android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
IAFના પૂર્વીય કમાન્ડને મળ્યા નવા વડા, એર માર્શલ ઈન્દ્રપાલસિંહ વાલિયાએ સંભાળ્યો કાર્યભાર
calendar_today February 1, 2026

IAFના પૂર્વીય કમાન્ડને મળ્યા નવા વડા, એર માર્શલ ઈન્દ્રપાલસિંહ વાલિયાએ સંભાળ્યો કાર્યભાર

એર માર્શલ ઈન્દ્રપાલસિંહ વાલિયાએ રવિવાર (1 ફેબ્રુઆરી, 2026)ના રોજ શિલોંગ સ્થિત ભારતીય વાયુસેનાના પૂર્વીય વાયુ કમાન્ડ (EAC)ના એર ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ (AOC-ઇન-સી) તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તેઓ 31 જાન્યુઆરી, 2026ના રોજ નિવૃત્ત થયેલા એર માર્શલ સુરત સિંહનું સ્થાન લીધું છે.તમામ પ્રકારના ફાઈટર પ્લેન ઉડાવવામાં નિષ્ણાંત છે વાલિયા વાલિયા રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમને 11 જૂન, 1988ના રોજ ભારતીય વાયુસેનાના ફાઈટર સ્ટ્રીમમાં કમિશન આપવામાં આવ્યું હતું. વાલિયા એક પ્રતિષ્ઠિત ફાઈટર પાઈલટ છે. મળતી માહિતી મુજબ ઈન્દરપાલસિંહ વાલિયા મિગ-21, મિગ-23, મિગ-27, જગુઆર અને સુ-30 એમકેઆઈના તમામ પ્રકારો ઉડાડવામાં નિષ્ણાંત છે. તેમની પાસે 3,200 કલાકથી વધુનો અકસ્માત-મુક્ત ઉડાનનો અનુભવ છે. 3 દાયકાથી વધુની કારકિર્દીમાં વાલિયાએ વિવિધ કમાન્ડ અને સ્ટાફ હોદ્દાઓ સંભાળ્યા છે. તેમણે મિગ-27 સ્ક્વોડ્રન, ટેક્ટિક્સ એન્ડ એર કોમ્બેટ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (TACDE)ને કમાન્ડ કર્યું છે અને ફ્રન્ટલાઈન એર ઓફિસર કમાન્ડિંગ રહ્યા છે. વાલિયા ફાઈટર સ્ટ્રાઈક લીડર, ઈન્સ્ટ્રુમેન્ટ રેટિંગ ઈન્સ્ટ્રક્ટર અને એક્ઝામિનર (IRIE) છે, અને યુકેમાં એડવાન્સ્ડ કમાન્ડ એન્ડ સ્ટાફ કોર્સ અને બાંગ્લાદેશની નેશનલ ડિફેન્સ કોલેજમાં તાલીમ લીધી છે. વાલિયાએ જાપાન અને દક્ષિણ કોરિયાના દૂતાવાસોમાં પણ સેવા આપી ઈન્દરપાલસિંહ વાલિયાએ જાપાન અને દક્ષિણ કોરિયાના દૂતાવાસોમાં પણ સેવા આપી છે. તેમણે એર કોમોડોર, ડિરેક્ટોરેટ ઓફ એર સ્ટાફ ઈન્સ્પેક્શન (DASI), એર હેડક્વાર્ટરમાં આસિસ્ટન્ટ ચીફ ઓફ એર સ્ટાફ (ટ્રેનિંગ) અને હેડક્વાર્ટર WAC ખાતે એર ડિફેન્સ કમાન્ડર જેવા હોદ્દા સંભાળ્યા છે. AOC-in-C, EACનું પદ સંભાળતા પહેલા, વાલિયા હેડક્વાર્ટર EAC ખાતે સિનિયર એર સ્ટાફ ઓફિસર હતા. એર માર્શલ ઈન્દ્રપાલ વાલિયાએ એર માર્શલ સુરત સિંહનું સ્થાન લીધું તેમની વિશિષ્ટ સેવાઓના સન્માનમાં તેમને 2008માં વાયુ સેના મેડલ (VM) અને 2018માં અતિ વિશિષ્ટ સેના મેડલ (AVSM) એનાયત કરવામાં આવ્યો હતો. એર માર્શલ ઈન્દ્રપાલ વાલિયાએ એર માર્શલ સુરત સિંહનું સ્થાન લીધું છે, જેઓ 39 વર્ષની રાષ્ટ્ર પ્રત્યેની વિશિષ્ટ અને સમર્પિત સેવા પછી 31 જાન્યુઆરી 2026ના રોજ નિવૃત્ત થયા હતા. પૂર્વીય વાયુ કમાન્ડ ઉત્તરપૂર્વ ભારતમાં હવાઈ સંરક્ષણનું નિરીક્ષણ કરે છે, જેનો કાર્યકારી ક્ષેત્ર 11 રાજ્યોમાં ફેલાયેલો છે.આ પણ વાંચો : Maharashtra : DyCM સુનેત્રા પવારને કયા વિભાગોની મળી કમાન? વાંચો આ અહેવાલ

