android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News : તડકેશ્વર જેવી ઘટના થવાની શક્યતા, 15 લાખ લીટરની પાણીની ટાંકી માત્ર 10 વર્ષમાં જર્જરિત!
calendar_today January 23, 2026

Surat News : તડકેશ્વર જેવી ઘટના થવાની શક્યતા, 15 લાખ લીટરની પાણીની ટાંકી માત્ર 10 વર્ષમાં જર્જરિત!

સુરતના વડોદ વિસ્તારમાં આવેલી 15 લાખ લીટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી માત્ર 10 વર્ષના ટૂંકા ગાળામાં જર્જરિત અવસ્થામાં પહોંચતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ ટાંકીનું ખાતમૂહુર્ત વર્ષ 2011માં કરવામાં આવ્યું હતું અને વર્ષ 2015માં તેનું વિધિવત લોકાર્પણ કરીને જનતા માટે ખુલ્લી મુકવામાં આવી હતી. જોકે, દસકાની અંદર જ ટાંકીના પોપડા ઉખડવા અને લોખંડના સળિયા દેખાવા લાગતા સુરત મહાનગરપાલિકાના વિકાસ મોડલ અને બાંધકામમાં વપરાયેલા મટીરિયલની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.કરોડોનો ધુમાડો તાજેતરમાં જ સુરતના તડકેશ્વર વિસ્તારમાં પાણીની ટાંકી તૂટી પડવાની ઘટના બની હતી, જેમાં જાનમાલનું નુકસાન થયું હતું. વડોદની આ ટાંકીની હાલત પણ અત્યંત ભયજનક છે, જે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જી શકે છે. રહેણાંક વિસ્તારની વચ્ચે આવેલી આ ટાંકી જો ધરાશાયી થાય તો મોટી જાનહાનિ થવાની ભીતિ છે. મનપાના એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે કરોડોના ખર્ચે બનેલી સરકારી મિલકતો આટલી જલ્દી ખખડધજ થઈ રહી હોવાના આક્ષેપો સાથે સ્થાનિકો ત્વરિત સમારકામ અથવા નવી ટાંકીની માંગ કરી રહ્યા છે. આ પણ વાંચો : Jamnagar માં પ્રેમ લગ્નનું લોહિયાળ પરિણામ, લવ મેરેજની અદાવતમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી કરપીણ હત્યા

Read Full Story arrow_forward
Agriculture News : જિલ્લાના તમામ ખેડૂતો માટે ‘યુનિક ફાર્મર આઈડી’ફરજિયાત, પીએમ-કિસાનના 22માં હપ્તા માટે રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય
calendar_today January 23, 2026

Agriculture News : જિલ્લાના તમામ ખેડૂતો માટે ‘યુનિક ફાર્મર આઈડી’ફરજિયાત, પીએમ-કિસાનના 22માં હપ્તા માટે રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય

આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોની નોંધણી માટે વર્ષ ૨૦૨૪-૨૫થી ‘ફાર્મર રજિસ્ટ્રી’ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ પ્રક્રિયા દ્વારા દરેક ખેડૂતને આધાર કાર્ડની જેમ ૧૧ આંકડાનો ‘યુનિક ફાર્મર આઈડી’ આપવામાં આવશે, જે ભવિષ્યમાં ખેતીલક્ષી તમામ સેવાઓ માટે પાયાનું ઓળખપત્ર બનશે. જે ખેડૂતો આ રજિસ્ટ્રેશન નહીં કરાવે તેમને હપ્તો મેળવવામાં મુશ્કેલી આ ફાર્મર રજિસ્ટ્રીનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અમલી વિવિધ કૃષિ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતો સુધી વધુ સરળતાથી, પારદર્શક રીતે અને સમયસર પહોંચાડવાનો છે. સરકારની વિવિધ સહાય યોજનાઓ, સબસિડી અને ખેતીલક્ષી માર્ગદર્શન માટે આ રજિસ્ટ્રેશન અત્યંત મહત્વનું છે. ખાસ કરીને ભારત સરકાર દ્વારા આપવામાં આવતા પીએમ-કિસાન યોજનાના ૨૨મા હપ્તાનો લાભ મેળવવા માટે હવે ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. જે ખેડૂતો આ રજિસ્ટ્રેશન નહીં કરાવે, તેઓને આગામી હપ્તાની રકમ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. આ ડિજિટલ વ્યવસ્થાથી ખેડૂતોને વારંવાર દસ્તાવેજો રજૂ કરવાની પ્રક્રિયામાંથી મુક્તિ મળશે અને સરકારી સહાયની ચોકસાઈમાં વધારો થશે. રાજ્ય સરકાર ખેડૂતોના સર્વાંગી ઉત્કર્ષ માટે કટિબદ્ધ છે ત્યારે આ આઈડી કૃષિ સેવાઓને વધુ સુલભ બનાવવામાં પાયાની ભૂમિકા ભજવશે. જે ખેડૂત મિત્રો પીએમ-કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે અથવા ભવિષ્યમાં બિયારણ, ખાતર, કૃષિ સાધનોની સબસિડી વગેરેનો લાભ લેવા માંગે છે, તેમણે આ રજિસ્ટ્રેશન સત્વરે કરાવવું પડશે. નોંધણી વગર ખેડૂતો સરકારી યોજનાઓના લાભથી વંચિત રહી શકે છે. ડિજિટલ પરિવર્તનનો હિસ્સો બનવા માટે જિલ્લાના તમામ ખેડૂત ખાતેદારોએ તાત્કાલિક નોંધણી કરાવવી જરૂરી ખેડૂતોની સુવિધા માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અત્યંત સરળ રાખવામાં આવી છે. ખેડૂત ખાતેદારો પોતાના ગામના VCE/VLE ઓપરેટર અથવા નજીકના જનસેવા કેન્દ્ર પર જઈને નોંધણી કરાવી શકે છે. તદુપરાંત, ટેકનોલોજીનો ઉપયોગ કરતા ખેડૂતો પોતે જ પોતાના મોબાઈલ ફોન દ્વારા gjfr.agristack.gov.in પોર્ટલ પર જઈને ‘સેલ્ફ રજિસ્ટ્રેશન’ કરી શકે છે. રજિસ્ટ્રેશન સમયે ખેડૂતે પોતાનું આધાર કાર્ડ, આધાર સાથે લિંક થયેલો મોબાઈલ નંબર અને જમીનની અધ્યતન વિગતો ૭/૧૨ અને ૮-અ સાથે રાખવાની રહેશે. સરકારી યોજનાઓનો અવિરત લાભ મેળવવા અને કૃષિ ક્ષેત્રે આવતા ડિજિટલ પરિવર્તનનો હિસ્સો બનવા માટે જિલ્લાના તમામ ખેડૂત ખાતેદારોએ તાત્કાલિક નોંધણી કરાવવી જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઈપણ સરકારી સહાયથી વંચિત રહેવું ન પડે, તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે. આ પણ વાંચો : Suratમાં સિટી બસને લઇ પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં, લોકો જીવન જોખમે મુસાફરી કરતા જોવા મળ્યા, જુઓ Video

Read Full Story arrow_forward
Vadodara News: કરજણમાં મગરની હત્યા કરી તળાવમાં ફેંકી દીધો, વન વિભાગ હરકતમાં
calendar_today January 23, 2026

Vadodara News: કરજણમાં મગરની હત્યા કરી તળાવમાં ફેંકી દીધો, વન વિભાગ હરકતમાં

વડોદરા જિલ્લામાં મગરોની વસ્તી અને તેમના સંરક્ષણ માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે, પરંતુ કરજણ તાલુકાના ચોરભુજ ગામે માનવ સંવેદનાને શરમાવે તેવી એક ઘટના બની છે. અહીં પર્યાવરણના સંતુલનમાં મહત્વનો ભાગ ભજવતા એક જળચર મગરને ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે વન્યજીવ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.રાત્રિના અંધકારમાં ખેલાયો લોહિયાળ ખેલ ઘટનાની મળતી માહિતી અનુસાર, કોઈ અજાણ્યા શખ્સોએ રાત્રિના અંધકારનો લાભ લઈ મગર પર જીવલેણ હુમલો કર્યો હતો. મગરને મોતને ઘાટ ઉતાર્યા બાદ પુરાવાનો નાશ કરવાના ઈરાદે તેના મૃતદેહને ગામના તળાવમાં ફેંકી દેવામાં આવ્યો હતો. સવારે જ્યારે ગ્રામજનોને આ અંગે જાણ થઈ ત્યારે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. વન વિભાગ હરકતમાં, પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ ઘટનાની જાણ થતા જ કરજણ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. વન વિભાગના અધિકારીઓએ તળાવમાંથી મગરના મૃતદેહને બહાર કાઢીને કબ્જે લીધો હતો. મગરના શરીર પર ઈજાના નિશાન હોવાથી તેને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મગરના મોતનું ચોક્કસ કારણ અને તેને કયા હથિયારથી મારવામાં આવ્યો છે તેની વિગતો સ્પષ્ટ થશે. આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન વન વિભાગે વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વન વિભાગ દ્વારા ગામના શંકાસ્પદ શખ્સોની પૂછપરછ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ એક ગંભીર ગુનો છે અને જે પણ શખ્સો આમાં સંડોવાયેલા હશે, તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જળચર પ્રાણીઓ પ્રત્યેની આવી નિર્દયતા પર્યાવરણ માટે ખતરા સમાન છે, ત્યારે સ્થાનિકો પણ આરોપીઓને સત્વરે પકડવાની માગ કરી રહ્યા છે. આ પણ વાંચો - Vadodara News : વડોદરાના સાવલીમાં પોલીસ કસ્ટડીમાં હત્યાના આરોપીએ કર્યો આપઘાત, ઉત્તરપ્રદેશથી ઝડપાયો હતો આરોપી

Read Full Story arrow_forward