Mahisagar: જન્માષ્ટમી નિમિત્તે મલેકપુરના હનુમાનજી મંદિરમાં મેળો યોજાયો
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુરમાં આવે હનુમાનજીના મંદિરે જન્માષ્ટમી અને શ્રાવણના છેલ્લા શનિવારે મેળો યોજાયો હતો.લુણાવાડા તાલુકામાં આવેલ મલેકપુર પંથકમાં જન્માષ્ટમી પર્વની ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને લઈને વિવિધ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મંદિર પરિસરોમાં ભજન-કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને મોડી રાત સુધી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. જન્માષ્ટમી નિમિત્તે અનેક સ્થળોએ ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિઓને સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. ભક્તોએ દર્શન-પૂજન કરી ધન્યતા અનુભવી હતી. વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. દરમિયાન, મલેકપુરના સ્વયંભૂ હનુમાન મંદિર ખાતે શ્રાવણ માસના અંતિમ શનિવાર નિમિત્તે પરંપરાગત મેળો યોજાયો હતો. મેળામાં મલેકપુર સહિત આસપાસના ગામો તેમજ દૂર-દૂરના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા. અનેક ભક્તો ભજન-કીર્તન સાથે મંદિરે પધાર્યા હતા અને હનુમાનજીના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી.મેળાને લઈને મંદિર પરિસર તેમજ મલેકપુર હાઈવે આસપાસ ભારે ચહલપહલ જોવા મળી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward