android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Delhi : ‘માના પગે પડી માફી માંગો...’ મિલકતના કેસમાં સુપ્રીમ કોર્ટની પુત્રને ભાવુક કરી દેતી સલાહ
calendar_today September 9, 2026

Delhi : ‘માના પગે પડી માફી માંગો...’ મિલકતના કેસમાં સુપ્રીમ કોર્ટની પુત્રને ભાવુક કરી દેતી સલાહ

માતા-પુત્ર વચ્ચેનો સંપત્તિ વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો ત્યારે મામલો માત્ર મિલકતના હક પૂરતો રહ્યો નહીં. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પુત્રને કાયદાકીય દલીલો કરતાં સંબંધોની કિંમત સમજાવતી ભાવનાત્મક સલાહ આપી હતી. કોર્ટે અંતે પુત્રની અરજી ફગાવી દીધી હતી, પરંતુ સુનાવણી દરમિયાન કરવામાં આવેલી ટિપ્પણીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.જે માતાએ ઉછેર્યો, તેની સામે જ સંપત્તિનો કેસ કેમ પહોંચ્યો?મળતી વિગતો મુજબ માતા અને તેમના પતિ મિલકતના એકમાત્ર માલિક હતા. તેમણે પ્રેમ અને સ્નેહના કારણે પુત્ર તથા પુત્રવધૂને ઘરના પહેલા માળે રહેવાની મંજૂરી આપી હતી અને તેમની પાસેથી ભાડું પણ લેવામાં આવતું ન હતું.સમય જતાં સંબંધોમાં તણાવ વધ્યોપરંતુ સમય જતાં સંબંધોમાં તણાવ વધ્યો હોવાનો માતા-પિતાનો આક્ષેપ હતો. તેમણે પુત્ર અને પુત્રવધૂ દ્વારા પરેશાન કરવામાં આવતા હોવાનો તેમજ મિલકત પોતાના નામે કરવાની માંગ કરવામાં આવી હોવાનો દાવો કર્યો હતો.પ્રેમથી આપેલું ઘર ક્યારે બની ગયું કોર્ટની લડાઈનું કારણ?માતા-પિતાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે પુત્રે કથિત રીતે કેટલાક દસ્તાવેજોના આધારે મિલકત પર પોતાનો હક દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ માતા-પિતાએ જાહેર નોટિસ દ્વારા પુત્ર અને પુત્રવધૂ સાથેના સંબંધો સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. પુત્ર સામે FIR પણ નોંધાવવામાં આવી હતી અને તેમને આપવામાં આવેલી રહેવાની મંજૂરી રદ કરીને મિલકત ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી.કોર્ટમાં માતા-પિતાનો હક માન્ય થયોટ્રાયલ કોર્ટે માતા-પિતાને મિલકતના એકમાત્ર માલિક ગણાવી હતી અને પુત્ર-પુત્રવધૂને માત્ર રહેવાની પરવાનગી આપવામાં આવી હોવાનું માન્યું હતું. પરવાનગી રદ થયા બાદ મિલકત પર તેમનો કબજો કાયદેસર ન હોવાનું જણાવી પ્રથમ માળ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ નિર્ણયને દિલ્હી હાઈકોર્ટે પણ 17 એપ્રિલે યથાવત રાખ્યો હતો. ત્યારબાદ પુત્ર સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો.સુપ્રીમ કોર્ટની એક સલાહે સૌનું ધ્યાન ખેંચ્યુંજસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ એનકે સિંહની બેન્ચે પુત્રની અરજીમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરીને તેને ફગાવી દીધી હતી. જોકે સુનાવણી દરમિયાન જસ્ટિસ શર્માએ પુત્રને પોતાની માતા પાસે જઈને માફી માંગવાની અને તેમના આશીર્વાદ લેવાની સલાહ આપી હતી.મોટો સામાજિક સંદેશ પણ આપ્યોકોર્ટે કાયદાકીય વિવાદનો અંત તો લાવ્યો, પરંતુ સાથે એક મોટો સામાજિક સંદેશ પણ આપ્યો—મિલકતનો વિવાદ કોર્ટમાં જીતી શકાય, પરંતુ માતા સાથે તૂટેલો સંબંધ પાછો મેળવવો એટલો સરળ નથી.  આ પણ વાંચો   :  Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું

Read Full Story arrow_forward
Amreli: મોટા આંકડિયાથી 5 વર્ષના બાળકના અપહરણનો કેસ 15 કલાકમાં ઉકેલાયો, પોલીસે 170 CCTV ઝીણવટભરી રીતે ચકાસ્યા
calendar_today September 9, 2026

Amreli: મોટા આંકડિયાથી 5 વર્ષના બાળકના અપહરણનો કેસ 15 કલાકમાં ઉકેલાયો, પોલીસે 170 CCTV ઝીણવટભરી રીતે ચકાસ્યા

