android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar: PMAY ના 61 મકાનો ભાડે આપી દેવાતાં મનપાની લાલ આંખ, નોટિસ આપી સીલ કરવાની કાર્યવાહી
calendar_today August 28, 2026

Bhavnagar: PMAY ના 61 મકાનો ભાડે આપી દેવાતાં મનપાની લાલ આંખ, નોટિસ આપી સીલ કરવાની કાર્યવાહી

ભાવનગર શહેરમાં સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના લોકોને પોતાના ઘરનું ઘર છત મળી રહે તે હેતુથી પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ મકાનોની ફાળવણી કરવામાં આવી છે. જોકે, ઘણા લાભાર્થીઓ આ સરકારી યોજનાનો દુરુપયોગ કરીને મકાનમાં પોતે રહેવાને બદલે તેને કમાણીનું સાધન બનાવી રહ્યા હોવાની ફરિયાદો મનપાને મળી હતી.પ્રધાનમંત્રી આવાસ યોજના કમાણીનું સાધનઆ ફરિયાદોના આધારે ભાવનગર મહાનગરપાલિકાની વિશેષ ટીમે છેલ્લા 4 દિવસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારો જેવા કે રુવા, ઘોઘા રોડ, ફુલસર અને આખલોલ જકાતનાકા ખાતે આવેલા PMAY આવાસમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન ટીમે 168 મકાનોની ચકાસણી કરી હતી, જેમાં રફલી દર 3 માંથી 1 મકાનમાં મૂળ લાભાર્થીને બદલે અન્ય ભાડૂઆતો રહેતા હોવાનો પર્દાફાશ થયો હતો.આવાસ ફાળવણી રદ કરવા સુધીની કાર્યવાહી પ્રધાનમંત્રી આવાસ યોજનાના નિયમો મુજબ ફાળવવામાં આવેલું મકાન લાભાર્થી પોતે જ વાપરી શકે છે અને તેને અમુક ચોક્કસ સમયગાળા સુધી ભાડે આપવા કે વેચવા પર સખત મનાઈ હોય છે. છતાં કેટલાક લાભાર્થીઓએ આ મકાનો ઊંચા ભાડા વસૂલીને અન્ય લોકોને આપી દીધા હતા.ચેકિંગ દરમિયાન ઝડપાયેલા તમામ 61 આવાસના મૂળ ફાળવણીકારોને કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી છે અને આ મકાનોને સીલ કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. મનપા અધિકારીઓના જણાવ્યા મુજબ, નિયમોનો અનાદર કરનાર લાભાર્થીઓની આવાસ ફાળવણી રદ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે, જેથી ખરેખર જરૂરિયાતમંદ લોકોને આ યોજનાનો લાભ મળી શકે.આ પણ વાંચો: Modasa: સગરવાડામાં રાત્રે મકાનનો સ્લેબ તૂટતાં 7 લોકોને ઈજા, રક્ષાબંધન કરવા આવેલા બહેન-ભાણેજ પણ ઈજાગ્રસ્ત

Read Full Story arrow_forward
Banaskantha News : અમીરગઢના ખારા ગામમાં ખેતરમાં કામ કરતી મહિલાને સાપે ડંખ માર્યો, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ
calendar_today August 28, 2026

