Dahod: શિક્ષક દિને શ્રોષ્ઠ કામ કરનાર શિક્ષકોનું સન્માન કરાયું
ભારતના મહાન શિક્ષણવિદ્ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં ઉજવાતા શિક્ષક દિનની દાહોદ જિલ્લામાં પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સ્વામી વિવેકાનંદ પ્રેરણા સંકુલ ખાતે રાજ્યમંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષકોના શિક્ષણક્ષેત્રે અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું હતું.શિક્ષક દિનની ઉજવણી અંતર્ગત દાહોદ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે શ્રોષ્ઠ અને નોંધપાત્ર કામગીરી કરનાર શિક્ષકોને રાજ્યમંત્રી રમેશભાઈ કટારા સહિત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સન્માન પત્ર એનાયત કરી સન્માનિત કરાયા હતા. શિક્ષકોની નિષ્ઠા, સેવાભાવ અને શિક્ષણક્ષેત્રે તેમના મહત્વપૂર્ણ યોગદાનને બિરદાવ્યું હતું. રાજ્યમંત્રી રમેશ કટારાએ જણાવ્યું હતું કે, શિક્ષક માત્ર જ્ઞાન આપનાર નથી, પરંતુ વિદ્યાર્થીઓના જીવનને સાચી દિશા આપનાર માર્ગદર્શક અને ઘડવૈયા છે. શિક્ષકના સંસ્કાર, માર્ગદર્શન અને પ્રેરણાથી વિદ્યાર્થીઓ જીવનમાં સફ્ળતા પ્રાપ્ત કરવાની સાથે સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.બદલાતા સમયની સાથે શિક્ષણ ક્ષેત્રે નવા પડકારો અને નવી તકો ઊભી થઈ રહી છે. ટેક્નોલોજીના વધતા વ્યાપ અને બદલાતી શૈક્ષણિક જરૂરિયાતોના સમયમાં શિક્ષકોની જવાબદારી વધુ મહત્વપૂર્ણ બની છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward