android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chhota Udepur: જન. હૉસ્પિટલમાં બેડને બદલે જમીન ઉપર અપાતી સારવાર
calendar_today September 6, 2026

Chhota Udepur: જન. હૉસ્પિટલમાં બેડને બદલે જમીન ઉપર અપાતી સારવાર

છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી જનરલ હોસ્પિટલમાંથી શરમજનક અને ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે. હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને બેડ ન મળતા જમીન પર જ સૂઈને સારવાર લેવાની ફરજ પડી છે. ગામેગામથી આશા લઈને આવતા ગરીબ દર્દીઓને બેડ વગર જમીન પર સૂવડાવીને બોટલ ચઢાવાઇ રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. 200 બેડની હોસ્પિટલ હોવા છતાં દર્દીઓ માટે જગ્યા કેમ નથી ? તેવા સવાલ ઉઠયાં છે.છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી જનરલ હોસ્પિટલના વોર્ડમાં બેડ ખાલી ન હોવાથી દર્દીઓ ઠંડા ફ્લોર (જમીન) પર સૂવા મજબૂર બન્યા છે. દૂર-દૂરના ગ્રામ્ય વિસ્તારોમાંથી વિવિધ બીમારીઓના ઇલાજ માટે આવતા ગરીબ અને સામાન્ય દર્દીઓને યોગ્ય સગવડ આપવાને બદલે જમીન પર જ પાથરણાં પાથરીને સારવાર અપાય છે. ગંભીર સ્થિતિમાં આવેલ દર્દીઓને જમીન પર સૂવડાવીને જ બોટલ (ગ્લુકોઝ) ચડાવાઇ રહ્યા છે, જે તંત્રના મોટા-મોટા દાવોઓની પોલ ખોલે છે. કહેવા માટે તો આ છોટાઉદેપુર જિલ્લાની 200 બેડની સગવડ ધરાવતી સૌથી મોટી હોસ્પિટલ છે. તો પછી સવાલ એ ઊભો થાય છે કે દર્દીઓને બેડ કેમ નથી મળી રહ્યા ? શું હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ક્ષમતા કરતાં વધી ગઈ છે ? અથવા ઉપલબ્ધ બેડની યોગ્ય વ્યવસ્થા કરવામાં તંત્ર નિષ્ફ્ળ નીવડયું છે ? સિઝનલ બીમારીઓ અને રોગચાળાના કારણે ગ્રામીણ વિસ્તારમાંથી રોજના સંકડો દર્દીઓ અહીં આવે છે. પરંતુ 200 બેડની હોસ્પિટલમાં સુવિધાનો અભાવ જોવા મળતા દર્દીઓ અને તેમના સગાં-સંબંધિઓ ભારે રોષ અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સરકાર આરોગ્ય ક્ષેત્રે કરોડો રૂપિયાના બજેટ અને અત્યાંધુનિક સુવિધાના દાવો કરે છે, પરંતુ છોટાઉદેપુરની આ હોસ્પિટલના દ્રશ્યો વાસ્તવિકતા કંઈક જુદી જ બતાવે છે. વીડિયો વાઇરલ થયા બાદ હવે ઉચ્ચ અધિકારીઓ શું પગલાં લે છે તેના પર સૌની નજર છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dabhoi: ડભોઇ-સમલાયા રેલવે લાઇન જમીન સંપાદન વળતરમાં ખેડૂતોને અન્યાય
calendar_today September 6, 2026