Read Full Story arrow_forward
Rajkot News: પાણીના ટાંકામાંથી મળ્યો મહિલાનો મૃતદેહ
calendar_today February 1, 2026

Rajkot News: પાણીના ટાંકામાંથી મળ્યો મહિલાનો મૃતદેહ

રાજકોટ શહેરમાં પાણીના ટાંકામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. રાજકોટ શહેરમાં આવેલી વ્રજભૂમિ સોસાયટીમાં પાણીના ટાંકામાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. મહિલાના મોતને કારણે દીકરી અને દીકરાએ માતાની છત્રછાયા ગુમાવી છે. આ મહિલાના મોતને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરમાં આવેલી વ્રજભૂમિ સોસાયટીના એક મકાનમાં આવેલા પાણીના ટાંકામાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મહિલાનું નામ ચંદ્રિકાબેન ટપુરીયા છે. જેઓ મૃત હાલતમાં પાણીના ટાંકામાંથી મળી આવ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. હાલ પોલીસ પાણીમાં ડૂબી જવાથી મહિલાનું મોત થયું છે કે પછી આત્મહત્યા કરી છે તે અંગે તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો - Rajkot News: નકલી દવા કૌભાંડમાં મોટી કાર્યવાહી, ઉચ્ચ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ

Read Full Story arrow_forward
Union Budget 2026 : બાંગ્લાદેશના કાપડ સામ્રાજ્યના પાયા હચમચાવી દેશે ભારતનો માસ્ટર પ્લાન
calendar_today February 1, 2026

Union Budget 2026 : બાંગ્લાદેશના કાપડ સામ્રાજ્યના પાયા હચમચાવી દેશે ભારતનો માસ્ટર પ્લાન

કેન્દ્રીય બજેટ 2026-27માં ભારત સરકારે ટેક્સટાઇલ ઉદ્યોગ માટે અત્યંત આક્રમક વ્યૂહરચના અપનાવી છે, જે સીધી રીતે બાંગ્લાદેશના સસ્તા કાપડ બજાર માટે પડકારરૂપ સાબિત થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે 'ચેલેન્જ મોડ'માં મેગા ટેક્સટાઇલ પાર્ક્સ અને ટેકનિકલ ટેક્સટાઇલમાં વેલ્યુ એડિશનની જાહેરાત કરી છે. અત્યાર સુધી બાંગ્લાદેશ 'લીસ્ટ ડેવલપ્ડ કન્ટ્રી' (LDC) હોવાને કારણે યુરોપિયન યુનિયન જેવા બજારોમાં ઝીરો ડ્યુટીનો લાભ મેળવીને ભારત કરતા આગળ નીકળી ગયું હતું. પરંતુ, ભારતે હવે યુરોપિયન યુનિયન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) કરીને આ અડચણ દૂર કરી છે, જેનાથી ભારતીય નિકાસકારોને સમાન તકો મળશે અને આગામી સમયમાં નિકાસ $40 બિલિયન સુધી પહોંચવાની આશા છે.મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ પહેલ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા માટે સરકારે 'મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ પહેલ'ની જાહેરાત કરી છે, જે ખાદી, હેન્ડલૂમ અને હસ્તશિલ્પને વૈશ્વિક બ્રાન્ડ બનાવવામાં મદદ કરશે. આ યોજના હેઠળ તાલીમ, કૌશલ્ય વર્ધન અને ઉત્પાદનની ગુણવત્તા પર ભાર મૂકવામાં આવ્યો છે, જે ભારતની 'વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ' (ODOP) યોજનાને નવી ઉંચાઈએ લઈ જશે. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલના મતે, આ ફેરફારોથી માત્ર નિકાસમાં જ નહીં પરંતુ દેશમાં 6 થી 7 મિલિયન નવી નોકરીઓનું સર્જન થશે. આ બજેટ દ્વારા ભારત હવે ગાર્મેન્ટ સેક્ટરમાં બાંગ્લાદેશના વર્ચસ્વને તોડીને વિશ્વના ટેક્સટાઇલ નકશા પર અગ્રેસર બનવા સજ્જ છે. આ પણ વાંચો : Union Budget 2026 : વ્યસનીઓને ઝટકો! સિગારેટ અને તમાકુ મોંઘા થયા, દારૂ પર TCS ના દરમાં વધારો

Read Full Story arrow_forward