android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ પહેલા ટિકિટોની કાળાબજારી, બે આરોપીઓ ઝડપાયા
calendar_today January 11, 2026

Vadodara: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ પહેલા ટિકિટોની કાળાબજારી, બે આરોપીઓ ઝડપાયા

વડોદરામાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન ડે મેચ રમાવાની છે. આ મેચ પહેલા જ ટિકિટની કાળાબજારી કરતા બે શખ્સોને પકડી લેવામાં આવ્યા છે. બંને પાસેથી અલગ અલગ લેવલની 17 ટિકિટો કબજે કરવામાં આવી છે. પોલીસે બંને આરોપીઓને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે. 5 ગણા ભાવે તમામ ટિકિટની કાળા બજાર કરતા હતા વડોદરામાં આજે રમાનારી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ વન ડે પહેલા જ પોલીસ સક્રિય થઈ ગઈ હતી. ટિકિટોની કાળા બજારી કરનારા સામે પોલીસે તવાઈ બોલાવી હતી. જેમાં કેતન પટેલ અને હિતેશ જોષીને બ્લેકમાં ટિકિટ વેચતા પોલીસે ઝડપી પાડયા હતાં. બંને પાસેથી પોલીસે અલગ અલગ લેવલની 17 ટિકિટો કબજે કરી હતી. આરોપીઓ મુળ ભાવ કરતાં પાંચ ગણા ભાવે ટિકિટો કાળા બજારમાં વેચતા હતાં. બંને આરોપી યુવકો પાસેથી 31 હજારની કિંમતની વન-ડે મેચની ટિકિટો મળી આવી છે. આ પણ વાંચોઃ Gir Somnath SwabhimanParv : વડાપ્રધાન મોદીએ કહ્યું, સરદાર પટેલે સોમનાથના પુનઃ નિર્માણ માટેના શપથ લીધા ત્યારે તેમને પણ રોકવામાં આવ્યાં

Read Full Story arrow_forward
Bhavnagar : આલ્ફ્રેડ મેદાનમાં યોગશક્તિનો શંખનાદ,વિવેકાનંદ કેન્દ્રનો નવતર પ્રયોગ
calendar_today January 11, 2026

Bhavnagar : આલ્ફ્રેડ મેદાનમાં યોગશક્તિનો શંખનાદ,વિવેકાનંદ કેન્દ્રનો નવતર પ્રયોગ

ભાવનગરની શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિરાસતના પ્રતીક સમાન આલ્ફ્રેડ હાઈસ્કૂલના મેદાનમાં તાજેતરમાં એક ઐતિહાસિક અને અભૂતપૂર્વ કાર્યક્રમ સંપન્ન થયો. વિવેકાનંદ કેન્દ્ર, કન્યાકુમારીની ભાવનગર શાખા દ્વારા આયોજિત 'સૂર્યનમસ્કાર મહાયજ્ઞ' એ શહેરના આંગણે ખરા અર્થમાં યોગશક્તિનો મહાકુંભ સાબિત થયો હતો. આયોજન પાછળનો ઉમદા ઉદ્દેશ્ય આજના આધુનિક અને દોડધામભર્યા સમયમાં યુવા પેઢી માનસિક તણાવ અને શારીરિક શિથિલતાનો ભોગ બની રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, શહેરના યુવાનોમાં શારીરિક સુદ્રઢતા અને માનસિક શાંતિ પ્રત્યે જાગૃતિ લાવવાના પવિત્ર હેતુથી આ કાર્યક્રમ ઘડાયો હતો. આયોજકોનો મુખ્ય લક્ષ્યાંક યુવાનોને વ્યસનમુક્ત, તણાવમુક્ત અને સ્વસ્થ જીવનશૈલી તરફ વાળવાનો હતો. શિસ્ત અને ઉત્સાહનો સંગમ વહેલી સવારના શીતળ વાતાવરણમાં ભાવનગરના હજારો વિદ્યાર્થીઓ, યુવા શક્તિ અને શહેરના અગ્રણીઓ કેસરીયા સાફા અને યોગના ગણવેશમાં સજ્જ થઈને મેદાનમાં ઉમટી પડ્યા હતા. જ્યારે એકસાથે હજારો હાથ સૂર્યનારાયણની વંદનામાં ઊંચકાયા, ત્યારે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક અને ઊર્જાવાન બની ગયું હતું. આ દ્રશ્ય ભારતીય યોગ પરંપરાની ભવ્યતાને જીવંત કરતું હતું. આરોગ્ય અને શિસ્તનો સંદેશ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા યોગના મહત્વ પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. માત્ર શારીરિક કસરત જ નહીં, પરંતુ યોગ એ 'જીવન જીવવાની કળા' છે તે સમજાવવામાં આવ્યું હતું. સૂર્યનમસ્કાર દ્વારા કેવી રીતે એકાગ્રતા વધારી શકાય અને માનસિક સ્થિરતા પ્રાપ્ત કરી શકાય, તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ પણ વાંચોઃ સોમનાથમાં સ્વાભિમાન પર્વ, શોર્ય યાત્રામાં જોડાયા PM મોદીનો ભવ્ય રોડ શો 

Read Full Story arrow_forward
Narmada News : એકતાનગરના આકાશમાં રંગોનો મેળો, SOU ખાતે 'આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ
calendar_today January 11, 2026

Narmada News : એકતાનગરના આકાશમાં રંગોનો મેળો, SOU ખાતે 'આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે ભવ્ય 'આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ–2026'નું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુક્ત ઉપક્રમે ડેમ વ્યૂ પોઇન્ટ–1 ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ મહોત્સવનું ઉદ્ઘાટન રાજ્યકક્ષાના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સાનિધ્યમાં ગુજરાતની જીવંત સંસ્કૃતિ અને પરંપરાને વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરી હતી.ગુજરાતની સંસ્કૃતિને મળ્યું વૈશ્વિક મંચ આ વર્ષના મહોત્સવમાં કુલ 21 દેશોના ૪૫ વિદેશી પતંગબાજો અને ભારતભરના વિવિધ રાજ્યોના ૩૪ પતંગબાજો મળી કુલ 79 કલાકારોએ ભાગ લીધો હતો. આકાશમાં લહેરાતા અવનવા આકારના અને રંગબેરંગી પતંગોએ પ્રવાસીઓ તેમજ સ્થાનિક નાગરિકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વિશાળ પતંગોના કરતબો જોઈને લોકોમાં ભારે ઉત્સાહ અને આનંદનું વાતાવરણ જોવા મળ્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરે આ પ્રકારના આયોજનથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવાસન ક્ષમતામાં વધારો થયો છે અને પતંગબાજીની પરંપરાને એક નવું આયામ મળ્યું છે. આ પણ વાંચો : Mehsana News : ખેરાલુ નાગરિક બેંકની ચૂંટણી પર ફરી ગ્રહણ, હાઇકોર્ટે સ્ટે આપતા બીજી વાર ચૂંટણી મોકૂફ

Read Full Story arrow_forward