android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Panchmahal News: ગોધરા દાહોદ હાઈવે પરથી દારુ ભરેલો ટ્રક ઝડપાયો, બુટગેલરે પ્લાસ્ટિકના કોથળામાં જથ્થો સંતાડ્યો હતો
calendar_today August 30, 2026

Panchmahal News: ગોધરા દાહોદ હાઈવે પરથી દારુ ભરેલો ટ્રક ઝડપાયો, બુટગેલરે પ્લાસ્ટિકના કોથળામાં જથ્થો સંતાડ્યો હતો

પંચમહાલ જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે પોલીસે લાલ આંખ કરી છે.ગોધરા-દાહોદ હાઈવે પર આવેલી સંતરોડ ચેકપોસ્ટ નજીક લોકલ ક્રાઈમ બ્રાંચએ નાકાબંધી દરમિયાન વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલો ટ્રક ઝડપી પાડીને આંતરરાજ્ય દારૂ તસ્કરીનો પર્દાફાશ કર્યો છે.બાતમીના આધારે LCB પોલીસે સંતરોડ ચેકપોસ્ટ પાસે શંકાસ્પદ ટ્રકને રોકીને તપાસ હાથ ધરી હતી. અન્ય રાજ્યમાંથી આવતા આ ટ્રકની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કુલ 15960 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યોબુટલેગરોએ દારૂ છુપાવવા માટે અનોખી કીમિયો અપનાવ્યો હતો.ટ્રકમાં ઉપરના ભાગે બાયોમાસ પ્લેટ્સ ભરેલી હતી જેની નીચે પ્લાસ્ટિકના કોથળામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો.પોલીસે ટ્રકમાંથી વિવિધ બ્રાન્ડની કુલ 15960 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે.ઝડપાયેલા આ વિદેશી દારૂની કુલ કિંમત રૂ. 58 લાખ આંકવામાં આવી છે.પોલીસે ઘટનાસ્થળેથી જ ટ્રક ચાલકની અટકાયત કરી લીધી છે. અન્ય 3 આરોપીઓ વિરુદ્ધ પણ ગુનો દાખલ કરાયોઆ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય 3 આરોપીઓ વિરુદ્ધ પણ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એલસીબી પોલીસે ટ્રક,દારૂનો જથ્થો અને અન્ય સામગ્રી મળીને લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આંતરરાજ્ય દારૂની ખેપ મારતી ગેંગના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે પોલીસે આગળની ચક્ર ગતિમાન કર્યા છે.આ પણ વાંચોઃ Rajkot News: જામકંડોરણામાં ફોફળ ડેમ કાંઠે લાખોના કેબલ ચોરાતાં ખેડૂતોમાં ભારે રોષ, પોલીસ સામે સવાલો

Read Full Story arrow_forward
Rajkot news: ધોરાજીમાં વેગડી પુલ પરથી ઝંપલાવી વેપારીએ કરી આત્મહત્યા
calendar_today August 30, 2026

Rajkot news: ધોરાજીમાં વેગડી પુલ પરથી ઝંપલાવી વેપારીએ કરી આત્મહત્યા

રાજકોટ જિલ્લાના ધોરાજી અને જામકંડોરણા વચ્ચે આવેલા વેગડી પુલ પર એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. ધોરાજીમાં કરિયાણાની દુકાન ધરાવતા વેપારી શાંતિભાઈ ઠેસીયા નામના પ્રોઢે અગમ્ય કારણોસર ભાદર નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાને પગલે સમગ્ર ધોરાજી અને આસપાસના પંથકમાં ભારે શોકની કાળી ડિબંગ છવાઈ ગઈ છે.પોલીસ અને પાલિકા તંત્ર દ્વારા મૃતદેહ બહાર કઢાયોબનાવની જાણ થતાં જ ધોરાજી નગરપાલિકાની ટીમ અને ધોરાજી પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિક તરવૈયાઓની મદદથી ભાદર નદીના પાણીમાંથી શાંતિભાઈનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે, અને આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.વેગડી પુલ બન્યો "સુસાઈડ પોઈન્ટ"સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ધોરાજી અને જામકંડોરણાને જોડતો આ વેગડી પુલ હવે જાણે 'સુસાઈડ પોઈન્ટ' બની ગયો હોય તેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે. દર વર્ષે આ પુલ પરથી ભાદર નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરવાના 1 થી 2 બનાવો અચૂક બને છે. યોગ્ય સુરક્ષાના અભાવે આવી ઘટનાઓનું પુનરાવર્તન થઈ રહ્યું હોવાનો આક્રોશ લોકો વ્યક્ત કરી રહ્યા છે.પુલ પર લોખંડની સુરક્ષા રેલિંગ બનાવવાની માગતરવડા ગામના સ્થાનિક આગેવાન અને સરપંચ રણજીતભાઈ વસોયા તેમજ બાજુમાં આવેલા વેગડી ગામના લોકોએ તંત્ર સામે એકસૂરે માગ ઉઠાવી છે. તેમણે જણાવ્યું છે કે, જો તંત્ર દ્વારા વેગડી પુલની બંને બાજુ ઊંચી લોખંડની જાળી કે સેફ્ટી રેલિંગ મઢી દેવામાં આવે, તો આવા આત્મહત્યાના બનાવોને ચોક્કસપણે અટકાવી શકાય તેમ છે. સ્થાનિકોએ આ અંગે માર્ગ અને મકાન વિભાગ તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માગ કરી છે.આ પણ વાંચો - Rajkot News: જામકંડોરણામાં ફોફળ ડેમ કાંઠે લાખોના કેબલ ચોરાતાં ખેડૂતોમાં ભારે રોષ, પોલીસ સામે સવાલો

Read Full Story arrow_forward
Gandhinagar News : સરકાર સામે આ અમારી પ્રેશર ટેકનિક છે, લગ્ન આવે ત્યારે ઢોલ વાગે અને ફટાકડા પણ ફૂટે : વરૂણ પટેલ
calendar_today August 30, 2026

Gandhinagar News : સરકાર સામે આ અમારી પ્રેશર ટેકનિક છે, લગ્ન આવે ત્યારે ઢોલ વાગે અને ફટાકડા પણ ફૂટે : વરૂણ પટેલ

ગાંધીનગર ખાતે આજે સવર્ણ સમાજ દ્વારા એક મહત્ત્વપૂર્ણ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં દરેક વિસ્તાર,સમાજ અને વિવિધ વિભાગોના અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.ચિંતન શિબિરના અંતે સવર્ણ સમાજના નેતાઓએ વિવિધ પડતર પ્રશ્નો અને માગણીઓને લઈને સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું હતું.ચિંતન શિબિરમાં સર્વાનુમતે કેટલાક મહત્વપૂર્ણ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા.પાટીદાર આગેવાન વરુણ પટેલે કહ્યું હતું કે, સરકાર સામે આ અમારી પ્રેશર ટેક્નિક છે. આયોગની કચેરીને તાળાં મારવામાં આવશેસવર્ણ સમાજે UGCના નવા કાયદાને કાળો કાયદો ગણાવીને તેને તાત્કાલિક અસરથી પાછો ખેંચવા ઠરાવ કર્યો હતો.સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં ૧૦% આર્થિક અનામત આપવા માટે ટૂંક સમયમાં કાયદેસરની માન્યતા આપવાની માગ કરાઈ છે.બિન અનામત આયોગમાં લાલિયાવાડી ચાલતી હોવાનો આરોપ મૂકીને ચેતવણી આપવામાં આવી છે કે જો 10 દિવસમાં પ્રશ્નોનું સમાધાન નહીં થાય તો આયોગની કચેરીને તાળાં મારવામાં આવશે.દેશમાં ચાલી રહેલી અનામત પ્રથાની યોગ્ય સમીક્ષા થવી જોઈએ તેવી માગ રજૂ કરાઈ હતી.આગેવાનોએ સ્પષ્ટ કર્યું હતું કે અનામત હટાવો એવી તેમની માગ નથી.સમાજના મુદ્દાઓને લઈને આવનારા ત્રણ મહિના સુધી રાજ્યભરમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.આ અમારી પ્રેશર ટેક્નિક છેસંદેશ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં આ બેઠક પાછળનું ખરું રાજ સામે આવ્યું હતું.સવર્ણ સમાજની બેઠક બાદ વરુણ પટેલે મોટું નિવેદન આપતા ખુલ્લેઆમ સ્વીકાર્યું હતું કે,સરકાર સામે આ અમારી પ્રેશર ટેક્નિક છે.લગ્ન આવે ત્યારે ઢોલ વાગે અને ફટાકડા પણ ફૂટે.સવર્ણ સમાજ પાસે યોગ્ય માહોલ બનાવવાની ક્ષમતા છે અને સરકાર જે ભાષામાં સમજે તે ભાષામાં સમજાવતા અમને આવડે છે. તેમણે ઉમેર્યું હતું કે આગળ કઈ ભાષામાં કામ કરવું તે સ્ટેપ બાય સ્ટેપ બતાવવામાં આવશે.આગામી સમયમાં પહેલી બેઠક કચ્છ ખાતે યોજાશેપાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે ખુલ્લા મંચ પરથી જે પ્રશ્નો રજૂ થયા છે તે તમામ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે અને UGC કાયદાનો તેઓ ખુલીને વિરોધ કરે છે.બ્રહ્મ સમાજ અગ્રણી જીગર મહેતાએ બ્રહ્મ સમાજ વતી આ લડત અને સવર્ણ સમાજને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું. કરણી સેનાના અગ્રણી વીરભદ્ર સિંહે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, "UGC નો કાયદો અમે માગ્યો ન હતો છતાં આપવામાં આવ્યો છે, જેનો અમારો સખત વિરોધ છે." તેમણે ઉમેર્યું કે આ મુદ્દે દરેક જિલ્લામાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આગામી સમયમાં પહેલી બેઠક કચ્છ ખાતે યોજાશે.આ પણ વાંચોઃ Rajkot News: જામકંડોરણામાં ફોફળ ડેમ કાંઠે લાખોના કેબલ ચોરાતાં ખેડૂતોમાં ભારે રોષ, પોલીસ સામે સવાલો

Read Full Story arrow_forward