ય આર્થિક સહાય ચૂકવવાની માંગ પણ કરી છે.સરકારી વરસાદી આંકડા સામે ખેડૂતોના ગંભીર આક્ષેપઆવેદનપત્ર આપવા પહોંચેલા ખેડૂતોએ તંત્ર સામે રોષ ઠાલવતા આક્ષેપ કર્યો હતો કે ખાનપુર તાલુકામાં દર્શાવાઈ રહેલા વરસાદના સરકારી આંકડા સાચા નથી પરંતુ ખોટા છે. વાસ્તવિકતામાં ખેતરોમાં પાણી વગર પાક બળી રહ્યો છે, ત્યારે સરકારે કાગળ પરના આંકડા ભૂલીને જમીની હકીકત જોઈ ત્વરિત રાહત આપવી જોઈએ.આ પણ વાંચો: Mahisagar News: સંતરામપુરના સાંગવાડા પાસે શ્રાવણ માસમાં જુગાર રમતા 10 ઈસમો ઝડપાયા

Read Full Story arrow_forward