Banaskantha News : અમીરગઢના ખારા ગામમાં ખેતરમાં કામ કરતી મહિલાને સાપે ડંખ માર્યો, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલા ખારા ગામમાં સર્પદંશની એક ચિંતાજનક ઘટના સામે આવી છે. ગામની સીમમાં આવેલા ખેતરમાં દૈનિક ખેતીકામ કરી રહેલી 52 વર્ષીય મહિલાને અચાનક ઝેરી સાપે ડંખ માર્યો હતો. ખેતરમાં કામ કરતી વખતે અચાનક જ સાપે હુમલો કરી દેતાં મહિલા ચીસ પાડી ઉઠી હતી. સાપ કરડ્યાની જાણ થતાં જ આસપાસના ખેતરોમાં કામ કરતા લોકો અને પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.સ્થિતિ લથડતાં તાત્કાલિક ઈકબાલગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયાસાપના ડંખના કારણે શરીર પર ઝેરની અસર વર્તાવા લાગતાં મહિલાની શારીરિક સ્થિતિ ઝડપથી લથડવા લાગી હતી. પરિસ્થિતિની ગંભીરતા જોઈને પરિવારજનોમાં ભારે દોડધામ અને અફરાતફરી મચી ગઈ હતી. પરિવારજનોએ સમય ગુમાવ્યા વિના ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક અસરથી વધુ અને યોગ્ય સારવાર અર્થે નજીકમાં આવેલા ઈકબાલગઢ શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તબીબો દ્વારા સર્પદંશની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.સર્પદંશની ઘટનાથી પરિવારજનોમાં ભય અને ચિંતાનો માહોલખેતીની સિઝન અને ચોમાસાના દિવસો દરમિયાન ગ્રામીણ વિસ્તારો તથા ખેતરોમાં ઝેરી જીવજંતુઓ અને સાપ નીકળવાનું પ્રમાણ વધી જતું હોય છે. અમીરગઢના ખારા ગામમાં બનેલી આ ઘટનાને પગલે ખેડૂતો અને સ્થાનિક ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ રહેલી મહિલાની તબિયતમાં વહેલી તકે સુધારો આવે તે માટે પરિવારજનો અને સ્નેહીજનો ઈશ્વર પાસે પ્રાર્થના કરી રહ્યા છે.આ પણ વાંચો : Rajkotમાં ધંધાની હરીફાઈની અદાવત, સંત કબીર રોડ પર પિતા-પુત્ર પર 9 શખ્સોનો હુમલો

Read Full Story arrow_forward
Surat News: ઓલપાડના સાયણ અને કીમમાં રક્ષાબંધને ફૂડ વિભાગનું સઘન ચેકિંગ
calendar_today August 28, 2026

Surat News: ઓલપાડના સાયણ અને કીમમાં રક્ષાબંધને ફૂડ વિભાગનું સઘન ચેકિંગ

રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે સુરત મહાનગરપાલિકા અને જિલ્લાના ફૂડ વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. સુરતના ઓલપાડ તાલુકાના સાયણ અને કીમ વિસ્તારમાં આવેલી વિવિધ મિઠાઈ અને ફરસાણની દુકાનોમાં ફૂડ વિભાગની ટીમો દ્વારા અચાનક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.32 ખાદ્ય પદાર્થોના સેમ્પલની કરાઈ ઝીણવટભરી તપાસતહેવારોની સિઝનમાં મિઠાઈ અને ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ રોકવાના હેતુથી ફૂડ વિભાગની ટીમે અલગ-અલગ દુકાનો અને ડેરીઓમાંથી કુલ 32 ખાદ્ય પદાર્થોના સેમ્પલ લીધા હતા. આ તમામ સેમ્પલોની સ્થળ પર અને લેબોરેટરીમાં ગુણવત્તા તપાસવામાં આવી હતી.3 કિલો પેંડા અને 5 લીટર અયોગ્ય તેલનો કરાયો નાશતપાસ દરમિયાન કેટલીક દુકાનોમાંથી આરોગ્ય માટે હાનિકારક અને વાસી જણાતા 3 કિલો પેંડા તેમજ ફરી ફરી ઉપયોગમાં લેવામાં આવેલું 5 લીટર બળેલું તેલ અયોગ્ય જણાતાં ફૂડ વિભાગે સ્થળ પર જ તેનો નાશ કરાવ્યો હતો. વેપારીઓને સ્વચ્છતા જાળવવા અને ગુણવત્તાયુક્ત સામગ્રી જ વેચવા કડક સૂચના આપવામાં આવી છે.જનઆરોગ્યની જાળવણી માટે કાર્યવાહી ચાલુ રહેશેતહેવારોના દિવસોમાં પ્રજાની શારીરિક સલામતી અને ખાદ્ય પદાર્થોની શુદ્ધતા તેમજ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ફૂડ વિભાગ દ્વારા આ પ્રકારની કાર્યવાહી અને સરપ્રાઈઝ ચેકિંગ આગામી દિવસોમાં પણ અવિરતપણે ચાલુ રાખવામાં આવશે.આ પણ વાંચો - Surat: અમરોલીના 26.37 કિલો ગાંજા કેસમાં આરોપી બિરેન્દ્રકુમાર ગુપ્તાને 10 વર્ષની જેલ, 1 લાખ દંડ

Read Full Story arrow_forward