android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Tej Pratap Yadav News: RJDમાંથી સસ્પેન્ડ કર્યા બાદ પ્રથમ વખત લાલુ યાદવ અને તેજ પ્રતાપ યાદવ વચ્ચે મુલાકાત, જાણો શું થઇ વાતચીત?
calendar_today January 9, 2026

Tej Pratap Yadav News: RJDમાંથી સસ્પેન્ડ કર્યા બાદ પ્રથમ વખત લાલુ યાદવ અને તેજ પ્રતાપ યાદવ વચ્ચે મુલાકાત, જાણો શું થઇ વાતચીત?

દિલ્હીમાં બહેન મીસા ભારતીના નિવાસસ્થાને તેજ પ્રતાપ યાદવ અને લાલુ યાદવની વિવાદ બાદ પ્રથમ મુલાકાત થઇ હતી. પિતા-પુત્ર વચ્ચે મુલાકાત આરજેડી અને પરિવારમાંથી સસ્પેન્ડ કર્યા બાદ તેજ પ્રતાપ યાદવે પોતાની નવી પાર્ટી બનાવી અને ચૂંટણી લડ્યા હતા. આ દરમિયાન હવે દિલ્હીમાં બહેન મીસા ભારતીના ઘરે પિતા લાલુ પ્રસાદ યાદવ સાથે પુત્ર તેજ પ્રતાપે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સૌ કોઇ જાણવા ઇચ્છે કે, બન્ને વચ્ચે શું વાતચીત થઇ હતી. 'લેન્ડ ફોર જોબ' મામલે દિલ્હી સ્થિત રાઉઝ એવેન્યૂ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. અને આ દરમિયાન પરિવારના તમામ સભ્યો કોર્ટ પહોંચ્યા હતા. બહેનના ઘરે થઇ મુલાકાત દિલ્હી સ્થિત રાઉઝ એવેન્યૂ કોર્ટમાં તેજ પ્રતાપ અને લાલુ યાદવ વચ્ચે મુલાકાત થઇ હતી. પરંતુ બન્નેમાંથી કોઇએ પણ વાતચીત કરી ન હતી. કોર્ટમાં ઉપસ્થિત રહ્યા બાદ દિલ્હી સ્થિત મીસા ભારતીના આવાસ પર તેજ પ્રતાપ પહોંચ્યા હતા. અને પિતા સાથે મુલાકાત કરી હતી. બાદમાં મીડિયા સાથે રૂબરુ થતા તેજ પ્રતાપે કહ્યુ હતુ કે, હું મારા પિતાને મળ્યો. મેં તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી. તેઓ હાલમાં સારા નથી. મેં તેમને દહીં-ચુર્મા માટે આમંત્રણ આપ્યું છે. શું હતો મામલો ? એ નોંધવું જોઈએ કે અનુષ્કા યાદવની ઘટના પછી, લાલુ યાદવે તેમના મોટા પુત્ર તેજ પ્રતાપને છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા અને તેમને પરિવારમાંથી પણ હાંકી કાઢ્યા હતા. ત્યારબાદ તેજ પ્રતાપે પોતાની પાર્ટી, જનશક્તિ જનતા દળની રચના કરી. તેમણે મહુઆથી 2025ની વિધાનસભા ચૂંટણી લડી હતી પરંતુ હારી ગયા હતા. તેઓ હવે મકરસંક્રાંતિ પર દહીં-ચુર્મા મિજબાનીનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યા છે. તેમણે ઘણા NDA નેતાઓને આમંત્રણ આપ્યું છે. આ પણ વાંચોઃ Ankita Bhandari Case: સમગ્ર પ્રકરણની તપાસ સીબીઆઇને સોંપાશે, એસઆઇટીનું પણ કરાયુ ગઠન, જાણો શું કહ્યુ સીએમ ધામીએ? 

Read Full Story arrow_forward
Godhraમાં રાજપૂત સંગઠનનો શતાબ્દી મહોત્સવ, રજવાડી વેશભૂષા અને તલવારબાજીના કરતબ સાથે નીકળી ભવ્ય રેલી
calendar_today January 9, 2026

Godhraમાં રાજપૂત સંગઠનનો શતાબ્દી મહોત્સવ, રજવાડી વેશભૂષા અને તલવારબાજીના કરતબ સાથે નીકળી ભવ્ય રેલી

ગોધરામાં રાજપૂત સમાજના સંગઠનની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ ઐતિહાસિક પળને વધાવવા માટે શહેરના મુખ્ય માર્ગો પર એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજપૂત સમાજ સંપૂર્ણ 'રાજપુતાના' અંદાજમાં જોવા મળ્યો હતો.શૌર્ય અને પરંપરાના દર્શન રેલીમાં સમાજના યુવાનો, વડીલો અને મહિલાઓ વિવિધ રજવાડી વેશભૂષા ધારણ કરીને જોડાયા હતા. રેલીનું મુખ્ય આકર્ષણ બાઈક પર સવાર રાજપૂતાણીઓ હતી, જેમણે હાથમાં તલવાર સાથે શૌર્યપૂર્ણ કરતબ બતાવીને ઉપસ્થિત મેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. કેસરીયા સાફા અને રજવાડી પોશાકમાં સજ્જ સમાજના લોકોએ પોતાની સાંસ્કૃતિક વિરાસતનું પ્રદર્શન કર્યું હતું. મહાનુભાવોની ઉપસ્થિતિ આ મહોત્સવમાં રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ પણ ઉત્સાહભેર જોડાયા હતા. જેમાં, જયદર્થસિંહ પરમાર: હાલોલના ધારાસભ્ય અને સમાજના અગ્રણી, સી.કે. રાઉલજી: ગોધરાના ધારાસભ્ય, આ ઉપરાંત વિવિધ રજવાડાઓના રાજવી પરિવારો અને મહાનુભાવોએ પણ હાજરી આપીને શોભા વધારી હતી. સંગઠનના 100 વર્ષની આ સફરને યાદગાર બનાવવા માટે યોજાયેલા આ કાર્યક્રમે સમાજની એકતા અને ગૌરવશાળી ઈતિહાસને ઉજાગર કર્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar News: બાળકનું શંકાસ્પદ મોત, હરકતમાં આરોગ્ય તંત્ર
calendar_today January 9, 2026

Gandhinagar News: બાળકનું શંકાસ્પદ મોત, હરકતમાં આરોગ્ય તંત્ર

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સુજાના મુવાડા ગામમાં એક 8 વર્ષીય બાળકનું શંકાસ્પદ મોત નીપજતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. આ ઘટનાને ગંભીરતાથી લઈને ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્ર સહિત રિઝ્યોનલ પ્રાદેશિક કમિશનર તાત્કાલિક દહેગામ દોડી આવ્યા હતા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. કિશોરના મોત પાછળ પાણીજન્ય રોગચાળો કારણભૂત હોવાની આશંકા વચ્ચે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તપાસ શરૂ કરવામાં આવી છે.8500 ઘરોનો સર્વે આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારના રોગચાળાને ફેલાતો અટકાવવા માટે દહેગામ શહેર અને તાલુકાના અંદાજે 8500 થી વધુ ઘરોનો સઘન સર્વે હાથ ધરવામાં આવ્યો છે. ખાસ કરીને તાવ અને ટાઈફોઈડના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓની ચકાસણી કરવામાં આવી રહી છે. સર્વે દરમિયાન દહેગામની પોલીસ લાઈન અને રાવળવાસ વિસ્તારમાંથી બે શંકાસ્પદ કેસ મળી આવ્યા હતા. જોકે, રાહતના સમાચાર એ છે કે, તેમના ટાઈફોઈડ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. પાણીના ક્લોરીનેશન માટે કડક સૂચના ઘટના બાદ પાણીના નમૂનાઓની ચકાસણી કરવામાં આવી છે. પ્રાદેશિક કમિશનર અને આરોગ્ય અધિકારીઓએ દહેગામ પાલિકા તંત્રને સૂચના આપી છે કે, દહેગામ શહેરના તમામ વિસ્તારોમાં ફરજિયાતપણે સુપર ક્લોરીનેશનયુક્ત શુદ્ધ પાણી પૂરૂં પાડવામાં આવે. પાણીજન્ય રોગચાળો માથું ન ઉંચકે તે માટે પાણીની પાઈપલાઈનોમાં લીકેજ અને સ્વચ્છતાની પણ તપાસ કરવામાં આવી રહી છે. તંત્ર એલર્ટ મોડ પર ગાંધીનગર જિલ્લાના અન્ય વિસ્તારોમાં અગાઉ ફેલાયેલા ટાઈફોઈડના કેસોને ધ્યાને રાખીને દહેગામ પાલિકા અને તાલુકા આરોગ્ય તંત્ર હાલ એલર્ટ મોડ પર છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, પરિસ્થિતિ હાલ નિયંત્રણમાં છે, પરંતુ સાવચેતીના ભાગરૂપે સર્વેલન્સની કામગીરી ચાલુ રાખવામાં આવશે. નાગરિકોને પણ પાણી ઉકાળીને પીવાની અને સ્વચ્છતા જાળવવાની અપીલ કરવામાં આવી છે. આ પણ વાંચો - Gandhinagar News : ભૂકંપના આંચકાથી ડરશો નહીં, સિસ્મોલોજી વિભાગે જણાવ્યું આંચકા પાછળનું અસલી કારણ

Read Full Story arrow_forward