Dabhoi: ડભોઇ-સમલાયા રેલવે લાઇન જમીન સંપાદન વળતરમાં ખેડૂતોને અન્યાય

ડભોઈ તાલુકામાં નેરોગેજ રેલવે લાઇનને બ્રોડગેજમાં રૂપાંતર કરવાની કામગીરી ચાલે છે. જે અંતર્ગત ડભોઈથી સમલાયા નેરોગેજ લાઇન માટે તરસાણા ગામના ખેડૂતોની જમીન સંપાદન કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. જોકે, આ જમીન સંપાદનની વળતર પ્રક્રિયામાં ભારે અન્યાય થતો હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે. તરસાણાના ખેડૂતોએ આજરોજ ટીંબી ફાટક ખાતે એકત્ર થઇને વિરોધ કર્યો હતો.જ્યારે આ યોજના માટે પ્રાથમિક જાહેરનામું બહાર પડાયું ત્યારે તરસાણા ગામમાં ગ્રામ પંચાયતનો વહીવટ હતો. તે મુજબ નવા નિયમો અનુસાર ગામને ગ્રામ્ય વિસ્તાર ગણી બેનો ગુણાંક અને તેના પર 100% આશ્વાસન રકમ સાથે વળતર ચૂકવવાનો એવોર્ડ તૈયાર કરાયો હતો. પરંતુ ત્યારબાદ આ ગામનો સમાવેશ ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં થતાં જંત્રી ગ્રામ્ય વિસ્તારની ગણીને ગુણાંક બેના બદલે એક કરી દેવાયો હતો. પરિણામે ખેડૂતોને મળવાપાત્ર વળતરની રકમ અડધી થઈ જતાં મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ અન્યાય સામે અસરગ્રસ્ત ખેડૂતોએ હાઈકોર્ટમાં દાવો દાખલ કરીને ગામને ગ્રામ્ય વિસ્તાર ગણી નિયમ મુજબ ચાર ગણું વળતર ચૂકવવા માંગણી કરી છે. ખેડૂતોએ સ્પષ્ટ ચિમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી જમીન સંપાદનની કામગીરી આગળ વધવા દેવામાં નહીં આવે કે જમીનનો કબજો સોંપવામાં નહીં આવે. જમીન સંપાદન થવાથી ખેડૂતોને એક ખેતરમાંથી બીજા ખેતરમાં જવા-આવવાના રસ્તા (ઈઝમેન્ટ રાઈટ) છીનવાઈ છે. બાકી રહેતી જમીનોમાં પાણી ભરાઈ રહેવાથી ખેતીના પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે, જેનો કોઈ નિકાલ કરાયો નથી. જોઈન્ટ મેઝરમેન્ટ અને સંપાદનના ક્ષેત્રફ્ળ વચ્ચે સ્થળ પર મોટો તફાવત જોવા મળે છે. ખેડૂતોને 135-ડીની કાયદેસર નોટિસ આપ્યા વિના જ ગેરકાયદે 7/12ના ઉતારામાં એન્ટ્રીઓ પાડી દેવાઇ છે. ખેડૂતોને 2009 નહીં પણ 2013માં જે વળતર ચૂકવાયું છે. જો સરકાર આ તમામ મુદ્દાઓ પર વહેલી તકે ખેડૂત હિતલક્ષી નિર્ણય નહીં કરે, તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડાશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bodeli: નગર સહિત તાલુકાના શિવાલયોમાં દર્શનાર્થીઓ ઊમટશે
calendar_today September 6, 2026

Bodeli: નગર સહિત તાલુકાના શિવાલયોમાં દર્શનાર્થીઓ ઊમટશે

પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે બોડેલી તાલુકાના પ્રાચીન અને પૌરાણિક શિવ મંદિરોમાં વહેલી સવારથી જ શિવભક્તોની ભીડ ઉમટી પડવાની શક્યતા છે. હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદ સાથે સમગ્ર પંથક શિવમય બનશે.બોડેલી પંથકમાં માકણી ગામે અતિપ્રાચીન રણમુક્તેશ્વર મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું વિશેષ કેન્દ્ર છે. ઉપરાંત બોડેલી નગરમાં ગોપેશ્વર મહાદેવ મંદિર, પાંધરા ગામે આવેલ મુક્તેશ્વર મહાદેવ મંદિર સહિત તાલુકાના વિવિધ શિવાલયોમાં શ્રાવણના અંતિમ સોમવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન અને પૂજા-અર્ચના માટે ઊમટી પડશે. શિવભક્તો દ્વારા ભગવાન ભોળાનાથને જળાભિષેક, દૂધાભિષેક સહિત વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward