android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot : જેતપુરમાં શ્વાનનું સામ્રાજ્ય, વહીવટી તંત્રની ઉદાસીનતા વચ્ચે નાગરિકો રામભરોસે
calendar_today January 7, 2026

Rajkot : જેતપુરમાં શ્વાનનું સામ્રાજ્ય, વહીવટી તંત્રની ઉદાસીનતા વચ્ચે નાગરિકો રામભરોસે

રાજકોટ જિલ્લાનું જેતપુર શહેર હાલમાં શ્વાનના આતંકથી થરથરી રહ્યું છે. જેતપુર શહેર અને પંથકમાં રખડતા શ્વાન એટલા હિંસક બન્યા છે કે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી કોઈ સુરક્ષિત નથી. સરકારી હોસ્પિટલના આંકડા જ ભયાનક વાસ્તવિકતા રજૂ કરે છે. ત્રણ મહિનામાં 1200 શ્વાન કરડવાના કેસ નોંધાયા છેલ્લા એક મહિનામાં 450 અને ત્રણ મહિનામાં 1200 જેટલા શ્વાન કરડવાના કેસ નોંધાયા છે. આ તો માત્ર સરકારી ચોપડે નોંધાયેલા આંકડા છે, ખાનગી હોસ્પિટલ અને ઘરગથ્થુ ઉપચાર કરાવનારાઓની સંખ્યા ગણતા આ આંકડો ક્યાંય વધારે હોઈ શકે છે. માસૂમોના લોહીથી ખરડાયા શ્વાનના દાંત શહેરના ચંદ્રમોલેશ્વર મંદિર પાસે આવેલા નાળામાં અસામાજિક તત્વો દ્વારા કતલ કરાયેલા પશુઓના અવશેષો ફેંકવામાં આવે છે. આ માંસના લોહીની લાલચે અહીં 50 જેટલા શ્વાનોના ટોળા કાયમી પડાવ નાખીને બેઠા હોય છે. દુર્ભાગ્યની વાત એ છે કે અહીંથી જ પાંચ-છ શાળાઓનો રસ્તો પસાર થાય છે. ગતરોજ સતીશ ગોસ્વામી નામના 10 વર્ષના બાળક પર હિંસક હુમલો થયો હતો. શ્વાન બાળકને ખેંચીને નાળામાં લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ નસીબજોગે બાળકની ડોકને બદલે શર્ટનો કોલર શ્વાનના મોઢામાં આવતા પિતાએ તેને બચાવી લીધો હતો. કાચબા ગતિએ તંત્રનું કામ જ્યારે આ ગંભીર મુદ્દે નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થિવ પરમારને પૂછવામાં આવ્યું, ત્યારે તેમનો જવાબ આશ્ચર્યજનક હતો. તંત્ર હજુ શ્વાનોની વસ્તી ગણતરી અને જગ્યા શોધવાની પ્રક્રિયામાં અટવાયેલું છે. સરકાર પાસે જગ્યા મંગાઈ છે અને ત્યારબાદ ખસીકરણ થશે તેવી ખાતરી અપાઈ રહી છે. આ પણ વાંચોઃ Aanand : બોરસદ આણંદ રૂટ પર નવી બસોનો પ્રારંભ,ધારાસભ્યએ બસ ચલાવીને કર્યું નવા રૂટનું લોકાર્પણ

Read Full Story arrow_forward
Vadodara News : શિકારની શોધમાં વીજ ડીપી પર ચડેલી દીપડીનું કરંટ લાગતા મોત, વન વિભાગ દોડતું થયું
calendar_today January 7, 2026

Vadodara News : શિકારની શોધમાં વીજ ડીપી પર ચડેલી દીપડીનું કરંટ લાગતા મોત, વન વિભાગ દોડતું થયું

વડોદરા જિલ્લાના વાડી વિસ્તારમાં વન્યજીવ સૃષ્ટિ માટે એક કરુણ ઘટના સામે આવી છે. અણખી-દોલતપુરા રોડ પર શિકારની શોધમાં નીકળેલી એક માદા દીપડી અચાનક વીજળીના ટ્રાન્સફોર્મર (ડીપી) પર ચડી ગઈ હતી. ડીપી પર ચડતાની સાથે જ હાઈવોલ્ટેજ વીજ કરંટ લાગવાને કારણે દીપડીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. સ્થાનિક લોકોએ વીજ થાંભલા પર દીપડીનો મૃતદેહ લટકતો જોતા વન વિભાગને જાણ કરી હતી, જેના પગલે વન વિભાગનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો.વન વિભાગની તપાસ ઘટનાની ગંભીરતા જોતા ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂત અને તેમની ટીમ દ્વારા દીપડીના મૃતદેહને નીચે ઉતારી કબજે લેવામાં આવ્યો હતો. ત્યારબાદ નિયમ મુજબ દીપડીનું પોસ્ટમોર્ટમ કરાવી તેની મોતનું સચોટ કારણ જાણવા તપાસ હાથ ધરી હતી. વન વિભાગ દ્વારા તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મોડી સાંજે આ દીપડીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023ની પ્રાણી ગણતરી મુજબ આ વિસ્તારમાં દીપડાની સંખ્યા 26 નોંધાઈ હતી, ત્યારે એકાએક આ રીતે દીપડીનું મોત થતા પ્રકૃતિ પ્રેમીઓમાં શોકની લાગણી જોવા મળી રહી છે.આ પણ વાંચો : Ambaji માં ભક્તિનો મહાકુંભ, 30 જાન્યુઆરીથી શરૂ થશે ભવ્ય '51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'

Read Full Story arrow_forward
Rajkot News: પ્રાઈડ રિસોર્ટ પાસે રફ્તારના રાક્ષસ બેફામ
calendar_today January 7, 2026

Rajkot News: પ્રાઈડ રિસોર્ટ પાસે રફ્તારના રાક્ષસ બેફામ

રંગીલા રાજકોટમાં અકસ્માતોની હારમાળા યથાવત રહી છે. રાજકોટ શહેરના પોશ ગણાતા નવા 150 ફૂટ રિંગ રોડ પર એક કારચાલકે પોતાની ગાડી પૂરપાટ ઝડપે દોડાવી ભયાનક અકસ્માત સર્જ્યો છે. પ્રાઈડ રિસોર્ટ પાસે બનેલી આ ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત ઘટનાની મળતી વિગતો અનુસાર, નવા 150 ફૂટ રિંગ રોડ પરથી એક કાર અત્યંત તેજ ગતિએ પસાર થઈ રહી હતી. આ દરમિયાન પ્રાઈડ રિસોર્ટ નજીક અચાનક જ કારચાલકે સ્ટેયરીંગ પરથી પોતાનો કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ ગુમાવતાની સાથે જ કાર રસ્તા પર ફંગોળાઈ હતી અને મોટો અકસ્માત સર્જાયો હતો. કારની ગતિ એટલી વધારે હતી કે અકસ્માત સમયે રોડ પરના દ્રશ્યો ધ્રુજાવી દે તેવા હતા. CCTV ફૂટેજમાં કેદ થઈ ઘટના આ અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, કાર હવામાં ફંગોળાઈ રહી છે અને રસ્તા પર પછડાઈ છે. સદનસીબે અન્ય વાહનો આ અકસ્માતની અડફેટે આવતા બચી ગયા હતા, નહીંતર મોટી હોનારત સર્જાઈ શકી હોત. અકસ્માતનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના લોકો અને રિસોર્ટના કર્મચારીઓ દોડી આવ્યા હતા. આ માર્ગ પર વારંવાર નબીરાઓ પૂરપાટ ઝડપે વાહનો હંકારતા હોય છે, જેને કારણે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે હવે સીસીટીવી ફૂટેજના આધારે કારચાલક વિરુદ્ધ તપાસ હાથ ધરી છે. રાજકોટ પોલીસ દ્વારા અવારનવાર સ્પીડ લિમિટ રાખવા માટે અપીલ કરવામાં આવે છે, તેમ છતાં આવા અકસ્માતો યથાવત છે. આ અકસ્માતમાં જાનહાનિના કોઈ અહેવાલ હજુ સુધી પ્રાપ્ત થયા નથી, પરંતુ કારને ભારે નુકસાન પહોંચ્યું છે. લોકો દ્વારા આવા રફ્તારના રાક્ષસો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. આ પણ વાંચો - Rajkot: પોલીસે આરોપીઓની શાન ઠેકાણી લાવી, જે સ્થળે આતંક મચાવ્યો ત્યાં જ સરઘસ કાઢ્યું

Read Full Story arrow_forward