android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat : ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો હાઉસફૂલ, હોળી પૂર્વે એડવાન્સ બુકિંગમાં જ તમામ સીટો ભરાઈ
calendar_today January 8, 2026

Surat : ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો હાઉસફૂલ, હોળી પૂર્વે એડવાન્સ બુકિંગમાં જ તમામ સીટો ભરાઈ

હોળીના તહેવારને લઈ સુરતથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. એડવાન્સ બુકિંગ ખૂલતાની સાથે જ મોટાભાગની ટ્રેનો હાઉસફૂલ થઈ ગઈ છે, જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.તાપ્તીગંગા એક્સપ્રેસ અને દાનાપુર એક્સપ્રેસ જેવી મહત્વની ટ્રેનોમાં વેઇટિંગ રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર તાપ્તીગંગા એક્સપ્રેસ અને દાનાપુર એક્સપ્રેસ જેવી મહત્વની ટ્રેનોમાં વેઇટિંગ ટિકિટ મળવી પણ મુશ્કેલ બની ગઈ છે. કેટલીક ટ્રેનોમાં તો મુસાફરીની તારીખથી 60 દિવસ પહેલાં જ તમામ ટિકિટો બુક થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.  વતન જવા માટે મોટી સંખ્યામાં લોકો રેલવે પર નિર્ભર ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં કામ કરતા શ્રમિકો અને વેપારીઓ તહેવાર દરમિયાન પોતાના વતન જવા માટે મોટી સંખ્યામાં રેલવે પર નિર્ભર રહે છે. હોળી નજીક આવતા મુસાફરોની સંખ્યા વધતા રેલવે તંત્ર પર પણ દબાણ વધ્યું છે.  વધારાની સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવે મુસાફરોએ માંગ કરી છે કે વધારાની સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવે, જેથી તહેવાર દરમિયાન પ્રવાસ વધુ સરળ બની શકે. આ પણ વાંચો----   United States ભારતની આગેવાની હેઠળના સોલાર એલાયન્સ સહિત 65 આંતરરાષ્ટ્રીય સંગઠનોમાંથી બહાર નિકળી ગયું

Read Full Story arrow_forward
Rajkot News : ગોંડલના મોટા ઉમવાળામાં ખનીજ વિભાગના દરોડા, નંબર પ્લેટ વગરના 1 JCB અને 2 ટ્રેક્ટર કબજે લેવાયા
calendar_today January 8, 2026

Rajkot News : ગોંડલના મોટા ઉમવાળામાં ખનીજ વિભાગના દરોડા, નંબર પ્લેટ વગરના 1 JCB અને 2 ટ્રેક્ટર કબજે લેવાયા

રાજકોટ ખાણ અને ખનીજ વિભાગે ગોંડલ તાલુકાના મોટા ઉમવાળા ગામે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. ખાણ ખનિદ વિભાગની ટીમે ઓચિંતા દરોડા પાડીને રૂ. 32 લાખનો મુદ્દામાલ જપ્ત કરતા ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. જોકે, આ કાર્યવાહી બાદ સ્થાનિક સરપંચ પ્રતિનિધિએ પોતાની સ્પષ્ટતા રજૂ કરતા મામલામાં નવો વળાંક આવ્યો છે.ખાનગી માલિકની જમીન હતી અને તેના પર ખનન ચાલતું હતુ રોયલ્ટી ઇન્સપેક્ટર કિશનભાઈ રાણાવા અને જૈમિનભાઈ બી. પટેલની આગેવાની હેઠળની ટીમે મોટા ઉમવાળા ગામે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન એક JCB મશીન અને બે ટ્રેક્ટર જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા વાહનોની અંદાજિત કિંમત રૂ. 32 લાખ આંકવામાં આવી છે. આશ્ચર્યજનક રીતે, પકડાયેલા તમામ વાહનો પર નંબર પ્લેટ ગાયબ હતી, જે ગેરકાયદેસર પ્રવૃત્તિ તરફ આંગળી ચીંધે છે. આ ખનન પ્રવૃત્તિ કોઈની ખાનગી માલિકીની જમીન પર ચાલી રહી હતી. વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો દંડ ભરવામાં નહીં આવે, તો પોલીસ ફરિયાદ નોંધીને કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગામના સરપંચે કહ્યું, મને ફસાવવાનો કારસો છે જપ્ત કરાયેલા વાહનો જેના છે તે સરપંચ પ્રતિનિધિ ભૂપતભાઈ ડાભીએ આ મામલે મૌન તોડ્યું છે. તેમણે ખનીજ માફિયાઓ સામે મોરચો માંડતા જણાવ્યું કે ખાનગી જમીન પર ખેતર સપાટ કરવાનું કામ ચાલતું હતું. તેમાંથી નીકળેલી માટીનો ઉપયોગ ગામમાં બની રહેલા બગીચાના પુરાણ માટે કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં રિલાયન્સ ફાઉન્ડેશનનો પણ સહયોગ છે. ભૂપતભાઈના મતે, તેમણે અગાઉ ગામમાં ચાલતી ખનીજ ચોરી બંધ કરાવી હોવાથી ખનીજ માફિયાઓ તેમનાથી નારાજ છે અને તેમને બદનામ કરવા ખોટા પેંતરા રચી રહ્યા છે. મેં આખા તાલુકામાં મોટા ઉમવાડાથી થતી ખનીજ ચોરી બંધ કરાવી છે, એટલે માફિયાઓના પેટમાં તેલ રેડાયું છે. આ બધું કામ પંચાયતના ઠરાવ મુજબ જ થઈ રહ્યું છે." - ભૂપતભાઈ ડાભી (સરપંચ પ્રતિનિધિ) સ્થાનિક તંત્રની ભૂમિકા પર સવાલો આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને તંત્રની કામગીરી પર પણ પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થયા છે. ગત 10 ડિસેમ્બરે પણ ખનીજ વિભાગે દરોડો પાડ્યો હતો. નંબર પ્લેટ વગરના વાહનો બિન્દાસ્ત ફરી રહ્યા હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી, તે ચર્ચાનો વિષય બન્યો છે. હાલ તો ખાણ-ખનીજ વિભાગે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. શું આ ખરેખર વિકાસના કામ માટેનું ખોદકામ હતું કે પછી વિકાસના નામે ખનીજ ચોરી? તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. આ પણ વાંચો : Vadodara News : વડોદરામાં ઘરફોડ ચોરી કરતી સિકલીગર ગેંગના 8 આરોપી સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો 

