android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand News: ખડોલ-અડાસ માર્ગ પર કેનાલમાં મસમોટું ગાબડું, લાખો લીટર પાણી ખેતરોમાં ફરી વળ્યું
calendar_today August 30, 2026

Anand News: ખડોલ-અડાસ માર્ગ પર કેનાલમાં મસમોટું ગાબડું, લાખો લીટર પાણી ખેતરોમાં ફરી વળ્યું

આણંદ જિલ્લાના ખડોલ-અડાસ માર્ગ પર આવેલી સિંચાઈ કેનાલમાં અચાનક મસમોટું ગાબડું પડવાની ઘટના સામે આવી છે. કેનાલની દીવાલ તૂટી જતાં જ ધસમસતા પ્રવાહ સાથે લાખો લીટર પાણી આસપાસના વિસ્તારોમાં વહેવા લાગ્યું હતું. જોતજોતામાં કેનાલનું પાણી માર્ગો અને નજીકના ખેતરોમાં ઘૂસી જતાં ચારેય તરફ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.વરસાદની અછત વચ્ચે પાણીનો મોટો વેડફાટચાલુ વર્ષે એક તરફ વરસાદ ખેંચાતાં ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે સિંચાઈના પાણીની કાગ ડોકે રાહ જોઈ રહ્યા છે. ખેડૂતો વારંવાર પાણી છોડવાની માગ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ આવી બેદરકારીના કારણે લાખો લીટર કિંમતી પાણીનો સરેઆમ વેડફાટ થઈ રહ્યો છે. એન સમયે જ પાણીનો આવો બગાડ થતાં સ્થાનીય ખેડૂતોમાં ઘોર નિરાશા અને રોષ વ્યાપી ગયો છે.હજારો લીટર પાણી ખેતરોમાં ઘૂસતાં પાકને નુકસાનની ભીતિકેનાલ તૂટવાના કારણે ધસમસતું પાણી નજીકના ખેતરોમાં ફરી વળ્યું છે. જેને કારણે ખેતરોમાં તૈયાર થઈ રહેલા કે વાવેલા પાકને ભારે નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે. મોંઘા બિયારણ, ખાતર અને મહેનતથી ઉછારેલા પાક પર કેનાલના પાણી ફરી વળતાં ખેડૂતો માટે "મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જવા" જેવી સ્થિતિ નિર્માણ પામી છે.સિંચાઈ વિભાગની કાગળ પરની કામગીરી સામે ગંભીર સવાલોઆ ઘટના બાદ સિંચાઈ વિભાગની કામગીરી સામે સ્થાનિકો દ્વારા ગંભીર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, દર વર્ષે કેનાલની સફાઈ અને રિપેરિંગ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ આ કામગીરી માત્ર કાગળ પર જ થાય છે. ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થાય છે કે કેમ તે અંગે પણ હવે તપાસની માગ ઉઠી રહી છે.ખેડૂતોની તાત્કાલિક સમારકામ અને વળતરની માગહાલમાં સિંચાઈ વિભાગની ઘોર બેદરકારીના કારણે ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે. સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતો માંગ કરી રહ્યા છે કે કેનાલનું ગાબડું તાત્કાલિક ધોરણે પૂરવામાં આવે જેથી વધુ પાણીનો વેડફાટ અટકે. આ સાથે જ કેનાલના પાણીથી જે ખેડૂતોના પાકને નુકસાન થયું છે, તેમને વળતર આપવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે.આ પણ વાંચો - Anand News: ઉમરેઠના ધુલેટા ગામે ઝાડ પર લટકતી હાલતમાં આધેડનો મૃતદેહ મળતાં મચ્યો ચકચાર

Read Full Story arrow_forward
Chhota Udepur News: કુસુમ સાગર તળાવમાંથી પ્રાથમિક શાળાના શિક્ષકનો મૃતદેહ મળ્યો
calendar_today August 30, 2026

Chhota Udepur News: કુસુમ સાગર તળાવમાંથી પ્રાથમિક શાળાના શિક્ષકનો મૃતદેહ મળ્યો

છોટાઉદેપુર શહેરના ઐતિહાસિક કુસુમ સાગર તળાવમાં રવિવારની વહેલી સવારે એક પુરૂષનો મૃતદેહ તરતો મળી આવતાં પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. તળાવમાં ગંગેશ્વર મંદિર પાસેના ભાગે મૃતદેહ હોવાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.મૃતક સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવાનો ખુલાસોઘટના અંગે તપાસ હાથ ધરતાં મૃતકની ઓળખ કનુ નાયકા તરીકે થઈ છે. તેઓ છોટાઉદેપુર તાલુકાની દડીગામ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે પોતાની આદરણીય ફરજ બજાવતા હતા. શિક્ષકના અચાનક અવસાનના સમાચારથી તેમના પરિવારજનો, દડીગામ શાળા પરિવાર તેમજ શિક્ષણ આલમમાં શોકનું મોજું ફરી વળ્યું છે.કઈ રીતે બની આ દુઃખદ ઘટના?મળતી વિગતો અનુસાર, કનુ નાયકા વહેલી સવારે રોજિંદા ક્રમ મુજબ કુસુમ સાગર તળાવ કિનારે વોકિંગ માટે નીકળ્યા હતા. વોકિંગ દરમિયાન તળાવમાં ખીલેલા કમળના ફૂલ જોઈને તેઓ તેને લેવા માટે તળાવના કિનારે નીચે ઉતર્યા હતા. આ દરમિયાન અચાનક તેમનો પગ લપસી જતાં તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ડૂબી જવાથી તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે હાથ ધરી કાર્યવાહીસ્થાનિકો દ્વારા આ દુર્ઘટનાની જાણ કરવામાં આવતાં જ છોટાઉદેપુર પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોની ટીમે ભારે જહમત બાદ શિક્ષકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને આકસ્મિક મોતનો ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.આ પણ વાંચો - Chhota Udepur: ગઢ બોરિયાદ ગ્રૂપ પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઇ

Read Full Story arrow_forward
Vadodara: સુંદરપુરા પાટિયા પાસે બેકાબૂ ડમ્પર વીજ થાંભલા સાથે અથડાઈ ખાડામાં પલટાયું, જાનહાનિ ટળી
calendar_today August 30, 2026

Vadodara: સુંદરપુરા પાટિયા પાસે બેકાબૂ ડમ્પર વીજ થાંભલા સાથે અથડાઈ ખાડામાં પલટાયું, જાનહાનિ ટળી

વડોદરા નજીક આવેલા જામ્બુવા બાયપાસથી પોર તરફ જતા વ્યસ્ત માર્ગ પર ગત રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. સુંદરપુરા પાટિયા પાસેથી પસાર થઈ રહેલા એક ડમ્પરના ચાલકે અચાનક પોતાના વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલું આ ડમ્પર માર્ગની સાઈડમાં આવેલા વીજ થાંભલા સાથે જોરદાર ધડાકાભેર અથડાયું હતું.સુંદરપુરા પાટિયા પાસે બેકાબૂ ડમ્પર વીજ થાંભલા સાથે અથડાયુંવીજ થાંભલા સાથે અથડાયા બાદ પણ ડમ્પરની સ્પીડ વધારે હોવાના કારણે તે રસ્તાની બાજુમાં આવેલા ઊંડા ખાડામાં પલટી ખાઈ ગયું હતું.આ અકસ્માત એટલો ભયંકર હતો કે ડમ્પરની સાથે જોડાયેલું ભારે પૂલર મશીન પણ ખાડામાં ખાબક્યું હતું. જોકે, આ ઘટના મોડી રાત્રે બની હોવાથી માર્ગ પર વાહનવ્યવહાર અત્યંત ઓછો હતો. જેના કારણે કોઈ અન્ય વાહન તેની ચપેટમાં આવ્યું ન હતું અને સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જેથી મોટો અકસ્માત ટળ્યો હતો.ડમ્પર ચાલકની બેદરકારી અંગે ગુનો ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિકો સ્થળ પર દોડી આવ્યા હતા. ક્રેનની મદદ લઈને ખાડામાં પલટી ગયેલા ડમ્પર અને પૂલર મશીનને બહાર કાઢવામાં આવ્યા હતા. વીજ થાંભલો ક્ષતિગ્રસ્ત થતાં વીજ કંપનીને જાણ કરવામાં આવી હતી. આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ડમ્પર ચાલકની બેદરકારી અંગે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Surat: SMCમાં નોકરી મેળવવા બોગસ નિમણૂક પત્ર લઈને પહોંચેલી મહિલા પકડાઈ, સાયબર સેલમાં નોંધાશે ફરિયાદ

Read Full Story arrow_forward