android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: ઓલપાડના સાયણ અને કીમમાં રક્ષાબંધને ફૂડ વિભાગનું સઘન ચેકિંગ
calendar_today August 28, 2026

Surat News: ઓલપાડના સાયણ અને કીમમાં રક્ષાબંધને ફૂડ વિભાગનું સઘન ચેકિંગ

રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે સુરત મહાનગરપાલિકા અને જિલ્લાના ફૂડ વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. સુરતના ઓલપાડ તાલુકાના સાયણ અને કીમ વિસ્તારમાં આવેલી વિવિધ મિઠાઈ અને ફરસાણની દુકાનોમાં ફૂડ વિભાગની ટીમો દ્વારા અચાનક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.32 ખાદ્ય પદાર્થોના સેમ્પલની કરાઈ ઝીણવટભરી તપાસતહેવારોની સિઝનમાં મિઠાઈ અને ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ રોકવાના હેતુથી ફૂડ વિભાગની ટીમે અલગ-અલગ દુકાનો અને ડેરીઓમાંથી કુલ 32 ખાદ્ય પદાર્થોના સેમ્પલ લીધા હતા. આ તમામ સેમ્પલોની સ્થળ પર અને લેબોરેટરીમાં ગુણવત્તા તપાસવામાં આવી હતી.3 કિલો પેંડા અને 5 લીટર અયોગ્ય તેલનો કરાયો નાશતપાસ દરમિયાન કેટલીક દુકાનોમાંથી આરોગ્ય માટે હાનિકારક અને વાસી જણાતા 3 કિલો પેંડા તેમજ ફરી ફરી ઉપયોગમાં લેવામાં આવેલું 5 લીટર બળેલું તેલ અયોગ્ય જણાતાં ફૂડ વિભાગે સ્થળ પર જ તેનો નાશ કરાવ્યો હતો. વેપારીઓને સ્વચ્છતા જાળવવા અને ગુણવત્તાયુક્ત સામગ્રી જ વેચવા કડક સૂચના આપવામાં આવી છે.જનઆરોગ્યની જાળવણી માટે કાર્યવાહી ચાલુ રહેશેતહેવારોના દિવસોમાં પ્રજાની શારીરિક સલામતી અને ખાદ્ય પદાર્થોની શુદ્ધતા તેમજ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ફૂડ વિભાગ દ્વારા આ પ્રકારની કાર્યવાહી અને સરપ્રાઈઝ ચેકિંગ આગામી દિવસોમાં પણ અવિરતપણે ચાલુ રાખવામાં આવશે.આ પણ વાંચો - Surat: અમરોલીના 26.37 કિલો ગાંજા કેસમાં આરોપી બિરેન્દ્રકુમાર ગુપ્તાને 10 વર્ષની જેલ, 1 લાખ દંડ

Read Full Story arrow_forward
Vadodara News: શિનોરમાં ‘એનાલોગ પનીર’નો કાળો ખેલ, સંદેશ ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં થયો પર્દાફાશ
calendar_today August 28, 2026

Vadodara News: શિનોરમાં ‘એનાલોગ પનીર’નો કાળો ખેલ, સંદેશ ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં થયો પર્દાફાશ

વડોદરા જિલ્લાના શિનોર તાલુકા મથકે સરકારી નિયમોના ધજાગરા ઉડાવીને ખુલ્લેઆમ એનાલોગ પનીર વેચાઈ રહ્યું હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. સરકારી કાગળો પર પ્રતિબંધ હોવા છતાં શિનોરના બજારમાં ભેળસેળિયા પનીરનો વેપાર ધમધમી રહ્યો છે. સંદેશ ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં શિવશક્તિ ડેરી ખાતેથી કથિત એનાલોગ પનીરના વેચાણનું મોટું રહસ્ય કેમેરા સામે ખુલ્લું પડ્યું છે.બપોરે 12:48 કલાકે ના પાડી, 4:02 કલાકે કેમેરા સામે વેચાયું પનીરસંદેશ ન્યૂઝના સંવાદદાતાએ ગ્રાહક બનીને હાથ ધરેલા સ્ટિંગ ઓપરેશનમાં ચોંકાવનારા દ્રશ્યો કેદ થયા હતા. બપોરે 12:48 કલાકે જ્યારે ડેરી પર તપાસ કરી ત્યારે ‘પનીર પૂરું થઈ ગયું છે’ તેવો જવાબ મળ્યો હતો અને ચાર વાગ્યે આવવા જણાવાયું હતું. ત્યારબાદ બપોરે 4:02 કલાકે સંવાદદાતા ફરી પહોંચતા રૂ. 50 ના 100 ગ્રામના હિસાબે રૂ. 150 નું પનીર વેચવામાં આવ્યું હતું. આ સમગ્ર ખેલ કેમેરાની નજરે શૂટ થઈ ગયો હતો.સરકારી કચેરીઓથી માત્ર 100 મીટર દૂર ચાલે છે ગોરખધંધોસૌથી ગંભીર બાબત એ છે કે, જે શિવશક્તિ ડેરીમાં આ કાળો ખેલ ચાલી રહ્યો છે, તેનાથી તાલુકા હેલ્થ સેન્ટર માત્ર આશરે 100 મીટર જ દૂર આવેલું છે. આ ઉપરાંત નજીકમાં જ પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી જેવી મહત્વની સરકારી ઓફિસો આવેલી છે. તંત્રના નાકની નીચે જ ચાલતો આ વેપાર જવાબદાર અધિકારીઓની નજરથી કેમ દૂર છે તે મોટો પ્રશ્ન છે.તહેવારના દિવસે આ સ્થિતિ તો સામાન્ય દિવસોમાં શું?રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારના દિવસે જ ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરતા આ કથિત પનીરનું વેચાણ કેમેરામાં કેદ થયું છે, ત્યારે સવાલ એ ઊભો થાય છે કે, સામાન્ય દિવસોમાં અહીં કેવા પ્રકારનો માલ વેચાતો હશે? જો સંદેશ ન્યૂઝની ટીમ આ ભેળસેળ સુધી પહોંચી શકતી હોય તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ કેમ ઊંઘતી ઝડપાઈ રહી છે? હવે તંત્ર ક્યારે જાગશે? સેમ્પલ લેવાશે કે નહીં?શિનોરમાં પનીરના વેચાણનો વિવાદ ગરમ થતાં હવે સમગ્ર પંથકની નજર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા સરકારી તંત્રની કામગીરી પર મંડાયેલી છે. શું તંત્ર દ્વારા શિવશક્તિ ડેરીમાંથી કથિત એનાલોગ પનીરના સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવશે? અને જો ભેળસેળ પુરવાર થશે તો જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી થશે કે પછી મામલો રફેદફે કરી દેવાશે?આ પણ વાંચો - Vadodara સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી, AAP ધારાસભ્ય ચૈતર વસાવાને બહેને બાંધી રાખડી

Read Full Story arrow_forward
Bhavnagar: ફુલસરમાં મહિલાનો ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યો મૃતદેહ, પરિવારજનોએ લગાવ્યો હત્યાનો ગંભીર આરોપ
calendar_today August 28, 2026

Bhavnagar: ફુલસરમાં મહિલાનો ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યો મૃતદેહ, પરિવારજનોએ લગાવ્યો હત્યાનો ગંભીર આરોપ

ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં શ્વેતાબા ગોહિલ નામના મહિલાનો પોતાના જ ઘરમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની તપાસ શરૂ કરી હતી.ભાવનગરમાં પરણિતાનું રહસ્યમય મોતપ્રાથમિક દ્રષ્ટિએ આ બનાવ આપઘાતનો લાગતો હોવા છતાં, મૃતક મહિલા શ્વેતાબાના પીઅર પક્ષ અને પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બનાવ અંગે વિરોધ દર્શાવ્યો હતો. પરિવારે સ્પષ્ટ આરોપ લગાવ્યો છે કે શ્વેતાબાએ આપઘાત કર્યો નથી પરંતુ તેમની હત્યા કરવામાં આવી છે. આ કેસમાં પરિવારજનોએ એક ચોંકાવનારો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે મૃતક મહિલાના પતિના આ બીજા લગ્ન હતા. આ અગાઉ ભૂતકાળમાં પણ પતિની પહેલી પત્નીની લાશ પણ આ જ રીતે રહસ્યમય સંજોગોમાં અને આ જ હાલતમાં મળી આવી હતી. એક જ પરિવારમાં બંને પત્નીઓના આ જ પ્રકારે શંકાસ્પદ મોત થતાં પરિવારનો શંકાનો કાંટો પતિ અને સાસરિયાં તરફ વળ્યો છે.પરિવારજનોએ લગાવ્યો હત્યાનો આરોપમૃતકના પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે સમગ્ર મામલાની તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને દીકરીને ન્યાય મળવો જોઈએ. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો છે. ફોરેન્સિક પીએમ (FSL) રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. હાલ પોલીસે પરિવારના નિવેદનો નોંધીને આગળની તપાસ ધરી છે.આ પણ વાંચો: Bhavnagar: PMAY ના 61 મકાનો ભાડે આપી દેવાતાં મનપાની લાલ આંખ, નોટિસ આપી સીલ કરવાની કાર્યવાહી

Read Full Story arrow_forward