અમરેલી તાલુકાના મોટા આંકડિયા ગામે રહીને ખેતમજૂરી કરતા મધ્ય પ્રદેશના પરપ્રાંતિય પરિવારના 5 વર્ષના માસૂમ પુત્રનું બાઈક પર આવેલ લલિત નામના શખ્સે અપહરણ કરી લેતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. આરોપી બાળકના પિતા સાથે અગાઉથી ઓળખાણ ધરાવતો હોવાથી તેનો ગેરલાભ ઉઠાવી બાળકને બાઇક પર બેસાડીને ચાલતી પકડી ગયો હતો.અમરેલીમાં 5 વર્ષના બાળકના અપહરણનો કેસબાળકના ગાયબ થવાની જાણ થતાં જ અમરેલી પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું હતું. સૌથી મોટો પડકાર એ હતો કે અપહરણકાર લલિત કોઈ મોબાઈલ ફોન વાપરતો ન હતો. જેથી તેને ટેકનિકલ લોકેશનથી ટ્રેસ કરવો શક્ય ન હતો. આ સંજોગોમાં પોલીસે માત્ર આરોપીના બાઈક નંબરને આધાર બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બાળકની સુરક્ષા અને ગંભીરતાને ધ્યાને રાખીને અમરેલી પોલીસની ટીમોએ અમરેલી 'નેત્રમ' (CCTV સર્વેલન્સ) તેમજ ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ 'નેત્રમ'ની મદદ લીધી હતી. પોલીસે સતત 15 કલાક સુધી રસ્તા પરના અંદાજે 170 જેટલા સીસીટીવી ફૂટેજ ઝીણવટભરી રીતે ચકાસ્યા હતા. સીસીટીવી કમાન્ડ સેન્ટરની મદદથી બાઈકના મુવમેન્ટ પર સતત નજર રાખવામાં આવી હતી.પોલીસે આરોપી લલિતને દબોચી લીધોઅંતે સીસીટીવી ટ્રેકિંગના આધારે પોલીસે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વીરપુર નજીકથી આરોપી લલિતને દબોચી લીધો હતો. તેના કબજામાંથી ૫ વર્ષના માસૂમ બાળકને હેમખેમ મુક્ત કરાવી તુરંત પરિવારને સોંપવામાં આવ્યો હતો. અમરેલી પોલીસની આ અદ્ભુત અને ત્વરિત કામગીરીને પગલે પીડિત પરિવારે પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.આ પણ વાંચો: Narmada: તિલકવાડાના નલિયા પાસે બાઇક રેલવે બ્રિજની દીવાલ સાથે ભટકાતાં બે યુવકોના કરુણ મોત

Read Full Story arrow_forward
Chotila: ચોટીલા પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ 27 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો; પોલીસ બેડામાં ખળભળાટ
calendar_today September 9, 2026

Chotila: ચોટીલા પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ 27 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો; પોલીસ બેડામાં ખળભળાટ

ચોટીલા ખાતે આવેલી પોલીસ લાઈન અને પોલીસ સ્ટેશન પરિસરમાં લાંચ રુશવત વિરોધી બ્યુરો (ACB) એ મોટી કાર્યવાહી કરી છે. ચોટીલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જયસુખભાઈ જીડિયા સામે જુગારના એક કેસમાં પકડાયેલા આરોપીઓના જામીન કરાવી આપવાના બદલામાં રૂ. 27,000 ની લાંચ માગવાનો ગંભીર આક્ષેપ થયો હતો.જુગારના કેસમાં જામીન માટે લાંચની માગણીઅધિકારી દ્વારા વારંવાર કરવામાં આવતી લાંચની માગણીથી કંટાળીને જાગૃત નાગરિકે તાત્કાલિક ACB ના ટોલ-ફ્રી નંબર પર સંપર્ક કરી સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબી રાજકોટની ટીમે ચોટીલા ખાતે લાંચનું છટકું ગોઠવવાની યોજના બનાવી હતી.ગોઠવેલી યોજના મુજબ ચોટીલા પોલીસ સ્ટેશનના પાછળના ભાગે આવેલી D-સ્ટાફ ઓફિસ સામે છટકું ગોઠવવામાં આવ્યું હતું. નાગરિક પાસેથી હેડ કોન્સ્ટેબલ જયસુખભાઈ જીડિયાએ રૂ. 27,000 ની લાંચની રકમ સ્વીકારતાં જ આસપાસ ગોઠવાયેલી ACB રાજકોટની ટીમે તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.જયસુખ જીડિયા ACB ના છટકામાં રંગેહાથ ઝડપાયોACB એ સ્થળ પરથી જ લાંચની સમગ્ર રૂ. 27,000 ની રકમ કબ્જે કરી લીધી હતી. સરકારી ચોપડે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધી આરોપી હેડ કોન્સ્ટેબલ સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ સ્ટેશન પરિસરમાં જ બનેલી આ ઘટનાને પગલે ભ્રષ્ટ કર્મચારીઓ અને અધિકારીઓમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે.આ પણ વાંચો: Amreli: મોટા આંકડિયાથી 5 વર્ષના બાળકના અપહરણનો કેસ 15 કલાકમાં ઉકેલાયો, પોલીસે 170 CCTV ઝીણવટભરી રીતે ચકાસ્યા

Read Full Story arrow_forward