android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ajit Pawar Plane Crash : અજીત પવારનું ક્રેશ થયેલું લિઅરજેટ કંઈક આવું હતું , જુઓ EXCLUSIVE VIDEO
calendar_today January 28, 2026

Ajit Pawar Plane Crash : અજીત પવારનું ક્રેશ થયેલું લિઅરજેટ કંઈક આવું હતું , જુઓ EXCLUSIVE VIDEO

મહારાષ્ટ્રના બારામતીમાં અજીત પવારને લઈને જઈ રહેલું એરક્રાફ્ટ ક્રેશ થઈ જવાને કારણે પાંચ કરતા વધારે લોકો મોતને ભેટ્યા.અજીત દાદા પવાર જે Learjet 45XRમાં સવાર હતા તેની શું ખાસિયત હતી, કેટલી સિટીંગ કેપિસીટી, કેવા પ્રકારનો અંદરનો દેખાવ હતો, આ લિઅર જેટ કઈ રીતે કામ કરે છે વગેરેને લઈ સંદેશ ડિજીટલની ટીમ દ્વારા તેનાથી ઓલ્ડર વર્ઝનના એક એરક્રાફ્ટની અંદર પહોંચ્યુ હતું.જુઓ આખો વીડિયો અને લાઈક, શેર, કોમેન્ટ કરવાનું ભુલશો નહીં.

Read Full Story arrow_forward
Vadnagarમાં સગર્ભા મહિલાઓમાં તમાકુ અને માટી ખાવાના વ્યસનથી તંત્ર ચિંતિત
calendar_today January 28, 2026

Vadnagarમાં સગર્ભા મહિલાઓમાં તમાકુ અને માટી ખાવાના વ્યસનથી તંત્ર ચિંતિત

વડનગર જેતરમાં યોજાયેલી જિલ્લા સ્વાસ્થ્ય પરિષદમાં વડનગર તાલુકા પંચાયતના પ્રમુખ ભારતીબેન પટેલે એક અત્યંત ચોંકાવનારું અને ગંભીર નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, ગ્રામ્ય વિસ્તારોમાં, ખાસ કરીને શ્રમિક વર્ગની ગર્ભવતી મહિલાઓમાં તમાકુ, મસાલા અને શેકેલી માટી ખાવાનું વ્યસન ચિંતાજનક રીતે વધી રહ્યું છે.વ્યસન અને સ્વાસ્થ્ય પર અસર ભારતીબેન પટેલના જણાવ્યા અનુસાર, સુંઢિયા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં સગર્ભા મહિલાઓ દ્વારા કરવામાં આવતું આ વ્યસન સીધી રીતે તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યું છે. આ કુટેવોને કારણે મહિલાઓમાં હિમોગ્લોબિનનું સ્તર સતત ઘટી રહ્યું છે. લોહીની ઉણપને કારણે ગર્ભમાં રહેલા બાળકના વિકાસ પર વિપરીત અસર પડે છે અને જન્મજાત ખામીઓનું જોખમ વધી જાય છે. તંત્રને અપીલ અને ઉપાય આ ગંભીર પરિસ્થિતિને જોતા, તેમણે આરોગ્ય વિભાગ અને આશાવર્કર બહેનોને ખાસ અપીલ કરી છે. તેમણે સૂચવ્યું કે, વર્કર બહેનોએ ગ્રામીણ સ્તરે સગર્ભા મહિલાઓને પ્રેમથી સમજાવીને આ ઘાતક વ્યસનોમાંથી મુક્ત કરવી જોઈએ. રોગ્ય ટીમોએ સગર્ભાઓના ડાયેટ અને આરોગ્યની સતત દેખરેખ રાખવી જોઈએ જેથી કુપોષણ અને એનિમિયા (લોહીની ઉણપ) જેવી સમસ્યાઓ નિવારી શકાય. સામાજિક સ્વાસ્થ્ય માટે લાલબત્તી સમાન ગર્ભવતી મહિલાઓમાં જોવા મળતી આ પ્રથા માત્ર અજ્ઞાનતા નહીં પરંતુ સામાજિક સ્વાસ્થ્ય માટે લાલબત્તી સમાન છે. જો સમયસર જાગૃતિ ફેલાવવામાં નહીં આવે, તો આવનારી પેઢી શારીરિક અને માનસિક રીતે નબળી જન્મી શકે છે. તંત્ર અને સમાજે સાથે મળીને આ દિશામાં નક્કર ડગલાં માંડવા અનિવાર્ય છે. આ પણ વાંચોઃ Railwayનો સિક્રેટ કોડ,ટ્રેનના છેલ્લા ડબ્બા પરના X પાછળનું શું છે રહસ્યા, આવો જાણો

Read Full Story arrow_forward
Botad News: ખનીજ માફિયાઓએ અધિકારીઓની સામે જ ડમ્પરમાંથી રેતી ખાલી કરાવી ચાલકને ભગાડી દીધો
calendar_today January 28, 2026

Botad News: ખનીજ માફિયાઓએ અધિકારીઓની સામે જ ડમ્પરમાંથી રેતી ખાલી કરાવી ચાલકને ભગાડી દીધો

ગુજરાતમાં ખનીજ માફિયાઓ બેફામ બની રહ્યાં છે. બોટાદના રાણપુરમાં ખનીજ માફિયાઓ સામે ફરિયાદ કરવામાં આવી છે. ડમ્પરને અટકાવવામાં આવતા ખનીજ માફિયાઓ પહોંચી ગયા હતાં. ડમ્પરમાંથી રેતી ખાલી કરાવી ડ્રાઈવરને ભગાડી દીધો હતો. ડમ્પર ચાલક સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. રાણપુર પોલીસમાં ફરજમાં રૂકાવટની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરજમાં બળજબરીથી અવરોધ ઉભો કર્યો રાણપુર પોલીસમાં ગેરકાયદે રેતી ભરેલા ડમ્પરના ચાલક સહિત ચાર શખ્સો સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધવામાં આવી છે. રાણપુરથી પાળિયાદ કેનાલ રોડ પર બોટાદ ખનીજ વિભાગની ટીમ દ્વારા ગેરકાયદે રેતી ભરેલા ડમ્પરને અટકાવવા જતાં ડમ્પર ચાલક ફરાર થયો હતો. આ દરમિયાન સ્કોર્પિયો અને મોપેડ સાથે પહોંચેલા કેટલાક ઈસમોએ સરકારી અધિકારીઓની કાયદેસરની ફરજમાં બળજબરીથી અવરોધ ઉભો કર્યો હતો. ત્રણ સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી આ શખ્સોએ ડમ્પરમાંથી ગેરકાયદે રેતી ખાલી કરાવી અને ડમ્પર તથા ચાલકને ભગાડી દીધા હતાં. અંદાજે 40 ટન રેતી અને 40 લાખની કિંમતના ડમ્પરનો ઉપયોગ થયો હોવાનો ફરિયાદમાં ખુલાસો થયો છે. બોટાદ ખનીજ વિભાગના માઈન સુપરવાઈઝરે રામભાઈ બોળિયા તેમજ મોટરસાયકલના ચાલક, ડમ્પર ચાલક અને અન્ય ત્રણ સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચોઃ Gandhinagar News: અમદાવાદ મહેસાણા વચ્ચેના હાઈવેને 2630 કરોડના ખર્ચે આઠ માર્ગીય કરવાની મંજૂરી

Read Full Story arrow_forward