Read Full Story arrow_forward
Jammu Kashmirમાં મોટું એન્ટી-ટેરર ઓપરેશન, ત્રણ આતંકવાદીઓ ફરાર
calendar_today January 8, 2026

Jammu Kashmirમાં મોટું એન્ટી-ટેરર ઓપરેશન, ત્રણ આતંકવાદીઓ ફરાર

જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લાના બિલ્લાવર વિસ્તારમાં આવેલા ગાઢ અને પહાડી જંગલોમાં સુરક્ષા દળો અને ત્રણ આતંકવાદીઓ વચ્ચે લગભગ ચાર કલાક સુધી એન્કાઉન્ટર થયું. આ ઘટના બુશમ વિસ્તારના ઉજ્જ નદીના કમાન્ડ એરિયામાં બની હતી. સુરક્ષા દળોને આતંકવાદીઓની હાજરી અંગે માહિતી મળતા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. કામદ નાલા નજીક શંકાસ્પદ સ્થાનિક લોકોએ ગઈકાલે સાંજે લગભગ 4 વાગ્યે કામદ નાલા નજીક શંકાસ્પદ લોકોને જોયા હતા. આ અંગે તરત જ પોલીસને જાણ કરવામાં આવી. માહિતી મળતાની સાથે જ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને અન્ય સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચ્યા અને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો. સાંજે લગભગ 4:30 વાગ્યે સર્ચ ઓપરેશન શરૂ થયું. આતંકવાદીઓએ અચાનક સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ સર્ચ દરમિયાન આતંકવાદીઓએ અચાનક સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો, જેના જવાબમાં સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી. બંને તરફથી ભારે ગોળીબાર થયો, જે રાત્રે લગભગ 8 વાગ્યા સુધી ચાલ્યો. ગાઢ અંધારું અને મુશ્કેલ ભૂપ્રદેશ હોવાને કારણે આતંકવાદીઓ જંગલમાં ભાગી જવામાં સફળ રહ્યા. એક સુરક્ષા કર્મચારીને નાની ઇજા આ ઓપરેશન દરમિયાન એક સુરક્ષા કર્મચારીને નાની ઈજા થઈ હતી, જેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી છે અને તેમની સ્થિતિ સ્થિર છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે અને આતંકવાદીઓના ભાગી જવાના તમામ સંભવિત રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ સંગઠન આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ સંગઠન સાથે જોડાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. માનવામાં આવે છે કે તેઓ હીરાનગર માર્ગે સરહદ પાર કરીને ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ 2026નું પહેલું મોટું આતંકવાદ વિરોધી ઓપરેશન ગણવામાં આવી રહ્યું છે. ગુરુવારે સવારે ફરી એક વખત મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ડ્રોનની મદદથી ગાઢ જંગલોમાં નજર રાખવામાં આવી રહી છે. CRPF, સેના અને પોલીસના સંયુક્ત દળો સમગ્ર વિસ્તારમાં સાવચેતી સાથે તપાસ કરી રહ્યા છે. આતંકવાદીઓ માટે ઓપરેશન પોલીસ મહાનિરીક્ષક ભીમ સેન તુતી અને કઠુઆના SSP મોહિતા શર્મા જાતે ઓપરેશન પર નજર રાખી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે આતંકવાદીઓને ઝડપવા માટે ઓપરેશન ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી વિસ્તાર સંપૂર્ણપણે સુરક્ષિત ન બની જાયઆ પણ વાંચો : World News : ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો 'નવા ટેરિફથી અમેરિકાને 600 બિલિયન ડૉલરની આવક થઈ'.

Read Full Story arrow_forward