android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mahisagar: જન્માષ્ટમી નિમિત્તે મલેકપુરના હનુમાનજી મંદિરમાં મેળો યોજાયો
calendar_today September 6, 2026

Mahisagar: જન્માષ્ટમી નિમિત્તે મલેકપુરના હનુમાનજી મંદિરમાં મેળો યોજાયો

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુરમાં આવે હનુમાનજીના મંદિરે જન્માષ્ટમી અને શ્રાવણના છેલ્લા શનિવારે મેળો યોજાયો હતો.લુણાવાડા તાલુકામાં આવેલ મલેકપુર પંથકમાં જન્માષ્ટમી પર્વની ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને લઈને વિવિધ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મંદિર પરિસરોમાં ભજન-કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને મોડી રાત સુધી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. જન્માષ્ટમી નિમિત્તે અનેક સ્થળોએ ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિઓને સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. ભક્તોએ દર્શન-પૂજન કરી ધન્યતા અનુભવી હતી. વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. દરમિયાન, મલેકપુરના સ્વયંભૂ હનુમાન મંદિર ખાતે શ્રાવણ માસના અંતિમ શનિવાર નિમિત્તે પરંપરાગત મેળો યોજાયો હતો. મેળામાં મલેકપુર સહિત આસપાસના ગામો તેમજ દૂર-દૂરના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા. અનેક ભક્તો ભજન-કીર્તન સાથે મંદિરે પધાર્યા હતા અને હનુમાનજીના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી.મેળાને લઈને મંદિર પરિસર તેમજ મલેકપુર હાઈવે આસપાસ ભારે ચહલપહલ જોવા મળી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Godhra: માર્ગ ઉપરના ખાડા માજી તાલુકા પ્રમુખે સ્વ-ખર્ચે પુરાવતા રાહત થઇ
calendar_today September 6, 2026

Godhra: માર્ગ ઉપરના ખાડા માજી તાલુકા પ્રમુખે સ્વ-ખર્ચે પુરાવતા રાહત થઇ

ઘોઘંબા તાલુકાના સિમલીયા ગામના અગ્રણી તથા માજી તાલુકા પંચાયત પ્રમુખ નટવરસિંહ ચૌહાણે માનવતા અને જનસેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતાં સિમલીયા-ગોધરા વાયા મીરાંપુરી, તાજપુર-છીપા માર્ગ પર પડેલા મસમોટા ખાડાઓ સ્વયં પોતાના માણસો મારફ્તે પુરાવ્યા હતા.છેલ્લા કેટલાક સમયથી આ માર્ગ પર ઠેરઠેર મોટા ખાડા પડી જતાં એસ.ટી. બસોના ચાલકો, વાહનચાલકો, વિદ્યાર્થીઓ તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને વરસાદી માહોલમાં ખાડાઓમાં પાણી ભરાઈ જવાથી માર્ગની સ્થિતિ વધુ જોખમી બની હતી અને અકસ્માતની પણ સંભાવના ઊભી થતી હતી. માર્ગની સમસ્યા અંગે જવાબદાર તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમયસર ખાડાઓનું સમારકામ ન થતાં સ્થાનિક લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી હતી. આવી પરિસ્થિતિમાં નટવરસિંહ ચૌહાણે તંત્રની રાહ જોયા વિના સ્વયં પહેલ કરીને પોતાના માણસો દ્વારા માર્ગના ખાડાઓ પુરાવવાની કામગીરી હાથ ધરી હતી. તેમની આ કામગીરીથી આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો, વિદ્યાર્થીઓ અને રાહદારીઓને તાત્કાલિક રાહત મળી છે. જનસમસ્યાને માત્ર રજૂઆત સુધી સીમિત ન રાખી, તેનો તાત્કાલિક ઉકેલ લાવવાનો પ્રયાસ કરીને નટવરસિંહ ચૌહાણે સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Godhra: વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય કાવડયાત્રા યોજાઇ
calendar_today September 6, 2026

Godhra: વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય કાવડયાત્રા યોજાઇ

ગોધરા : વિશ્વ હિન્દુ પરિષદ ગૌ-ધરા (ગોધરા) આયોજિત આ ભવ્ય કાવડયાત્રા શહેરના લાલબાગ ટેકરી મંદિરથી છબનપુર કામનાથ મહાદેવ મંદિર સુધી યોજાઈ હતી.મોટી સંખ્યામાં શિવભક્તો કાવડમાં જળ ભરી છબનપુર કામનાથ મહાદેવ મંદિરે મહાદેવજીને જળાભિષેક કર્યો હતો. મહત્વની વાત એ હતી કે આ કાવડયાત્રામાં મોટી સંખ્યામાં મહિલા શ્રદ્ધાળુઓ પણ જોડાયા હતા.ગોધરા શહેરમાં પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસોમાં શિવરસ અને શિવભક્તિનો ભક્તિસભર માહોલ સર્જાયો છે.વિશ્વ હિન્દુ પરિષદ ગૌ ધરા દ્વારા રવિવારે કાવડયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર અને ભવ્ય કાવડયાત્રા ગોધરા શહેરના લાલબાગ ટેકરી મંદિર થી છબનપુર કામનાથ મહાદેવ મંદિર સુધી યોજાઈ હતી.જેમાં મોટી સંખ્યામાં યુવાનો યુવતીઓ સહિત શિવભક્તો જોડાયા હતા અને કાવડમાં જળ ભરી છબનપુર કામનાથ મહાદેવ મંદિરે મહાદેવ ને જળાભિષેક કર્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward