android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: દુધરેજ કેનાલમાં પ્રેમી પંખીડાએ ઝંપલાવ્યુ
calendar_today February 5, 2026

Surendranagar: દુધરેજ કેનાલમાં પ્રેમી પંખીડાએ ઝંપલાવ્યુ

સુરેન્દ્રનગરના 80 ફુટ રોડ વિસ્તારમાં આવેલ સારસ્વતનગરમાં રહેતા પરિવારની દિકરી તા. 2ના રોજ રાત્રે કયાંક ચાલી ગઈ હતી. જેમાં પરિવારજનોએ તા. 3ના રોજ બી ડીવીઝન પોલીસ મથકે ગુમ નોંધ કરાવી હતી. જેમાં મફતીયાપરામાં રહેતા એક યુવક સાથે તે ફોનમાં વાત કરતી હોવાનું જણાવ્યુ હતુ. ત્યારે તા. 5ના રોજ બપોરે બન્નેની લાશ દુધરેજ કેનાલના પમ્પીંગ સ્ટેશનમાંથી મળી આવી છે.આજના આધુનીક યુગમાં યુવાન હૈયાઓ ક્ષણીક આકર્ષણને પ્રેમ સમજી બેસે છે. અને માતા-પિતા કે પરિવારનો વીચાર કર્યા વગર ન ભરવાનું પગલુ ભરી બેસે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 2 દિવસમાં પ્રેમી પંખીડાઓના સજોડે આપઘાતના 2 બનાવ સામે આવ્યા છે. જેમાં સુરેન્દ્રનગરની દુધરેજથી ધોળીધજા ડેમ તરફ જતી નર્મદા કેનાલના આવેલ પમ્પીંગ સ્ટેશન પાસે પાણીમાં ગુરૂવારે બપોરે 2 લાશ તરતી હોવાની માહીતી સુરેન્દ્રનગર મહાનગરપાલીકાના ફાયર વિભાગને મળી હતી. આથી ફાયર વિભાગના દેવાંગભાઈ દુધરેજીયા સહિતની ટીમ દોડી ગઈ હતી. જેમાં સૌ પ્રથમ એક યુવતીની લાશ બહાર કઢાઈ હતી. જયારે યુવકની લાશ પાણીમાં ઉંડી ફસાઈ હોય બાદમાં બહાર કાઢવામાં આવી હતી. બનાવની જાણ થતા એ ડીવીઝન પોલીસ મથકના બીટ જમાદાર કાંતીભાઈ પરમાર, મુકેશભાઈ સહિતનાઓ દોડી ગયા હતા. અને બન્નેની લાશને પીએમ માટે સરકારી હોસ્પીટલ લઈ જવાઈ હતી. જયારે મૃતકોની તપાસ કરાતા યુવતી વઢવાણના 80 ફુટ રોડ પર આવેલ સારસ્વતનગરમાં રહેતા પરિવારની 19 વર્ષીય દિકરી જયોતીબેન મનોજભાઈ ચૌહાણ હતી. તે તા. 2ના રોજ રાત્રે ઘરેથી પડોશીના ઘરે જવાનું કહીને નીકળી ગઈ હતી. લાંબો સમય સુધી જયોતીબેન ઘરે પરત ન આવતા પરિવારજનોએ પડોશમાં તપાસ કરતા જયોતી ત્યાં ગઈ જ ન હોવાનું સામે આવ્યુ હતુ. બાદમાં જયોતીએ પિતાને ફોન કરી પપ્પા હું જાઉ છુ, મારી ચિંતા કરતા નહી તેમ જણાવ્યુ હતુ. પરિવારજનોએ આ અંગે તા.3-2ના રોજ સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકે ગુમ નોંધ પણ કરાવી હતી. જયોતીબેન અગાઉ બસ સ્ટેશન નજીક આવેલા સ્વામીનારાયણ મંદિર પાછળના મફતીયાપરામાં રહેતા સાહીલ અલ્લાઉદ્દીનભાઈ માણેક સાથે ફોનમાં વાત કરતી હોવાનું પરીવારજનોને ધ્યાને આવ્યુ હતુ. આથી પરિવારજનોએ સાહીલના ઘરે પણ તપાસ કરી હતી. પરંતુ તે ઘરે હાજર હતો નહી. ત્યારે તા. 5ના રોજ 21 વર્ષીય સાહીલ માણેક અને 19 વર્ષીય જયોતી ચૌહાણની લાશ કેનાલના પમ્પીંગ સ્ટેશનમાંથી મળી આવી છે. બનાવની જાણ થતા બન્નેના પરિવારજનો પણ હોસ્પીટલ દોડી ગયા હતા. આ અંગે વધુ કાર્યવાહી એ ડીવીઝન પોલીસે હાથ ધરી છે ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: CM આજે 539.26 કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
calendar_today February 5, 2026

Surendranagar: CM આજે 539.26 કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે તા. 6ના રોજ સુરેન્દ્રનગર આવી રહ્યા છે. જેમાં શહેરના મુખ્ય એવા રંભાબેન ટાઉનહોલ અને લાયબ્રેરી સહિત રૂપીયા 539.26 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુર્હુત તેમના હસ્તે થનાર છે. આજે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે સુરેન્દ્રનગરમાં વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુર્હુત થનાર છે. શુક્રવારે બપોરે 3-30 કલાકે શહેરના પંડિત દિનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં તેઓ સુરેન્દ્રનગર મનપા તથા વિવિધ વિભાગો હસ્તના 539.26 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરનાર છે. આ તકે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, સામાજીક ન્યાય અને અધીકારીતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા, શિક્ષણ રાજયમંત્રી રીવાબા જાડેજા, શહેરી વિકાસ રાજયમંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા સહિતનાઓ પણ ઉપસ્થીત રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે, વઢવાણના ધારાસભ્ય અને રાજયની વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના પુત્ર ડો. મીતુલના લગ્ન પ્રસંગે પણ મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ ઉપસ્થીત રહેનાર છે. સીએમ દ્વારા 2.49 કરોડના ખર્ચે મૂળીમાં હાઈસ્કુલ, સાયલાના સાપર ગામે 5.98 કરોડના ખર્ચે બનેલ કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય, ટીટોડા ગામે 10.41 ખર્ચે કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય, વઢવાણમાં 42.26 કરોડના ખર્ચે નલ સે જલ યોજના, 8.57 કરોડના ખર્ચે બસ સ્ટેશન પાછળનો રીવરફ્રન્ટ, મનપા વિસ્તારમાં 5.70 કરોડના ખર્ચે ડામર રોડ, 4.64 કરોડના ખર્ચે સીસી રોડ, 2 કરોડના ખર્ચે મીની ફાયર ટેન્ડરનું લોકાર્પણ અને ખાતમુર્હુત થશે. આ ઉપરાંત શહેરના રંભાબેન ટાઉનહોલ અને લાયબ્રેર્રી, નોર્થ ઝોનમાં ફુડ પાર્ક, સાઉથ ઝોનમાં શાક માર્કેટ સહિતના કામો કરાશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dholka: કોઠ સીમમાં આડેધડ માટી ખનનથી જોખમી સ્થિતિ
calendar_today February 5, 2026

Dholka: કોઠ સીમમાં આડેધડ માટી ખનનથી જોખમી સ્થિતિ

કોઠ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા શિહોરીપુરા ગામે એક ખેતરમાં મોટાપાયે માટી ખનન થઈ રહ્યું છે. ગામની જમીનમાં હિટાચી મશીન દ્વારા 9થી 10 ફૂટ સુધી ઊંડું ખોદકામ કરવામાં આવી રહ્યું છે. સરકારી તિજોરીને મોટું નુકશાન થઈ રહ્યું છે. તેમ છતાં સબંધિત તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને માટી ભરેલા ઓવરલોડ ડમ્પર દિવસ-રાત બેફામ અવરજવર કરી રહ્યા છે. માટી ભરેલા ભારે ડમ્પરોના કારણે કોઠ, શિહોરીપુરા ગામે જવાનો માર્ગ સંપૂર્ણ રીતે ખખડધજ બની ગયો છે. રોડની હાલત એટલી બગડી ગઈ છે કે સ્થાનિક લોકો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.ખાસ કરીને શિહોરીપુરાથી કોઠ, અરણેજ, બેગવા રોડ પર ઓવરલોડ ડમ્પરો માતેલા સાંઢની જેમ દોડતા હોવાથી નાના વાહનચાલકો માટે અકસ્માતનો સતત ભય સતાવી રહ્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે માટી ભરેલા ડમ્પર પર કોઈ કાર્પેટ કે કવર બાંધવામાં આવતું નથી. પરિણામે ચાલતી વખતે ધૂળ ઉડતી રહે છે અને બાઇક સવારોની આંખોમાં ધૂળ પડવાથી ગંભીર અકસ્માત સર્જાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. આ સમગ્ર મામલે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે શું કોઈ ખાનગી જમીન કે ખેતરમાં આટલા ઊંડાણ સુધી ખોદકામ કરવાની મંજૂરી લેવામાં આવી છે? કે પછી કોઈ મંજૂરી વગર જ ગેરકાયદેસર રીતે માટી ખનન થઈ રહ્યું છે ? કોઠ, અરણેજ, બેગવા રોડ પર બેફામ દોડતા આ ઓવરલોડ ડમ્પરો કોઠ પોલીસને કે તંત્રને કેમ નજરે પડતા નથી ? કે પછી ભૂમાફ્યિાઓને હવે તંત્રનો ડર રહ્યો નથી ? તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ઉઠી રહ્યા છે. અને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. અને લગતા-વળગતા તંત્ર દ્વારા આવા ગેરકાયદેસર માટી ખનન તથા ઓવરલોડ ડમ્પરો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જોરદાર માંગ ઉઠવા પામી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward