android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Jetpur ના પાંચપીપળા ગામે 20 વર્ષીય પરિણીતાનો આપઘાત, આપઘાતનું કારણ અકબંધ, પોલીસ તપાસ શરુ
calendar_today January 8, 2026

Jetpur ના પાંચપીપળા ગામે 20 વર્ષીય પરિણીતાનો આપઘાત, આપઘાતનું કારણ અકબંધ, પોલીસ તપાસ શરુ

જેતપુરમાં ખુશી વિવેકભાઈ પરમાર નામની 20 વર્ષીય પરણિતાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરુ કરી છે.મૃતકના પતિ તે સમયે બહાર પાન ખાવા ગયા હતા મૃતકના પતિ તે સમયે બહાર પાન ખાવા ગયા હતા અને મહિલા ઘરમાં એકલા હતી. આ દરમિયાન તેણીએ આ ચિંતાજનક પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. ઉદ્યોગનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી મૃતકના મૃતદેહને તાત્કાલિક જેતપુર સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. જેતપુર ઉદ્યોગનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને મૃત્યુના કારણો અંગે તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો----    Kheda: કઠલાલમાં ગળું કપાયેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળતા સનસનાટી, હત્યારાઓની શોધખોળ શરુ

Read Full Story arrow_forward
અડગ શ્રદ્ધાનું શિખર સોમનાથ સરદાર પટેલનો સંકલ્પ અને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં નવતર વિકાસ
calendar_today January 8, 2026

અડગ શ્રદ્ધાનું શિખર સોમનાથ સરદાર પટેલનો સંકલ્પ અને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં નવતર વિકાસ

ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના કેન્દ્રસમાન સોમનાથ મંદિરનો ઇતિહાસ અડગ શ્રદ્ધા અને અવિરત પુનર્નિર્માણની અપ્રતિમ કહાની છે. દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાન ધરાવતું આ પવિત્ર ધામ સદીઓથી ભારતીય અસ્મિતાનું રક્ષક રહ્યું છે.

Read Full Story arrow_forward
Surat News : નવી સિવિલ હોસ્પિટલ રોડ પર કૂતરાનો આતંક, દરરોજ નોંધાય છે 130 થી વધુ કેસ...!
calendar_today January 8, 2026

Surat News : નવી સિવિલ હોસ્પિટલ રોડ પર કૂતરાનો આતંક, દરરોજ નોંધાય છે 130 થી વધુ કેસ...!

સુરત શહેરમાં રખડતા કૂતરાઓનો આતંક અત્યારે ચરમસીમાએ પહોંચ્યો છે, જેના કારણે નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલના આંકડા ચોંકાવનારા છે, જ્યાં દરરોજ સરેરાશ 130 જેટલા કૂતરા કરડવાના કેસ નોંધાઈ રહ્યા છે. આ પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે હોસ્પિટલના એન્ટી-રેબીઝ સેન્ટરમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળે છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રખડતા શ્વાનો હવે હિંસક બની રહ્યા છે, જેના કારણે રસ્તા પરથી પસાર થવું પણ જોખમી બન્યું છે.સુરતીઓ ત્રાહિમામ સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે આ હુમલાઓનો શિકાર મોટાભાગે નિર્દોષ નાના બાળકો બની રહ્યા છે. રહેણાંક વિસ્તારો અને સોસાયટીઓમાં રમતા બાળકો પર કૂતરાઓ ત્રાટકતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. જોકે, રખડતા કૂતરાઓના પ્રશ્ને સુપ્રીમ કોર્ટે પણ કડક વલણ અખત્યાર કર્યું છે, પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી નસબંધી કે રસીકરણની કામગીરી જમીની સ્તરે નિષ્ફળ સાબિત થઈ રહી હોય તેવું જણાય છે. તંત્રની ઢીલી નીતિને કારણે સામાન્ય જનતા અને ખાસ કરીને બાળકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. આ પણ વાંચો : Nasvadi ના ચામેઠા PHC ની બેદરકારી, હોસ્પિટલના રસોડામાં ધમધમે છે લેબોરેટરી, દર્દીઓ રામભરોસે

Read Full Story arrow_forward