Ankleshwar: ગંગા નદીની માટીમાંથી શ્રીજીની ઇકોફ્રેન્ડલિ પ્રતિમાઓનું નિર્માણ
અંકલેશ્વરમાં પશ્ચિમ બંગાળના મૂર્તિકારો દ્વારા શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ગણેશ મંડળો પણ માટીનું મૂર્તિ તરફ્ વળતા તેની માંગના વધારો થયો છે.દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મૂર્તિકારો શ્રીજીની પ્રતિમાને આખરીઓ આપી રહ્યા છે.અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક પશ્ચિમ બંગાળના મૂર્તિકારો દ્વારા શ્રીજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં આવી રહી છે. પ્લાસ્ટર ઓફ્ પેરિસની પ્રતિમાઓના કારણે થતા જળ પ્રદૂષણના લીધે હવે લોકો માટીની પ્રતિમા તરફ્ વળી રહ્યા છે ત્યારે મૂર્તિકારો દ્વારા પાવનસલીલામાં નર્મદા અને ગંગાજીની માટીમાંથી મૂર્તિનું નિર્માણ કરી રહ્યા છે.આ મૂર્તિકારો દ્વારા બે ફૂટ થી લઈને 9 ફૂટ સુધીની પ્રતિમાઓનું નિર્માણ થાય છે. જેને ખરીદવા માટે ભરૂચ,કીમ વાલીયા, નેત્રંગ સહિતના પંથકમાંથી ગણેશ મંડળો આવે છે અને શ્રીજીની માટીની પ્રતિમાની ખરીદી કરી તેનું સ્થાપન કરે છે. મૂર્તિકાર ધનંજય મંડલના જણાવ્યા અનુસાર આજથી 30 વર્ષ પૂર્વે માટીની મૂર્તિ માંડ 10 જેટલી વેચતી હતી પરંતુ હવે લોકોમાં જાગૃતિ આવતા તેનીમાંગમાં જબરદસ્ત વધારો થયો છે. તેમના દ્વારા માટી,બાબું, વાંસ સહિત કુદરતી વસ્તુઓમાંથી મૂર્તિનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.મોંઘવારીની અસર મૂર્તિ નિર્માણના કાર્યમાં પણ જોવા મળી રહી છે તેઓ દ્વારા રૂ.4 હજારથી લઈ 30 થી 35 હજાર સુધીની માટીની મૂર્તિનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward