android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat : વંદે માતરમ પર મહાભારત, ઇમરાન બોલ્યા ‘માફી નહીં માંગુ ’, ભાજપે પૂછ્યું—‘શું એ ભારતના નાગરિક નથી?’, Video
calendar_today September 9, 2026

Gujarat : વંદે માતરમ પર મહાભારત, ઇમરાન બોલ્યા ‘માફી નહીં માંગુ ’, ભાજપે પૂછ્યું—‘શું એ ભારતના નાગરિક નથી?’, Video

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન વંદે માતરમ ગાન સમયે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ઊભા ન રહેવાના મુદ્દે રાજકીય વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. એક તરફ ખેડાવાલાએ સ્પષ્ટ કર્યું છે કે તેમણે કોઈ ખોટું કર્યું નથી અને આ મામલે માફી માંગવાનો પણ ઇનકાર કર્યો છે, તો બીજી તરફ ભાજપે આ ઘટનાને દેશભક્તિ અને વિધાનસભાની પરંપરા સાથે જોડીને કોંગ્રેસ સામે આક્રમક વલણ અપનાવ્યું છે.ઇમરાન ખેડાવાલાએ શું કહ્યુંઇમરાન ખેડાવાલાએ જણાવ્યું કે ભાજપ પાસે બીજો કોઈ મુદ્દો નથી અને આ મુદ્દાને ચગાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે તેમની પોતાની વિચારધારા છે અને તેનો કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે કોઈ લેવાદેવા નથી. સાથે જ તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ આ મામલે કોઈ માફી માંગવાના નથી. ખેડાવાલાએ એવો પણ દાવો કર્યો કે તેઓ અત્યાર સુધી જે રીતે વંદે માતરમ ગાતા આવ્યા છે, તે રીતે તેમણે ગાયું જ છે અને આ સમગ્ર મામલે તેમણે કંઈ ખોટું કર્યું નથી.  ભાજપે પરંપરાનો મુદ્દો આગળ ધરી કોંગ્રેસને ઘેર્યુંસંસદીય મંત્રી ઋષિકેશ પટેલે ઘટનાને ચોમાસુ સત્રમાં ન બનવા જેવી ઘટના ગણાવી. તેમના જણાવ્યા મુજબ વિધાનસભાની શરૂઆતથી વંદે માતરમ ગાન સાથે સત્રની શરૂઆત કરવાની પરંપરા રહી છે. તેમણે આ મુદ્દે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરવાની વાત પણ કરી. પટેલે કહ્યું કે આવી ઘટનાથી રાજ્યમાં ખોટો સંદેશ જાય છે અને હવે કોંગ્રેસે પોતાનું સ્ટેન્ડ નક્કી કરવું પડશે.  “વંદે માતરમ રાજનીતિનો મુદ્દો નથી” — જીતુ વાઘાણીભાજપ પ્રવક્તા અને મંત્રી જીતુ વાઘાણીએ પણ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે વંદે માતરમ કોઈ રાજકીય મુદ્દો નથી અને આ દેશનું અપમાન છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યનું વ્યક્તિગત સ્ટેન્ડ કેવી રીતે હોઈ શકે?  તેમણે કહ્યું કે આ દેશનો નાગરિક કેવી રીતે કહી શકે માફી નહી માગું, કોંગ્રેસના ચૂંટાયેલા સભ્ય છે વ્યક્તિગત સ્ટેન્ડ કેવીરીતે હોય. તેમણે કહ્યું કે સોનિયા ગાંધી રાહુલ ગાંધી ખડગેજી એ ષડયંત્ર કર્યું છે અને ઠરાવ કર્યા છે. આ મહાન દેશભકતો અને શહીદો નું ગાન છે . ભારતીય તરીકે દરેકને લાગુ પડે છે. શું એ ભારતના નાગરિક નથી? તેમણે કહ્યું કે ઇમરાન ખેડાવાળા ને પૂછું છું ગત સત્રમાં કેમ તમને કોઈ વાંધો નહતો. આ કોંગ્રેસના ષડયંત્રનો ભાગ છે કોંગ્રેસના વલણ પર નજરવાઘાણીએ કોંગ્રેસ પર લઘુમતી તુષ્ટિકરણનો આરોપ લગાવી સમગ્ર ઘટનાને રાજકીય ષડયંત્રનો ભાગ ગણાવ્યો. હવે ઇમરાન ખેડાવાલાના નિવેદન બાદ કોંગ્રેસ આ મુદ્દે સત્તાવાર રીતે શું વલણ અપનાવે છે, તેના પર સૌની નજર છે.  આ પણ વાંચો  :    Malaysia : 72 વર્ષના ફૂટબોલ દિગ્ગજે 20 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, તસવીરો વાયરલ થતાં પરિવારે કરી પુષ્ટિ

Read Full Story arrow_forward
Patan: બગવાડા દરવાજા પાસે 10 ફૂટ ઊંડા ભુવામાં એસટી બસ ફસાઈ; મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
calendar_today September 9, 2026

Patan: બગવાડા દરવાજા પાસે 10 ફૂટ ઊંડા ભુવામાં એસટી બસ ફસાઈ; મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

પાટણ શહેરના હાર્દસમા બગવાડા દરવાજા નજીક મુખ્ય બજારના જાહેર માર્ગ પર આજે એક મોટી હોનારત ટળી હતી. ચાણસ્મા તરફથી મુસાફરોને લઈને પાટણ આવી રહેલી એસટી બસ બગવાડા દરવાજા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક રોડ બેસી ગયો હતો. રસ્તો બેસી જતાં જ અંદાજે 10 ફૂટ ઊંડા ભુવામાં બસનું એક તરફનું ટાયર ઘૂસી ગયું હતું અને બસ એકતરફ નમી ગઈ હતી.બસનું ટાયર ભુવામાં ઘૂસી જતાં બસ નમી ગઈબસ અચાનક નમી જતાં જ તેમાં સવાર મુસાફરોના જીવ તાળવે બંધાયા હતા અને ચીસાચીસ મચી ગઈ હતી. જોકે, બસ ચાલકની ત્વરિત સૂઝબૂઝ અને સદનસીબે બસ પલટી ન જતાં તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જાહેર માર્ગ પર બસ ભુવામાં ફસાતાં જ આસપાસના વેપારીઓ અને સ્થાનિક લોકોના મોટા ટોળાં સ્થળ પર ઉમટી પડ્યા હતા. ઘટના બાદ તરત જ ક્રેન બોલાવીને ભુવામાં ફસાયેલી એસટી બસને કાળજીપૂર્વક બહાર કાઢવામાં આવી હતી.મુસાફરોના જીવ તાળવે ચોંટ્યામુખ્ય બજાર જેવા ગીચ વિસ્તારમાં બસ ભુવામાં ફસાવાની ઘટનાને પગલે નિદ્રાધીન પાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું. બનાવની જાણ થતાં જ પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર સહિતનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ભૂગર્ભ ડ્રેનેજ લાઇનના લીકેજ અથવા ખામીના કારણે રસ્તો અંદરથી ધોવાઈ જતાં આ મોટો ભુવો પડ્યો હોવાનું સામે આવ્યું છે.પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ભુવાવાળી જગ્યા પર બેરિકેટિંગ કરીને મુખ્ય બજારનો એક સાઇડનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. પાલિકા અધિકારીઓએ જણાવ્યું હતું કે ભુવાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે અને આગામી બે દિવસમાં આ કામગીરી પૂર્ણ કરીને રસ્તો પૂર્વવત કરી દેવામાં આવશે.આ પણ વાંચો: Ahmedabad: બદલાતા હવામાને વધાર્યો રોગચાળો; સોલા સિવિલમાં 13 હજારથી વધુ OPD, 1571 દર્દી હોસ્પિટલ ભેગા

Read Full Story arrow_forward
Ahmedabad: બદલાતા હવામાને વધાર્યો રોગચાળો; સોલા સિવિલમાં 13 હજારથી વધુ OPD, 1571 દર્દી હોસ્પિટલ ભેગા
calendar_today September 9, 2026

Ahmedabad: બદલાતા હવામાને વધાર્યો રોગચાળો; સોલા સિવિલમાં 13 હજારથી વધુ OPD, 1571 દર્દી હોસ્પિટલ ભેગા

અમદાવાદ શહેરમાં ઋતુ બદલાતાં જ લોકોના સ્વાસ્થ્ય પર તેની ગંભીર અસરો જોવા મળી રહી છે. વરસાદી માહોલ અને ભેજવાળા વાતાવરણ વચ્ચે શહેરમાં મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા છેલ્લા એક સપ્તાહના આંકડા અત્યંત ચિંતાજનક છે. એક જ સપ્તાહમાં હોસ્પિટલમાં કુલ 13,069 દર્દીઓએ સારવાર માટે OPD માં નોંધણી કરાવી છે, જ્યારે ગંભીર લક્ષણો ધરાવતા 1,571 દર્દીઓને હોસ્પિટલમાં વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.અમદાવાદમાં બદલાતા હવામાને વધાર્યો રોગચાળોહોસ્પિટલના આંકડા મુજબ, મચ્છરજન્ય રોગોમાં સૌથી વધુ ડેન્ગ્યુના130 કેસ નોંધાયા છે. આ સિવાય મેલેરિયાના 24 કેસ સામે આવ્યા છે. તંત્ર માટે વધુ એક ચિંતાનો વિષય એ છે કે આ ચોમાસા/બદલાતી ઋતુમાં સ્વાઈન ફ્લૂના પણ 10 કેસ કન્ફર્મ થતાં આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે. માત્ર મચ્છરજન્ય રોગો જ નહીં, પરંતુ દૂષિત પાણી અને ખોરાકના કારણે ઝાડા-ઉલટી તેમજ ઋતુજન્ય તાવના દર્દીઓથી સોલા સિવિલની OPD ઉભરાઈ રહી છે. સ્વાઈન ફ્લૂના પણ 10 કેસ નોંધાતાં આરોગ્ય તંત્ર એલર્ટસોલા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. કુલીન વ્યાસે જણાવ્યું હતું કે, વર્તમાન વાતાવરણમાં મચ્છરોનો ઉપદ્રવ વધતો હોવાથી ઘરમાં કે આસપાસ પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી લેવી જોઈએ.આ ઉપરાંત, પાણીજન્ય રોગોથી બચવા માટે ઉકાળેલું પાણી પીવું, ખુલ્લો ખોરાક ન ખાવો અને તાવ કે ઝાડા-ઉલટી જેવા લક્ષણો દેખાય તો તુરંત જ સરકારી હોસ્પિટલ કે નજીકના આરોગ્ય કેન્દ્ર પર તબીબી સલાહ લેવી અત્યંત જરૂરી છે.આ પણ વાંચો: Ahmedabad: AMTS બસમાં ‘ડેશ કેમ’ સિસ્ટમ શરૂ, કંટ્રોલ રૂમથી ડ્રાઇવર પર રખાશે સીધી નજર

Read Full Story arrow_forward